SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૭] પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર ૧૪૧ હમણા તો મારી પાસે કાંઈ પણ દ્રવ્ય નથી, પણ કદી આપના કહેવા પ્રમાણે આગળ મળે તો મારે પાંચ લાખ ઉપરાંતનું દ્રવ્ય ઘર્મમાર્ગે ખર્ચી નાખવું.” તેની દ્રઢતા જોઈ ગુરુએ તેને તે પ્રમાણે પચખાણ કરાવ્યું. ત્યાર પછી દરિદ્રાવસ્થાનું દુઃખ વૃદ્ધિ પામતાં પુત્રને સુંડલામાં મૂકી માથે ઉપાડીને તે માળવા તરફ ચાલ્યો. અનુક્રમે તે દેશના મુખ્ય ગામમાં પેસતાં સર્પને આડો ઊતરતો તેણે જોયો, એટલે તે અટકીને ઊભો રહ્યો. તેવામાં એક શુકનવેત્તા ત્યાં આવી ચડ્યો. તેણે પેથડને પૂછ્યું કે કેમ ઊભો રહ્યો?” તેણે સર્પને આડો ઊતરતો બતાવ્યો. શુકનજ્ઞાતાએ સર્પ તરફ દ્રષ્ટિ કરીને જોયું તો તેના મસ્તક ઉપર કાલીદેવ (ચકલી)ને બેઠેલી જોઈ, તેથી તત્કાળ તે બોલ્યો કે, “જો તું અટક્યા વગર ચાલ્યો ગયો હોત તો તને માળવાનું રાજ્ય મળત. તથાપિ આ શુકનને માન આપી હજુ અંદર પ્રવેશ કર. આ શુકન વડે તું મહા ઘનવાન થઈશ.” શુકનશાસ્ત્રમાં કહ્યું છે કે, “જો ગામથી નીકળતાં ડાબો સ્વર થાય, સર્પ જમણો થાય અને ડાબી તરફ શિયાળ બોલે તો સ્ત્રી સ્વામીને કહે છે કે, સ્વામીનાથ!સાથે કાંઈ ભાતું લેશો નહીં, આ શુકન જ ભાતું આપશે.” પોતાને થયેલા શુકનનું ફળ સાંભળી પેથડ ગામમાં ગયો, ત્યાં ગોગા રાણાના મંત્રીને ઘેર સેવક થઈને રહ્યો. એકદા રાજાએ ઘણા અશ્વો વેચાતા લીઘા તેનું ઘન આપવા મંત્રીને કહ્યું, એટલે મંત્રીએ કહ્યું કે, “મારી પાસે ઘન નથી.” એટલે રાજાએ કહ્યું કે, “ઘન ક્યાં ગયું? નામું બતાવો.” મંત્રી દિમૂઢ થઈ ગયો, તેથી કાંઈ બોલી શક્યો નહીં. તત્કાળ રાજાએ તેને પહેરામાં બેસાડ્યો. આ ખબર મંત્રીની સ્ત્રીને થતાં તેણે તે વૃત્તાંત પેથડની આગળ જણાવ્યો. પેથડ રાજાની પાસે આવ્યો અને બોલ્યો કે, “સ્વામી! મંત્રીને જમવા મોકલો,” રાજાએ કહ્યું કે, “નામું આપ્યા વગર મોકલીશ નહીં.” પેથડે કહ્યું કે, “સ્વામી! હું બેઠો બેઠો એક વર્ષનો હિસાબ આપું છું. મંત્રીજીને જમવા મોકલો.' રાજાએ પૂછ્યું, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું પેથડ નામે તેનો સેવક છું.” પછી રાજાએ તેને છૂટો કર્યો. મંત્રી ભોજન કરી પાછો રાજા પાસે હાજર થયો. રાજાએ પેથડને ચતુર જાણી પોતાનો મંત્રી બનાવ્યો; તેથી અલ્પ સમયમાં પેથડની પાસે પાંચ લાખ દ્રવ્યની સંપત્તિ એકઠી થઈ ગઈ. ત્યાર પછી જે અધિક લાભ થયો તે વડે તેણે ચોવીશ તીર્થકરોના ચોરાશી પ્રાસાદો કરાવ્યા. પોતાના ગુરુ ત્યાં પધાર્યા ત્યારે તેમને નગરમાં પ્રવેશ કરાવતાં બોંતેર હજાર દ્રવ્ય વાપર્યું. બત્રીશ વર્ષની વય થઈ એટલે શીલવ્રત ગ્રહણ કર્યું. શત્રુંજયથી ગિરનાર સુધીની એક ધ્વજા સોનેરી રૂપેરી પટ્ટાવાળી ચડાવી. બાવન ઘડી પ્રમાણ સુવર્ણ દેવદ્રવ્યમાં આપીને ઇંદ્રમાળ પહેરી; અને સિદ્ધગિરિ ઉપર શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યને એકવીશ ઘડી સુવર્ણ વડે મઢીને જાણે સુવર્ણનું શિખર હોય તેવું સુવર્ણમય બનાવ્યું. આ પ્રમાણે તેણે ઘણું દ્રવ્ય ઘર્મકાર્યમાં વાપર્યું. “આ પાંચમું જે પરિગ્રહપરિમાણ નામે વ્રત છે તે ઘર્મને વિષે સંપત્તિનું એક મહતું સ્થાન છે, તેને સંપાદન કરીને જેમ પેથડ શ્રાવકે સ્થાને સ્થાને સમૃદ્ધિ અને સુખ સંપાદન કર્યું તેમ તમે પણ તે વ્રતને દ્રઢતાથી ઘારણ કરવા વડે કરો.” - ~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy