SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૮ (ઔપપાતિક) સૂત્રમાં તથા ભગવતીસૂત્રમાં કહેલું છે, તે આ પ્રમાણે-અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોએ શ્રી વિરપ્રભુ પાસે શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા હતાં. તેમાં સચિત્તનો તેમજ અદત્તાદાનનો સર્વથા ત્યાગ કરેલો હોવાથી તેઓ બીજાના આપેલા પ્રાસુક અન્નજળનો જ આહાર કરતા હતા. એક વખતે ગ્રીષ્મઋતુમાં તેઓ ગંગાને કાંઠે ફરતા હતા, તેવામાં તેમને અતિ તૃષા લાગી. તૃષાથી અત્યંત પીડિત થયા તો પણ તેઓ પોતે ગ્રહણ કરેલા નિયમને દૃઢપણે વળગી રહ્યા કે અમારે કદી પણ સચિત્ત અને અદત્ત જળ સર્વથા ગ્રહણ કરવું નથી. તેમણે સમીપ રહેલા ગંગાના જળને પણ સચિત્ત તેમજ અદત્ત ઘારી ગ્રહણ કર્યું નહીં; અને “અહો! આ અપૂકાય જીવ અમારા કુટુંબી હોવાથી હણવા યોગ્ય નથી' આવું ચિંતવન કરતાં તેઓ ગંગાની રેતીમાં જ અનશન કરી મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં ઇંદ્રસમાન (સામાનિક) દેવતા થયા. આ દ્રષ્ટાંત જાણી શ્રાવકે સચિત્ત વસ્તુનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો; અથવા પ્રત્યેક મિશ્ર વસ્તુ પ્રમુખનું પરિમાણ કરવું. તે વિષે કહ્યું છે કે, “જે નિર્દોષ આહાર, અચિત્ત આહાર અને પરિમિત આહાર વડે આત્માને ઘર્મમાર્ગે પ્રવર્તાવે છે તે ગુણવંત શ્રાવક કહેવાય છે.” તેથી પ્રથમ કહેલા ચૌદ નિયમ લીઘા વગર એક દિવસ પણ નિરર્થક જવા દેવો નહીં. (૨) હવે દ્રવ્યની વ્યાખ્યા કહે છે–સચિત્ત અને વિકૃતિ (વિગઇ) સિવાય જે વસ્તુ મુખમાં નખાય તે સર્વ દ્રવ્ય કહેવાય છે. તેના નામ ખીચડી, રોટલી, નિવીયાતાં, મોદક, લાપસી, પાપડ, ચૂરમું, કરંબો અને ક્ષીર વગેરે. કોઈ દ્રવ્ય ઘણા ઘાન્યાદિકથી નીપજેલું હોય પણ પરિણામાંતરને પામી જવાથી તે એક જ દ્રવ્ય ગણાય છે, અને એક જ ઘાન્યમાંથી બનેલી પૂરી, થૂલી, ઘૂઘરી, રોટલી, સાતપડા, માંડા, માવપુવા, ઢોકળા, ખાખરા, વડા, દહીંથરા વગેરે જુદા જુદા નામવાળા અને જુદા જુદા સ્વાદવાળા હોવાથી તે જુદા જુદા દ્રવ્ય કહેવાય છે. ફળ, ફુલ, ફળી વગેરે એક નામવાળાં છતાં પણ જુદા જુદા સ્વાદ હોવાથી તેમજ પરિણામાંતરને પામેલા નહીં હોવાથી તેનામાં બહુદ્રવ્યપણું રહેલું છે; અથવા બહુશ્રુતની આજ્ઞાથી અન્યથા રીતે પણ દ્રવ્યની સંખ્યા ગણવી. રૂપા વગેરેની શલાકા તથા હાથના અંગુલી વગેરે મુખમાં નખાય છે પણ તે દ્રવ્યમાં ગણાય નહીં. (૩) વિગઇના દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડાઈમાં થયેલા સર્વ પવાન્ન એમ છ ભેદ પડે છે. આમાંથી દરરોજ બની શકે તેટલાનો ત્યાગ કરવો. (૪) ચોથો ભેદ “ઉપાનહ' એટલે પગરખાની જોડ તથા કાષ્ઠની પાદુકા. તેમાં પણ કાષ્ઠની પાવડીથી ઘણા જીવની ઘાત થાય છે, માટે તે ત્યાગ કરવા યોગ્ય છે. (૫) પાંચમો ભેદ “તાંબૂલ' એટલે પાન, સોપારી, કાથો વગેરે સ્વાદિષ્ટ દ્રવ્ય. તેમાં પત્ર તે નાગરવેલ વગેરેના સમજવા. નાગવલ્લીપત્ર હમેશાં જળથી ભીંજેલા રખાય છે તથા તેમાં લીલ, ફૂલ, કુંથવા તથા ઈડા પ્રમુખ ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે અને તેમની વિરાઘના થાય છે; તેથી પાપભીરુ પુરુષો તેનો રાત્રે ઉપયોગ કરતા જ નથી. તેમ છતાં જેઓ ઉપયોગ કરે છે તે દિવસે સારી રીતે શોધીને ઉપયોગ કરે છે. પ્રત્યેક સચિત્ત વસ્તુમાં એક શરીરે એક જીવ હોય છે, પણ જળાદિકમાં અસંખ્ય જીવોની વિરાધના થવાનો સંભવ છે. તે વિષે શ્રી આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશાની વૃત્તિમાં કહ્યું છે કે, “બાદર એકેંદ્રિયમાં જ્યાં એક પર્યાપ્ત જીવ હોય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy