SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૭] પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર ૧૩૯ અનુક્રમે પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી પોતે દીક્ષા લઈને દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી પાંચ ભવ કરીને વિદ્યાપતિ શ્રેષ્ઠી મોક્ષપદને પ્રાપ્ત થયા. “આ પ્રમાણે વિદ્યાપતિનું દૃષ્ટાંત સાંભળી ઘર્મની સ્પૃહાવાળા ભવ્ય પ્રાણીઓએ પરિગ્રહપરિમાણરૂપ પાંચમું વ્રત ગ્રહણ કરવામાં તત્પર થવું.” વ્યાખ્યાન ૧૦૭. પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર હવે વર્જવા યોગ્ય પાંચમા વ્રતના પાંચ અતિચાર કહે છે धनधान्यस्य कुप्यस्य, गवादेः क्षेत्रवास्तुनः । તારી હેનશ્ચ સવ્યતિક્રમોન્ન પરિગ્રહેશો. ભાવાર્થ-“૧ ઘન ઘાન્ય; ૨ સામાન્ય ઘાતુના પાત્રાદિક; ૩ ગાય વગેરે પશુઓ તથા દાસદાસીઓ; ૪ ક્ષેત્ર તથા વાસ્તુ; ૫ રૂપું અને સુવર્ણ–તેની પરિમાણ કરેલી સંખ્યાનો જે અતિક્રમ–તે પાંચ અતિચાર છે. તેનું હવે વિશેષ વર્ણન કરે છે– (૧) ઘન ચાર પ્રકારનું છે. ૧ ગણિમ, ગણી શકાય તેવું જાયફળ, સોપારી વગેરે, ૨ ઘરિમ, તોલની ઘારણ કરીને વેચી શકાય તેવું કેશર, ગોળ વગેરે. ૩ મેદ્ય, માપીને વેચી શકાય તેવું. ઘી, તેલ, લૂણ વગેરે અને ૪ પરિચ્છેદ્ય, છેદીને અથવા પરીક્ષા કરીને વેચી શકાય તેવું. રત્ન, વસ્ત્ર વગેરે. ધાન્ય એટલે ડાંગર વગેરે ચોવીશ પ્રકારનું ધાન્ય. તે ચાર પ્રકારના ઘન અને ચોવીશ પ્રકારના ઘાન્યના કરેલા પ્રમાણને જે અતિક્રમ તે પ્રથમ અતિચાર; એટલે તેનો મૂડા માપ વગેરેથી પરિમાણ બાંધીને નિયમ કર્યો હોય તેના પછી લોભવશ મોટા મૂડા વગેરે બાંઘવા તે અતિચાર છે. (૨) કુષ્ય–એટલે સોનારૂપા સિવાયની ત્રાંબુ, કાંસું, પીતલ વગેરે ઘાત, તેના પાત્રો; માટીના, વાંસના અને કાષ્ઠના પાત્ર તથા હળ વગેરે પદાર્થો, શસ્ત્ર, માંચા અને ગાલમસૂરીઆ વિગેરે ઘરનો ઉપસ્કર (ઘરવકરી) તેનું પરિમાણ સંખ્યાદિ વડે થાય છે. જેમકે આટલી થાળી, પાત્રો અથવા કચોળાં વગેરે રાખવા. એવી નિયમિત સંખ્યા રાખી હોય તેનો અતિક્રમ કરવો, સંખ્યા બરાબર રાખવા માટે પાત્ર ભાંગીને મોટા કરાવવા વગેરે. તે બીજો કુપ્યાતિક્રમ અતિચાર કહેવાય છે. (૩) ગાય વગેરે પશુઓ, બળદ, ભેંસો, આદિ શબ્દથી બપગા દાસદાસી વગેરે તથા ચારપગા પ્રાણીઓ પાડા વગેરે અને હંસ, પોપટ વગરે પક્ષીઓનો સમૂહ જાણવો. તેની કરેલી સંખ્યાનો અતિક્રમ–તે ગવાદિઅતિક્રમ–જેમકે અમુક સંખ્યા પ્રમાણે ગાય, મહિષી, ઘોડી, દાસ દાસી વગેરે રાખેલાં હોય તેમના ગર્ભથી થયેલાં બચ્ચાં હોય તે પરિમાણથી અધિક સંખ્યાએ થતા હોય છતાં ન ગણવા તે તૃતીય ગવાદિ પરિગ્રહાતિચાર. (૪) હવે ક્ષેત્ર એટલે ઘાયની ઉત્પત્તિની ભૂમિ. તે સેતુ, કેતુ અને ઉભય એવા ભેદથી ત્રણ પ્રકારનું છે. તેમાં જેમાં રેંટ વગેરેથી પાણી પવાય તે સેતુક્ષેત્ર, જે વરસાદના પાણીથી નિપજાવાય તે કેતુક્ષેત્ર અને તે બન્ને પ્રકારે જેમાં જળ પવાય તે ઉભય ક્ષેત્ર. વાસ્તુ એટલે ઘર વગેરે, તથા ગામ નગર વગેરે. તેમાં ગૃહાદિ ત્રણ પ્રકારના છે–ખાત, ઉસ્કૃિત અને ખાતોષ્કૃિત–તેમાં જે ભૂમિગૃહાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy