SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૧૫] ચાર મહાવિગઇનો ત્યાગ ૧૬૧ મદ્યના ત્યાગ વિષે પંચમકાળમાં ઉત્પન્ન થયેલા અંબાગણિઆ શ્રાવકનો સંબંધ છે. *તે શ્રાવકની જેમ મદ્યનો ત્યાગ કરવો. (૨) માંસ ત્રણ પ્રકારનું છે. જળચર માંસ, સ્થલચર માંચ અને ખેચર માંસ અથવા ચર્મ, રુધિર અને માંસ એવા પણ ત્રણ ભેદ છે. માંસ પણ અત્યંત દુષ્ટ છે. કહ્યું છે કે, आमासु अ पक्कासु अ, विपच्चमानासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ अ णिओअजीवाणं ॥ ભાવાર્થ-“કાચા માંસમાં, પક્વ માંસમાં, રંઘાતા માંસમાં અને તેની પેશીઓમાં તેના જેવા વર્ણવાળા નિગોદીઆ (લીલફુલ આશ્રયી) અનંત જીવો નિરંતર ઉત્પન્ન થાય છે.” વળી યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા અસંખ્ય સંમૂર્ણિમ જીવોની સંતતિ વડે દૂષિત એવું માંસ જે નરકના માર્ગમાં પાથેય સમાન છે, તેનું કયો બુદ્ધિમાન ભક્ષણ કરે?” માંસમાં અનંતા નિગોદીઆ જીવ ક્ષણે ક્ષણે વિસામા વગર પુનઃ પુનઃ ઉત્પન્ન થયા કરે છે, આ પ્રમાણે તે શ્લોકની ટીકામાં કહેલું છે. વળી લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું માંસ વિષ્ટારૂપ કહેવાય છે. વળી તે પુરિષમાંથી ઉત્પન્ન થાય છે તેથી ઉત્તમ પુરુષે તેનો ત્યાગ કરવો.” વળી “અગ્નિ, મધુ, વિષ, શસ્ત્ર, મદ્ય અને માંસ એ છ વસ્તુ પંડિતોએ પોતે ગ્રહણ કરવી નહીં, તેમ કોઈને આપવી પણ નહીં.” સ્માર્નલોકો કહે છે કે न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां, निवृत्तिस्तु महाफला ॥१॥ ભાવાર્થ_“માંસ ભક્ષણ કરવામાં, મદ્ય પીવામાં અને મૈથુન સેવવામાં કાંઈ દોષ નથી. એ તો પ્રાણીમાત્રની પ્રવૃત્તિ છે; પણ જો તેથી નિવૃત્તિ રાખે તો તે મોટું ફળ આપે છે.” આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરવો અયોગ્ય છે; કારણ કે જે આચરવાથી દોષ નથી લાગતો, છતાં તેથી નિવૃત્તિ કરવાથી તે મહા ફળ આપે છે એવો અર્થ દેખીતો જ અઘટિત છે; અને તેવો અર્થ કરવાથી તો નિર્દોષ એવા શુભ ઘર્મથી પણ નિવૃત્તિ કરવાનો પ્રસંગ આવે, તેથી એ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરવો યોગ્ય છે–“માંસ ભક્ષણ કરવામાં અદોષપણું નથી (માંસ મળsોષો ન) એવી રીતે મદ્ય પીવામાં અને મૈથુન સેવવામાં પણ અદોષપણું નથી, કારણ કે તે મદ્ય, માંસ ને મૈથુન પ્રાણીઓની ઉત્પત્તિનાં સ્થાન છે, અર્થાત્ તેમાં અસંખ્યાતા ને અનંતા જીવો ઊપજે છે. અહીં જીવોની ઉત્પત્તિરૂપ પ્રવૃત્તિ સમજવી; તેથી મદ્ય, માંસ ને મૈથુનની નિવૃત્તિ કરવી તે મહા ફળવાળી છે.” વળી માંસ અગ્નિ પ્રમુખ ઉપાયથી પણ અચિત્ત થતું નથી; બીજી સર્વ વસ્તુઓ ઉપાયથી પ્રાસુક થાય છે પણ માંસ તો કદી પણ થતું નથી. એથી જ તેને માટે ઉપર કહેલી ગાથામાં (માસુ ) ઇત્યાદિ પદ છે. વળી માંસ સિવાય બીજી વસ્તુઓ અગ્નિ વગેરે શસ્ત્રથી અચિત્ત થાય છે પણ અગ્નિથી સંસ્કાર કરાતા માંસમાં તે વખતે પણ નિગોદીઆ જીવો ઉત્પન્ન થયા કરે છે. તેથી ઉપરની ગાથામાં (વિવમનાતુ) એવું પદ છે. વળી કહ્યું છે કે, “જે પુરુષ સેંકડો કૃમિથી * આ સંબંઘ જાણવામાં આવ્યો નથી. ભાગ ૨-૧૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy