SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૧૩] દિગ્વિરતિ વ્રતનું ફળ ૧૫૫ સિંચન કર.” આ સાંભળી મહાનંદે તેમ કર્યું એટલે તત્કાળ બાળક વિષરહિત થઈ ગયો અને લોકોમાં જૈન ઘર્મનો ઘણો મહિમા થયો. એક વખતે ઘનદત્તશેઠની પ્રેરણાથી પોતાના કુટુંબનો પૂર્વભવ પૂછવા માટે મહાનંદકુમાર આકાશમાર્ગે સીમંઘરપ્રભુની પાસે ગયો. ત્યાં પ્રભુને પ્રણામ કરીને તેણે પોતાના કુટુંબનો પૂર્વભવ પૂછ્યો. પ્રભુ બોલ્યા–“ઘનપુર નગરમાં સુઘન નામે શ્રેષ્ઠી હતો. તેને ઘનશ્રી નામે સ્ત્રી હતી. તે સુઘન શ્રેષ્ઠીને ઘનાવહ નામે એક બાલમિત્ર હતો. તેઓ બન્ને સાથે વ્યાપાર કરતા હતા. સુઘન પોતાના મિત્રનું ઘન ઘરમાં વાપરતો. તેમ વાપરતાં તેણે સો સોનૈયા દ્રવ્ય તેનું બગાડ્યું. બીજા કોઈ એક વણિકના વીશ સોનૈયા આપવાના હતા તે તેણે ઉતાવળથી આપ્યા નહીં એટલે તેની પાસે જ રહી ગયા. ત્રીજા કોઈ વણિકે સુઘનનું લેણું આપતાં દશ સોનૈયા બ્રાંતિથી વધારે આપી દીધા. સુઘનના જાણવામાં તે વાત આવી, પણ તેણે લોભથી પાછા આપ્યા નહીં. આ ત્રણ શલ્યની તેણે ગુરુ પાસે આલોચના પણ કરી નહીં. અન્યદા તેણે કોઈ સાઘર્મીને એકસો સોનૈયા આપીને યાવજીવિત સુખી કર્યો. કહ્યું છે કે, “મૂચ્છિત થયેલા માણસને તે અવસરે જો એક અંજલિ જળ આપ્યું હોય તો તે મરતો બચી જાય છે, પણ તેના મૃત્યુ પામ્યા પછી સો ઘડા પાણી રેડે તો પણ તેથી કાંઈ થતું નથી.” અનુક્રમે સુઘન, ઘનશ્રી, તેનો મિત્ર, પેલા બે વણિક અને પેલો સાઘર્મી એ છયે જણા શ્રાવકધર્મ પાળી મૃત્યુ પામીને સૌઘર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને તે સ્ત્રી પુરુષ ઘનદત્ત અને કુમુદવતી નામે તારા માતા પિતા થયા અને બાકીના ચાર તેના પુત્રો થયા. તેમાં સુઘનનો જીવ તે તારો પિતા અને પેલા સાઘર્મિકનો જીવ તે તું થયો છું. તારા પિતાને જે પહેલો પુત્ર થયો હતો તે ઘનાવહનો જીવ હતો. પૂર્વે તારા પિતાએ પોતાના મિત્ર ઘનાવણની સો સોનૈયાની હાનિ કરી હતી તેથી તેણે પુત્ર થઈને તેનું સર્વસ્વ ગુમાવ્યું. તેણે મનમાં ઘર્મનિંદા કરી હતી તેથી તે અલ્પ આયુષ્યવાળો થયો. બે વચલા પુત્ર જે તારા પિતાને થયા હતા, તેમનું પૂર્વભવનું દેવું હતું, તેથી તે પચાસગણું ને હજારગણું આપવું પડ્યું. આ કુમુદવતીએ પૂર્વભવમાં એક વખતે પોતાના ઘરની મહિષી (ભેંસ)ને બે પાડા અવતર્યા હતા ત્યારે એવું દુર્બાન કર્યું હતું કે, “જો કોઈ આ બે પાડાને હરી જાય તો સારું.' આવા દુર્ગાનથી આ ભવમાં તેને બે પુત્રોનો જન્મતાં જ વિયોગ થયો.” આ પ્રમાણે શ્રી સીમંઘરપ્રભુ પાસેથી પૂર્વભવ સાંભળી મહાનંદકુમાર ઘણો આનંદ પામ્યો, અને નિસંદેહ થઈને પોતાને ઘેર આવ્યો. ત્યાં તે સર્વ વૃત્તાંત તેણે માતાપિતાને જણાવ્યો. તે સાંભળી તેના માતાપિતા વૈરાગ્ય પામી દીક્ષા લઈને સ્વર્ગે ગયા. મહાનંદકુમારે પોતાના પેલા બે સહોદર બંને શોધી કાઢી ઘર્મ પમાડ્યો. પછી પોતે યોગ્ય સમયે દીક્ષા લઈ માહેંદ્ર દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચ્યવીને સિદ્ધિને પામશે. “આ પ્રમાણે ભવ્ય પ્રાણીઓએ જેમાં દિશાઓનો ઘણો સંક્ષેપ કરાય છે તેવા દિગ્વિરતિ વ્રતને સ્વીકારી કષ્ટમાં પણ પોતાની બુદ્ધિ નિશ્ચલ રાખી ઘનદત્ત શેઠના પુત્ર મહાનંદકુમારની જેમ તે વ્રતનું પાલન કરવું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy