SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૧૧]. દિગ્વિરતિ વ્રતના પાંચ અતિચાર ૧૪૯ સમેતગિરિ વગેરે ઉપર સંભવ છે. એવી રીતે સર્વ દિશાઓ માટે જાણી લેવું. યોગશાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે-જે પ્રમાણે વ્રત લીધું હોય તે પ્રમાણે વર્તવું.” હવે પાંચમો અતિચાર કહે છે–પૂર્વાદિ દિશાનું ક્ષેત્ર નિયમિત કર્યું હોય તેમાં વઘારો કરવો, એટલે જુદી જુદી દિશાઓમાં સો સો યોજન જવાનો નિયમ લીધેલો હોય, પછી કોઈ કાર્ય આવી પડવાથી અથવા લોભને લીધે અમુક દિશાએ સો યોજનથી વધારે જાય અને બીજી દિશામાં તેટલા યોજન ઘટાડે; આ પ્રમાણે કરેલા પ્રમાણમાં વઘારો ઘટાડો કરવો, એ ભંગાભંગરૂપ પાંચમો અતિચાર છે.. ઉપર પ્રમાણે દિગ્વિરતિ વ્રતના પાંચ અતિચાર વર્જવા. એ વ્રત ઉપર કુમારપાળ રાજાનો પ્રબંધ છે તે આ પ્રમાણે કુમારપાળ રાજાનો પ્રબંધ એક વખતે પાટણમાં શ્રી હેમાચાર્યે કુમારપાળ રાજાની પાસે છઠ્ઠી વ્રત વિષે આ પ્રમાણે કહ્યું કે, “હે રાજેંદ્ર! વિવેકી પુરુષોએ સર્વદા જીવદયાને માટે છઠું વ્રત ગ્રહણ કરવું. તેમાં પણ વર્ષાકાળમાં તો વિશેષપણે ગ્રહણ કરવું. કહ્યું છે કે- વાર્થ સર્વ નીવાનાં, વર્ષાQત્ર સંવત્ | ભાવાર્થ–“સર્વ જીવોની દયાને માટે વર્ષાઋતુમાં એક સ્થાને જ રહેવું.” પૂર્વે શ્રી નેમિપ્રભુના ઉપદેશથી શ્રી કૃષ્ણ ચાતુર્માસમાં પોતાના નગરની બહાર ન જવાનો નિયમ લીઘો હતો.” આ પ્રમાણે સાંભળી ચૌલુક્યસિંહ કુમારપાળે પણ એવો નિયમ લીઘો કે, “સર્વ ચૈત્યોના દર્શન કરવા જવું અને ગુરુને વંદન કરવા જવું, તે સિવાય હું પ્રાયે નગરમાં પણ ભમીશ નહીં.” તેનો આ નિયમ સર્વત્ર પ્રખ્યાત થઈ પ્રસરી ગયો. આ નિયમની વાર્તા બાતમીદારો દ્વારા ગજનીના રાજા શક યવનપતિ બાદશાહના જાણવામાં આવી, તેથી તત્કાળ ગુર્જર દેશની સમૃદ્ધિ ગ્રહણ કરવાને અને તે દેશને ભાંગવા માટે યવનપતિએ ચડાઈ કરી. આ વૃત્તાંત ચર લોકોથી જાણી ગુર્જરપતિ કુમારપાળ મંત્રી સહિત મોટી ચિંતામાં પડ્યા, પછી ઉપાશ્રયે આવી ગુરુને કહ્યું કે- હે ભગવન્! મોટું ઘર્મસંકટ આવ્યું છે. જો હું તે યવનપતિની સામે નહીં જાઉં તો તેથી દેશનો ભંગ તથા લોકને પીડા થશે અને જો જાઉં છું તો મારા નિયમનો ભંગ થાય છે. ગુરુ બોલ્યા- હે રાજ! તમે આરાધેલો ઘર્મ જ તમારી સહાય કરશે, માટે ચિંતા કરશો નહીં.” આ પ્રમાણે રાજાને ઘીરજ આપીને શ્રી હેમચંદ્રસૂરિ પદ્માસન કરી કોઈ ઇષ્ટ દેવતાનું ધ્યાન ઘરવા બેઠા. એક મુહૂર્ત વ્યતીત થયું તેવામાં આકાશમાંથી એક પલંગ ઊતરતો દીઠો. તે પલંગમાં એક પુરુષ સૂતો હતો. રાજાએ પૂછ્યું કે, “આ પલંગ કોનો છે?” ત્યારે ગુરુએ જે હતું તે યથાર્થ કહ્યું. તે પલંગમાં સૂતેલો પુરુષ યવનપતિ બાદશાહ હતો, તે પલંગમાંથી ઊઠીને આસપાસ જોતાં વિચારમાં પડ્યો કે, “તે સ્થાન ક્યાં ગયું કે જ્યાં મારું સૈન્ય છે? આ ધ્યાન ઘરનાર કોણ છે? વળી આ રાજા પણ કોણ છે?' ઇત્યાદિ તેને ચિંતવન કરતો જોઈ સૂરિ બોલ્યા- “હે યવનપતિ! તું શું વિચાર કરે છે? જે પૃથ્વી ઉપર પોતાના ઘર્મનું એકછત્ર ઐશ્વર્ય ઘારણ કરે, તેને દેવતા પણ સહાય કરે છે. માટે જો તારે સ્વહિત કરવું હોય તો દેવતાઓ પણ જેની શક્તિનું ઉલ્લંઘન કરી શકતા નથી એવા આ વનપંજરરૂપ ઘર્માત્મા રાજાને શરણે જા.” તત્કાળ યવનપતિ ભય, ઉદ્વેગ અને લજ્જને પ્રાપ્ત થયો. પછી સૂરિને પ્રણામ કરી શ્રી કુમારપાળ રાજાને નમ્યો અને બોલ્યો કે-“હે રાજ! મારા Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy