SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૮ અને નિષ્પાપ ભોગોપભોગ આચરતા હતા. આ પ્રમાણે વર્તવાથી તેમણે પંદર કર્માદાનથી આવતી આવકનો નિષેઘ કરી તેના લિખિત પટ્ટાને પણ ફાડી નાખ્યા હતા. “ઉપર પ્રમાણે ભોગપભોગમાં વિરક્ત અને પરદ્રવ્યમાં નિઃસ્પૃહ એવા પરમાર્હત કુમારપાળે આ સાતમું વ્રત ગ્રહણ કર્યું હતું.” વ્યાખ્યાન ૧૧૫ ચાર મહાવિગઇનો ત્યાગ આ ભોગોપભોગમાન વ્રતમાં બાવીશ પ્રકારના અભક્ષ્યનો પણ ત્યાગ કરવો જોઈએ; તે બાવીશ અભક્ષ્યમાં પ્રથમ ચાર મહાવિકૃતિનું સ્વરૂપ કહે છે– मद्यं द्विधा समादिष्टं, मांसं त्रिविधमुच्यते । क्षौद्रं त्रिधाऽपि त्याज्यं च, म्रक्षणं स्याच्चतुर्विधम् ॥१॥ ભાવાર્થ-“મદ્ય બે પ્રકારનું કહેવું છે, માંસ ત્રણ પ્રકારનું કહેવાય છે, મધુ ત્રણ પ્રકારનું છે અને માખણ ચાર જાતનું હોય છે–એ સર્વ ત્યાગ કરવા યોગ્ય છે.” આ ચારે મહાવિકૃતિઓને અભક્ષ્ય જાણી વિવેકી પુરુષોએ ત્યજી દેવી. કારણ કે તેમાં તત્સમાન રંગના, જોવામાં આવી શકે નહીં તેવા, અનેક જીવોની ઉત્પત્તિ થયા કરે છે. (૧) મદ્ય કાષ્ઠ અને પિષ્ટથી ઉત્પન્ન થતું હોવાથી બે પ્રકારનું છે. સર્વ અભક્ષ્યમાં પ્રથમ મદ્યનું ગ્રહણ તેને સર્વથી મહા અનર્થના હેતુભૂત જાણીને કરેલું છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે, “મદ્ય દુર્ગતિનું મૂળ છે અને તે લજ્જ, લક્ષ્મી, બુદ્ધિ તથા ઘર્મનો નાશ કરનારું છે.” વળી કહ્યું છે કે-“મદ્યપાન વડે ઉન્મત્ત થયેલો પુરુષ, બાળા, યુવતી, વૃદ્ધા, બ્રાહ્મણી અને ચંડાળી ગમે તેવી પરસ્ત્રીને પણ ભોગવે છે. એક વખત કૃષ્ણ વાસુદેવે શ્રી નેમિનાથને પૂછ્યું કે, “સ્વામી! આ મારી નગરીનો વિનાશ શા વડે થશે?” પ્રભુ બોલ્યા-“મદિરાથી.” તે સાંભળી કૃષ્ણ આખા નગરમાંથી મદિરાને કઢાવી નાખી. એક વખતે શાંબ અને પ્રદ્યુમ્ન બન્ને દૂર વનમાં ગયા હતા. ત્યાં એક નાળામાં પડેલી સડેલી મદિરા જોઈને તેનું પાન કર્યું. પછી મદવિહ્વળ થઈ તેમણે દ્વૈપાયન ઋષિને બાંધ્યા અને માર્યા. તત્કાળ તે ઋષિએ “હું યાદવોનો તથા તેના નગરનો દાહક થાઉં.” એવું નિયાણું કર્યું. તે સાંભળી બળરામ અને કૃષ્ણ તેમની પાસે આવ્યા અને પ્રણામ કરી ક્ષમા માગી બહુ કાલાવાલા કર્યા. ત્યારે ઋષિ બોલ્યા કે-“હું તમારા બે વિના બીજા સર્વને હણીશ.” બળરામ અને કૃષ્ણ ઘણું સમજાવ્યા, પણ તેઓ સમજ્યા નહીં. અનુક્રમે તે મૃત્યુ પામી અગ્નિકુમાર દેવ થયા. તરત જ તે ક્રોધાયમાન થઈને યદુપુરીને દહન કરવા આવ્યા. તે સમયે નગરીના લોકોએ બાર વર્ષ સુધી *આચાર્લી વ્રત કર્યું, તેથી તે તેમનો પરાભવ કરી શક્યા નહીં. અન્યદા કોઈ લૌકિક પર્વમાં લોકોએ આચાર્લી કર્યું નહીં, એટલે તે છળ પામી તેણે આખી દ્વારિકાનગરી બાળી નાખી. બળરામ અને કૃષ્ણ જીવતા બહાર નીકળ્યા. રોહિણી, દેવકી અને વસુદેવ નગરની પ્રતોળીમાં દબાઈ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. એમ સંભળાય છે કે, “મદ્યથી અંઘ થયેલા એવા શાંબે સર્વ યાદવકુળને હણી નાખ્યું અને પિતાની નગરીને પણ બાળી નાખી; અર્થાત્ તેના કારણભૂત થયા.” * છયે વિગયના ત્યાગ સહિત એકવાર જમવું તે (આંબિલ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy