SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૮ વ્યાખ્યાન ૧૧૪ બીજું ગુણવ્રત-ભોગોપભોગપરિમાણ सकृत्सेवोचितो भोगो, ज्ञेयोऽन्त्रकुसुमादिकः । मुहुः सेवोचितस्तूप-भोगः स्वर्णांगनादिकः॥१॥ ભાવાર્થ-“એક વખત સેવવા યોગ્ય અન્ન, પુષ્પ વગેરે તે ભોગ કહેવાય છે અને વારંવાર સેવવા યોગ્ય સુવર્ણ, સ્ત્રી વગેરે તે ઉપભોગ કહેવાય છે.” આ ભોગપભોગ નામનું બીજું વ્રત, ભોગથી અને કર્મથી બે પ્રકારનું છે. તેમાં ભોગ બે પ્રકારનો છે. જે એક વાર કોઠામાં ક્ષેપન કરવા વગેરેથી ભોગવાય તે ભોગ, જેવા કે આહાર, પુષ્પ વગેરે અને જે વારંવાર શરીરના બાહ્ય ભાગથી જ ભોગવાય તે ઉપભોગ, જેવા કે સુવર્ણ, સ્ત્રી વગેરે. આ ભોગપભોગ વ્રત ભોગવવા યોગ્ય વસ્તુઓનું પરિમાણ કરવાથી થાય છે. કહ્યું છે કે-“જેમાં યથાશક્તિ ભોગપભોગ વસ્તુની સંખ્યા વગેરેનું પરિમાણ થાય તે ભોગપભોગમાન નામે બીજું ગુણવ્રત કહેવાય છે.” આ જગતમાં ભોગોપભોગની વસ્તુઓ અપરિમિત છે, તેથી શ્રાવકે તેનું પરિમાણ કરવું જોઈએ. મુખ્યવૃત્તિએ ઉત્સર્ગ માર્ગે તો શ્રાવકે અચિત્તભોજી (અચિત્ત એટલે નિર્જીવ પ્રાસુક અને ભોજી એટલે આહાર-પાણી કરનાર) જ થવું જોઈએ, પણ જો તેમ ન બની શકે તો સચિત્ત વગેરેનું પરિમાણ બાંઘવું. તે પરિમાણ બાંઘવા યોગ્ય વસ્તુ આ પ્રમાણે– સચિત્ત - વ્ર - વિગ૬ - વાહિં - તવોન - વલ્થ - કુસુમેસુI વાહ - સંય – વિવ - વંમ - લિસિ - ન્હા - મસુI. સચિત્ત, દ્રવ્ય, વિગઈ, ઉપાનહ, તાંબૂલ, વસ્ત્ર, પુખ્ત, વાહન, શય્યા, વિલેપન, બ્રહ્મચર્ય, દિશાગમન, સ્નાન અને ભક્તપાન આ ચૌદ પ્રકારના નિયમો કરવાના છે. - (૧) જે સજીવ વસ્તુ તે સચિત્ત કહેવાય છે. તે સજીવ દ્રવ્ય પૂર્વાચાર્યે કહેલી ગાથા વડે જાણી લેવાં. તેમાં પિષ્ટ (લોટ) નું સચિત્તપણું આ પ્રમાણે કહેલું છે–શ્રાવણ તથા ભાદ્રપદ માસમાં પાંચ દિવસ સુધી ચાળ્યા વગરનો મિશ્ર રહે છે. આસો અને કાર્તિક માસમાં ચાર દિવસ મિશ્ર રહે છે, માગશર અને પોષ માસમાં ત્રણ દિવસ મિશ્ર રહે છે, માઘ અને ફાલ્ગન માસમાં પાંચ પહોર મિશ્ર રહે છે, ચૈત્ર અને વૈશાખ માસમાં ચાર પહોર સુઘી મિશ્ર રહે છે, અને જેઠ તથા અષાઢ માસમાં ત્રણ પ્રહર મિશ્ર રહે છે. ત્યાર પછી તે અચિત્ત થઈ જાય છે. પણ જો ચાળ્યો હોય તો એક મુહર્ત પછી અચિત્ત થાય છે. અચિત્ત થયા પછી કેટલે કાળે પાછો બગડે છે, તે વિષે કોઈ ગ્રંથમાં લખેલું જોવામાં આવતું નથી. પણ જ્યાં સુધી તેના વર્ણાદિ બદલાય નહીં અથવા એળ વગેરે જીવાત પડે નહીં ત્યાં સુધી તે કહ્યું છે. હવે જળને માટે સચિત્ત અને અચિત્તપણું આ પ્રમાણે છે : કાચું પાણી તો સર્વથા સચિત્ત જ છે. જો ગૃહસ્થ હંમેશાં તેને ત્યજી દેવાને અશક્ત હોય તો તેણે એક અથવા બે ઘડા વગેરેનું પરિમાણ કરવું. પક્વ (ઉકાળેલું) જળ પણ અમુક કાળ સુઘી અચિત્ત રહે છે. તે વિષે લખ્યું છે કે, “અગ્નિ ઉપર ત્રણ ઉકાળા આવે ત્યારે જળ પ્રાસુક થાય, તેવું જળ સાઘુને કહ્યું. પણ તેમાં એટલું વિશેષ કે ગ્લાન વગેરેને માટે ત્રણ પહોર ઉપરાંત એક મુહૂર્ત સુધી તે રાખી શકાય. તે અચિત્ત જળને મૂકવાનું પણ જો યોગ્ય સ્થાન ન હોય તો તે એક મુહૂર્તની અંદર પણ સચિત્ત થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy