SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૧૪] બીજું ગુણવ્રત-ભોગોપભોગપરિમાણ ૧૫૭ જાય છે. જો ત્રિફળા અથવા રાખ કે ચૂના વગેરેથી પ્રાસુક કર્યું હોય તે ત્રણ મુહૂર્ત (છ ઘડી) પછી પ્રાસુક થાય છે એમ શ્રી જિનેંદ્રપ્રભુએ કહ્યું છે; અને પ્રાસક કર્યા પછી પાછું છ ઘડીએ તે સચિત્ત થાય છે એમ રત્નસંચય નામના ગ્રંથમાં લખ્યું છે. વળી કહ્યું છે કે ગ્રીષ્મઋતુમાં પાંચ પહોર પછી જળ સચિત્ત થાય છે. શીતકાળની ઋતુ સ્નિગ્ધ છે તેથી શિશિર ઋતુમાં ચાર પહોર પછી જળ સચિત્ત થાય છે અને વર્ષાઋતુ અતિ સ્નિગ્ધ છે તેથી તેમાં પ્રાસુક જળ ત્રણ પહોરે સચિત્ત થઈ જાય છે. ઉપર કહેલી મર્યાદાથી અધિક કાળ સુધી જો રાખવું હોય તો તેમાં ક્ષાર, ચૂનો અથવા બકરાની લીંડીઓ નાખવાથી તે સચિત્ત થતું નથી. આ પ્રમાણે પ્રવચનસારોદ્ધારના ૧૩૬મા દ્વારમાં કહેલું છે તે જાણી લેવું. હવે તે જળ બહારના અગ્નિ વગેરે શસ્રના સંપર્કથી વર્ણ ગંધ વગેરે બદલાઈને અચિત્ત થાય ત્યારે વાપરવું, પણ જે સ્વભાવે કરી અચિત્ત થયું હોય તે વાપરવું નહીં. મહાજ્ઞાનીઓ પણ બાહ્ય શસ્ત્રના યોગ વિના અચિત્ત થયેલા જળને ગ્રહણ કરતા નથી; કારણ કે તેમ કરવાથી વ્યવહારમર્યાદા વિચારતાં ઘણા દોષ લાગવાનો ભય રહે છે. તે ઉપર એક કથાપ્રસંગ છે– એક વખતે શ્રી વીરપ્રભુ ઘણા શિષ્યો સાથે વિહાર કરતા હતા. માર્ગમાં એક અચિત્ત સરોવર (સૂર્યના પ્રચંડ તાપ આદિ કારણે) તેમના જોવામાં આવ્યું. તેમાં ત્રસ જીવ કે સેવાળ પણ બિલકુલ નહોતી, તથાપિ તેમણે પોતાના તૃષાતુર શિષ્યોને તે જળ પીવાની આજ્ઞા આપી નહીં. તેવી જ રીતે એક વખત વિહાર કરતાં ઘણા શિષ્યો બહુ જ ક્ષુધાતુર થયા અને દેહચિંતાથી* પીડિત થયા, તે વખતે અચિત્ત તલનું ભરેલું ગાડું જોવામાં આવ્યું, તેમજ બાહ્ય શસ્ત્ર વિના થયેલ અચિત્ત સ્થંડિલ પણ દીઠી તે છતાં તે તલ વાપરવાની કે તેવા સ્થંડિલ ઉપર લ્લે જવાની આજ્ઞા આપી નહીં, કારણ તેઓએ પણ શ્રુતજ્ઞાનને પ્રાધાન્ય આપ્યું છે કે, જેથી સામાન્ય શ્રુતજ્ઞાની પણ બાહ્ય શસ્ત્રના સંપર્ક વિના જળ વગેરેનું અચિત્તપણું સ્વીકારે નહીં; અને કેટલીક અચિત્ત વસ્તુઓ પણ નિઃશંકપણે વાપરે નહીં જેમકે ગળો સૂકી હોય તો પણ તે ઉપર જળ સિંચન કરવાથી તે સચિત્ત થઈ જાય છે. વળી એમ સાંભળ્યું છે કે, ઉદરમાંથી વિષ્ટા દ્વારા નીકળેલા કેટલાક સખ્ત ચીભડાના બીજ પાક્યા વિના નીકળેલા હોવાથી ઊગી નીકળે છે; એથી અચેતન વસ્તુમાં પણ યતના કરવા યોગ્ય છે. આ સચિત્ત અને આ અચિત્ત વિષેની સ્પષ્ટતા બહુશ્રુતના મુખથી નિશ્ચયપૂર્વક કરીને પછી સાતમું વ્રત ગ્રહણ કરવું. તેમાં સચિત્તાદિ સર્વ ભોગ્ય વસ્તુઓના નામ લઈ લઈને જ એનો નિયમ કરવો. આનંદ પ્રમુખ શ્રાવકે કરેલ છે તેમ. જે સર્વથા સચિત્ત વસ્તુનો ત્યાગ કરવા અશક્ત હોય તેમણે પ્રતિદિન એક બે ઇત્યાદિ સંખ્યાથી નિયમ કરવો. એ પ્રકારે જુદી જુદી વસ્તુ પ્રતિદિન ફેરબદલ કરતાં સર્વ સચિત્તનું ગ્રહણ થઈ જાય, અને વિશેષ વિરતિ ન થાય. પણ જો નામ સાથે અમુક અમુક વસ્તુ રાખીને બાકીની સચિત્ત વસ્તુનો યાવજ્જીવ નિયમ કર્યો હોય તો તેથી બાકીની બધી સચિત્ત વસ્તુનો ત્યાગ થઈ જવાથી સ્પષ્ટ રીતે ઘણું ફળ થાય. તે વિષે પૂર્વસૂરિનું વચન છે કે “જેઓ પુષ્પ, ફળ, રસ, મદિરા, માંસ અને મહિલાનો સ્વાદ જાણતાં છતાં તેનો ત્યાગ કરીને વિરતિ થાય છે તેવા દુષ્કરકારકને હું વંદના કરું છું.” સર્વ સચિત્ત વસ્તુના ત્યાગ વિષે અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોનું દૃષ્ટાંત ઉવવાઈ * વડીનીતિ—સ્થંડિલ જવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy