SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૮ આકુળ, પરુ, રુધિર અને ચરબીથી મિશ્રિત એવા માંસનું ભક્ષણ કરે છે, તે પુરુષને શુદ્ધ બુદ્ધિવાળા પુરુષો શ્વાન જેવો જ ગણે છે.’’ (૩) હવે મધ ત્રણ પ્રકારનું છે, માક્ષિક (નાની માખીથી થયેલું), કૌત્તિક (મધ્યમ માખીથી થયેલું) અને ભ્રામર (ભમરી એટલે મોટી માખીથી થયેલું.) આ ત્રણે પ્રકારનું મધ ત્યાગ કરવા યોગ્ય છે. કહ્યું છે કે, “માખીઓના મુખની લાળથી થયેલું અને લાખો જંતુઓના નાશથી બનેલું એવું ક્ષુદ્ર મઘ કે જે નરકને આપનારું છે, તેને બુદ્ધિમાન પુરુષો શા માટે સ્વીકારે?”’ પુરાણમાં પણ કહ્યું છે કે— सप्तग्रामेषु यत्पाप - मग्निना भस्मसात् कृते । तदेतत् जायते पापं मधुबिंदुप्रभक्षणात् ॥ १॥ ભાવાર્થ—“સાત ગામ બાળ્યાથી જે પાપ લાગે તેટલું પાપ એક મધના બિંદુનું ભક્ષણ કરવાથી લાગે છે.'' यो ददाति मधु श्राद्धे, मोहितो धर्मलिप्सया । સ યાતિ ના ધોર, સ્વાઃ સહ લંપટેઃ IIII ભાવાર્થ-જે ધર્મની ઇચ્છાથી મોહ પામી શ્રાદ્ધમાં મધ આપે છે, તે તેના ખાનારા લંપટ પુરુષોની સાથે ઘોર નરકમાં જાય છે.’’ વળી કહ્યું છે કે, જે માણસ ઔષઘની ઇચ્છાથી મઘ ખાય છે તે પણ થોડા કાળમાં ઘણું ઉગ્ર દુઃખ પામે છે, કેમકે જીવવાની ઇચ્છાએ ભક્ષણ કરેલું વિષ શું તત્કાળ જીવિતને શિક્ષા નથી કરતું? અર્થાત્ કરે છે.’’ માટે દવારૂપે પણ મધ વાપરવું નહીં. (૪) હવે માખણ ચાર પ્રકારનું છે—ગાયનું, ભેંસનું, બકરીનું અને ગાડરનું. તેના દોષ વિષે કહ્યું છે કે, “જેમાં સૂક્ષ્મ શરીરવાળા પ્રાણીઓ નિરંતર ઊપજે છે એવું માખણ તેને સેવનારા પ્રાણીઓને તેના પાપથી તત્કાળ નરકગતિ આપે છે.’’ છાશમાંથી બહાર કાઢીને રાખેલા માખણમાં એક અંતર્મુહૂર્તમાં ઘણા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે તેવા માખણનું વિવેકી પુરુષો કેમ ભક્ષણ કરે? એવી રીતે ઉપર કહેલી ચાર વિગઈને અભક્ષ્ય (ભક્ષણ કરવાને અયોગ્ય) જાણી ધર્મજ્ઞ એવા વિવેકી પુરુષોએ ત્યજી દેવી. કારણ કે તેમાં તત્સમાન વર્ણવાળા તાતીય અનેક સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે કે જે આપણા જેવા સામાન્ય જીવોની સૃષ્ટિને અગોચર છે; અતંદ્રિય જ્ઞાનીઓ તેને જોઈ શકે છે. કહ્યું છે કે— मज्जे महुंमि मंसंमि, नवनीयंमि चउत्थए । उवज्जति अणंता, तव्वण्णा तत्थ जंतुणो ॥ १ ॥ ભાવાર્થ—“મદ્ય, મધુ, માંસ અને માખણમાં તેના જેવા વર્ણવાળા અનંતા જીવો ઊપજે છે.’’ અહીં મદ્ય વગેરેના વર્ણ જેવા જ વર્ણવાળા અનંતા નિગોદરૂપ જંતુ ઉત્પન્ન થાય છે એમ સમજવું. એથી તે ચારે વિગઇ અભક્ષ્ય છે. આ ગાથાનો અર્થ કરતાં કોઈ એમ વિચાર કરે કે, નિગોદીઆ જીવ તો સર્વત્ર ચૌદ રાજલોકમાં અવારિતપણે ઊપજે છે, તેથી જો તે નિમિત્તે ત્યાજ્ય ગણીશું તો સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈશે; માટે એનો અર્થ પૂર્વે કર્યો છે તે બંધબેસતો નથી. તેનો અર્થ એમ સંભવે છે કે નિગોદીઆના જેવા સૂક્ષ્મ એટલે રસમાં ઉત્પન્ન થતા બેઇંદ્રિય જીવોની તેઓમાં ઉત્પત્તિ જાણવી.'’ આવા કારણથી કેટલીક પ્રતમાં તે ગાથાના ત્રીજા પદમાં ‘બળતા’ને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy