SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ વ્યાખ્યાન ૧૧૬] ચાર મહાવિગઇ સિવાયના બાવીસ અભક્ષ્ય બદલે ‘સંવા' એવો પણ પાઠ દેખાય છે. વળી મદિરામાં રસોત્પન્ન જીવની ઉત્પત્તિને લીધે અસંખ્યાત જીવપણું શ્રી હૈમીનામમાળામાં પણ કહ્યું છે. “રસનામીદાદા:” એટલે રસથી ઉત્પન્ન થયેલા જીવ તે મદિરા વગેરેમાં ઉત્પન્ન થતાં જીવો જાણવા. એ વાક્યથી એમ સિદ્ધ થાય છે કે, મદિરામાં રસથી ઉત્પન્ન થતાં બેઇંદ્રિય જીવો અસંખ્યાતા ઊપજે, અનંતા નહીં. વળી તેમણે જ શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, “અંતર્મુહૂર્ત પછી તેમાં જીવોની ઉત્પત્તિ થાય છે.” આ શ્લોકમાં જીવની ઉત્પત્તિનો કાળ પ્રતિપાદન કર્યો છે, તેથી નિગોદીઆ જીવોની ઉત્પત્તિ સંભવતી નથી; કારણ કે તેમની ઉત્પત્તિનો તો તેમાં તેની પૂર્વે પણ સંભવ છે, અને તેને માટે તો કાંઈ કાળનો નિયમ નથી. આ ઉપરથી એમ જણાય છે કે, ચાર મહાવિગયમાં નિગોદના જીવ વડે અભક્ષ્યપણું નથી, પણ અસંખ્ય એવા રસોત્પન્ન જીવ પડે છે. આ પ્રસંગે વિચારવા યોગ્ય છે. અત્રે પ્રસંગોપાત્ત તે ઉપર વિચાર દર્શાવ્યા છે. “ઉપર બતાવેલી ચાર વિકૃતિઓને જે ભવિ પ્રાણીઓ ત્યજે છે, તે શ્રી જૈનધર્મના ઘારક ગૃહસ્થો દેવતાદિકની સંપત્તિને પામે છે.” વ્યાખ્યાન ૧૧૬ ચાર મહાવિગઇ સિવાયના બાવીસ અભક્ષ્ય હવે બાકીના અભક્ષ્ય કહે છે– बहुजीवाकुलाभक्ष्यं, भवेदुंबरपंचकम् । हिमं विषं तथा त्याज्याः, करकाः सर्वमृत्तिकाः॥१॥ ભાવાર્થ-“ઘણા જીવોથી વ્યાપ્ત એવા ઉદુંબર વગેરે પાંચ જાતિના ફળો અભક્ષ્ય છે, તથા બરફ, વિષ, કરા અને સર્વ જાતની મૃત્તિકાઓ પણ અભક્ષ્ય હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે.” તેનો ભાવાર્થ એવો છે કે, ઉંબરડા વગેરે પાંચ જાતિનાં ફળ મશાલાની (ઝીણા બીજ જેવી) આકૃતિવાળા ઘણા સૂક્ષ્મ જંતુઓથી સર્વદા વ્યાપ્ત હોય છે, તેથી તે અભક્ષ્ય છે. તે પાંચ જાતિ આ પ્રમાણે–વડના ફળ, પીપળના ફળ, ઉંબરડાના ફળ, પીપળાના ટેટા અને કાકોદુંબરના ફળ. એ પાંચે જાતિના ફળોનો ત્યાગ કરવો. હિમ એટલે બરફ તેમાં શુદ્ધ અસંખ્યાત અકાય જીવો રહેલા છે તેથી તે ત્યાજ્ય છે. વિષ એટલે સોમલ, અફીણ વગેરે. ઔષધિ પ્રયોગે નિર્વિષ કરેલું હોય તો પણ વિષને ભક્ષણ કરવાથી ઉદરમાં રહેલા ગંડોલક વગેરે ઘણા જીવોનો તે ઘાત કરે છે તેથી અભક્ષ્ય છે. પાણીના કરા પણ અસંખ્ય અપૂકાય જીવવાળા હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. અહીં કોઈ શંકા કરે કે, “એવી રીતે ગણશો તો જળ પણ અભક્ષ્ય થશે.” તે સત્ય છે, પણ જળ વિના જીવનનો નિર્વાહ થતો નથી અને કરા વિના સુખે નિર્વાહ થઈ શકે છે, તેથી તેનો નિષેઘ કરેલો છે. સર્વ જાતની મૃત્તિકાઓ (માટીઓ) પેટમાં ગયા પછી પણ દેડકા વગેરે પંચેંદ્રિય જીવોની ઉત્પત્તિની હેતુરૂપ છે, તેમજ મહારોગાદિકને કરનારી છે તેથી તે ત્યાજ્ય છે. કૃતિકા વિષે સર્વ જાતની એ શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી ખડી, ગેરુ, હરિતાળ વગેરે તેના બીજા ભેદનો પણ ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy