SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૧૪] બીજું ગુણવ્રત-ભોગોપભોગપરિમાણ ૧૫૯ ત્યાં અસંખ્ય અપર્યાપ્ત જીવ હોય છે, અને સૂક્ષ્મમાં જ્યાં એક અપર્યાપ્ત જીવ હોય છે ત્યાં નિયમથી અસંખ્ય પર્યાપ્ત જીવ હોય છે.’’ તેમજ શ્રી પ્રજ્ઞાપનાસૂત્રમાં પણ કહ્યું છે કે, ‘‘વનસ્પતિમાં જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ હોય ત્યાં તેની નિશ્રાએ પ્રત્યેક વનસ્પતિમાં અપર્યાપ્ત જીવ સંખ્યાતા અથવા અસંખ્યાતા હોય અને સાધારણ વનસ્પતિમાં તો નિયમા અનંતા જીવો ઉત્પન્ન થાય છે.’’ એવી રીતે નાગરવેલના એક પાન વગેરેમાં અસંખ્ય જીવો હણાય છે અને તદાશ્રિત લીલફૂલના સંભવે તો અનંતજીવો હણાય છે, તેથી તેનો અવશ્ય નિયમ (ત્યાગ) કરવો. (૬) છઠ્ઠા નિયમમાં ‘વસ્ત્ર’ એટલે પંચાંગ વેશ—તેમાં રાતનું ઘોતિયું, પોતી કે રાત્રિએ ૫હે૨વાનું વસ્ત્ર વગેરે ન ગણવું. (૭) સાતમા નિયમમાં ‘પુષ્પ’ જે મસ્તકે અને કંઠે પહેરવાને યોગ્ય છે, તેનો નિયમ કરવો. કદી તેનો ત્યાગ કર્યો હોય તો પણ તે દેવપૂજામાં કલ્પે છે. (૮) આઠમો નિયમ ‘વાહન’ એટલે રથ, પોઠિયા તથા સુખપાલ વગેરે. (૯) નવમો નિયમ ‘શયન’ એટલે ખાટલા વગેરે. (૧૦) દશમા નિયમમાં ‘વિલેપન’ એટલે દેહના ભોગને અર્થે ચંદન, ફુલેલ, તેલ તથા અત્તર વગેરે તેનો નિયમ કરવો. તેનો નિયમ છતાં પણ દેવપૂજાદિકમાં લલાટે તિલક કરવું, હાથે કંકણ કરવું અને હાથ ઘૂપવા વગેરે કલ્પે છે. (૧૧) અગિયારમા નિયમમાં ‘બ્રહ્મચર્ય’ એટલે રાત્રિ દિવસ સંબંધી પોતાની વિવાહિત પત્ની આશ્રયી અબ્રહ્મસેવનનું પ્રમાણ બાંધવું—મોકળાપણું ટાળવું. (૧૨) બારમો નિયમ ‘દિક્પરિમાણ’ જેનો અર્થ દિગ્વિરતિ વ્રતમાં લખાયેલ છે. વળી આગળ દશમા વ્રતમાં લખીશું. (૧૩) તેરમો નિયમ ‘સ્નાન’ એટલે તેલ વગેરે ચોળી આખે શરીરે સ્નાન કરવું તે. તેનું પ્રમાણ કરવું. (૧૪) ચૌદમો નિયમ ‘ભાત' એટલે રાંધેલું ધાન્ય, સુખડી વગેરે. તેનું ત્રણ શેર, ચાર શેર વગેરે પ્રમાણ કરવું. આ પ્રમાણે ચૌદ નિયમ જેણે પૂર્વે સ્વીકાર કર્યા હોય તેણે પ્રતિદિન સંક્ષેપવા એટલે પૂર્વે જાવજ્જીવ સુધીને માટે ઘારેલા હોય તેમાંથી નિત્ય યથાશક્તિ સંક્ષેપવા, એટલે તેથી ઓછા ગ્રહણ કરવા. હમેશાં પ્રાતઃકાળે જુદા જુદા સ્પષ્ટ નામ લઈને તેનો નિયમ કરવો અને રાત્રે તેનો સંક્ષેપ કરવો. આ પ્રમાણે નિયમ ઘારવા વિષે કુમારપાળ રાજાનો પ્રબંધ છે તે આ પ્રમાણે– રાજા કુમારપાળ આ સાતમા વ્રતને વિષે ચૌદ નિયમ પ્રતિદિન ધારતા હતા. તેમાં તે રાજા દિવસે સચિત્તમાં એક નાગરવેલના પાન જ રાખતા. તેના પણ આઠ બીડા રાખતા હતા અને રાત્રે તો ચતુર્વિધ આહારના પચખાણ કરતા હતા. વર્ષાઋતુમાં એક ઘીની વિકૃતિ (વિગઇ) જ છૂટી, સર્વે જાતની લીલોતરીનો ત્યાગ, તપમાં સર્વદા એકાસણું, પારણા અને ઉત્તરપારણા સિવાય દિવસે બ્રહ્મચર્ય; સર્વ પર્વમાં શીલ પાળવું અને સચિત્ત તથા વિગઇનો ત્યાગ, ઇત્યાદિ નિયમોમાં તત્પર રહેતા હતા. ભોગોપભોગમાં જો કે નિઃસ્પૃહ હતા તો પણ રાજધર્મના પરવશપણાને લીધે પરિમિત For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy