SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૧૬] ચાર મહાવિગઇ સિવાયના બાવીસ અભક્ષ્ય ૧૬૫ પ્રભાતે ચાર ઘડી દિવસ ચડે ત્યાં સુધી રહે છે, તેથી જો આકાશસ્થળે બેસીને ભોજન કરે તો અનંત જીવોનો પણ ઘાત થાય છે. કારણ કે, “નત્ય નષ્ઠ તત્વ વન” જ્યાં જળ ત્યાં વનસ્પતિ હોય જ—એમ સિદ્ધાંતમાં કહ્યું છે અને વનસ્પતિ અનંતજીવાત્મક હોય જ છે. વળી રાત્રિભોજન કરવાથી આ લોક આશ્રયી પણ ઘણા પ્રકારની હાનિનો સંભવ છે. ભોજનમાં કીડી આવી જાય તો બુદ્ધિને હણે છે, મક્ષિકા આવે તો વમન થાય, જૂ આવે તો જલોદર થાય અને કરોળીઓ આવે તો કુષ્ઠ રોગ થાય છે. વળી રાત્રે પાત્ર ઘોતાં અને એઠું નાખતાં કુંથવા વગેરે ઘણા જીવો હણાય છે–ઇત્યાદિ રજનીભોજનના દોષ કહેવાને કોણ સમર્થ છે? રાત્રિભોજનના દોષ ઘણા છે, અને તે કહેવાનું આયુષ્ય થોડું છે, તથાપિ સંક્ષેપમાં તેના દોષ કહું છું– કોઈ એક જીવ છવું ભવ સુધી જીવહિંસા કરે તેટલું પાપ એક સરોવરને શોષવાથી લાગે છે, એકસો આઠ ભવ સુધી તેવા સરોવરને શોષનારને જે પાપ લાગે તેટલું પાપ એક વાર દાવાનળ લગાડનારને લાગે છે, એકસો એક ભવ સુઘી દવ આપનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એક કુવ્યાપાર કરનારને લાગે છે, એકસો ચુંમાળીસ ભવ સુધી કુવ્યાપાર કરવા વડે જેટલું પાપ લાગે તેટલું એક કુકર્મોને લાગે છે. એકસો ચુંમાળીસ ભવ સુઘી કુકર્મીને જેટલું પાપ લાગે તેટલું પાપ એક વાર ખોટું આળ આપનારને લાગે છે, એકસો એકાવન ભવ સુઘી ખોટું આળ આપનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એક વાર પરસ્ત્રીગમન કરનારને લાગે છે, નવાણું ભવ સુધી પરસ્ત્રીગમન કરનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એક વાર રાત્રિભોજન કરનારને લાગે છે. આ પ્રમાણે રત્નસંચય નામના ગ્રંથમાં કહ્યું છે. તેનું તત્ત્વ તો બહુશ્રુત જાણે છે. વળી કહ્યું છે કે, “જે બુદ્ધિમાન પુરુષો સર્વથા રાત્રે આહાર વર્જે છે, તેમને એક માસે પક્ષોપવાસનું ફળ થાય છે.” તે માટે શ્રાવકોએ માવજીવ સુધી રાત્રિભોજનનો ત્યાગ કરવો. દરરોજ રાત્રે ચતુર્વિઘ આહારના પચખાણ કરવા. જો ચારે આહાર તજવાની શક્તિ ન હોય તો અશન તથા સ્વાદિમ તો અવશ્ય ત્યજવા; અને સ્વાદિમ તે સોપારી વગેરે દિવસે સારી રીતે શોધી રાખી રાત્રે ગ્રહણ કરવાનું નહીં તો તેમાં ત્રસ જીવોની હિંસાનો પણ દોષ લાગે છે. મુખ્ય રીતે તો પ્રાતઃકાળે અને સાયંકાળે રાત્રિની નજીકની બે બે ઘડી આહારનો ત્યાગ કરવો. કહ્યું છે કે, “રાત્રિભોજનના દોષને જાણનાર જે પ્રાણી દિવસના મુખમાં અને અવસાનમાં બે બે ઘડી છોડીને ભોજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે. વળી “રાત્રિભોજન કરવાથી ઘુવડ,કાક,માર્જર,ગીઘ, સાબર, સૂવર, સર્પ,વીછી અને ઘોનો અવતાર આવે છે. આ પ્રમાણે રાત્રિભોજનનું પારલૌકિક ફળ છે. રાત્રિભોજન વિષે રામાયણમાં પણ દોષ જણાવ્યો છે. તે સંબંઘ એવો છે કે, લક્ષ્મણ અને સીતા સહિત રામચંદ્ર વનવાસમાં ગયા હતા, તે પ્રસંગે એક દિવસ કુર્બર નગરની બહાર એક વડના વૃક્ષ નીચે રાત્રિવાસો રહ્યા હતા. તે નગરના રાજા મહીઘરને વનમાળા નામે એક પુત્રી હતી. તે લક્ષ્મણની ઉપર પ્રથમથી રાગી થયેલી હતી. તે લક્ષ્મણનો વનવાસ સાંભળી ખેદયુક્ત થઈ સતી દૈવયોગે તે જ વનમાં તે જ રાત્રે ગળે ફાંસો ખાવા આવી. આ દેખાવ રાત્રે જાગૃત રહેલા લક્ષ્મણના જોવામાં આવ્યો. લક્ષ્મણે તેની પાસે જઈને પૂછ્યું, એટલે તેણે જે સત્ય હતું તે કહી આપ્યું. તત્કાળ લક્ષ્મણે પાશ છેદી નાખીને તેનું પાણિગ્રહણ કર્યું. વનમાળા કે જે શુભ લક્ષણવાળી સુચરિતા હતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy