SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૮ કહી બતાવ્યું અને જણાવ્યું કે, “આ લોકમાં જેની પાસે ઘન હોય તેને શત્રુ પણ સ્વજન થઈ જાય છે અને દરિદ્રીને સ્વજન હોય તે પણ શત્રુ થાય છે. જે અપૂજ્ય છતાં પૂજાય છે, જે અમાન્ય છતાં માન પામે છે અને જે અવંદ્ય છતાં વંદાય છે તે ઘનનો પ્રભાવ છે.'' શૃંગારમંજરી બોલી સ્વામી! તમે શા માટે ખેદ કરો છો? લક્ષ્મી ઘર્મ વડે જ સ્થિર થાય છે. જ્યાં સુધી પાંચમું પરિગ્રહ પરિમાણવ્રત ન લીધું હોય ત્યાં સુધી ત્રણ ભુવનની લક્ષ્મીના પરિગ્રહથી જે પાપ થાય તે અવિરતિ વડે લાગ્યા કરે છે.” આવા પ્રિયાના વચનથી વિદ્યાપતિએ પાંચમું વ્રત અંગીકાર કર્યું અને સાત ક્ષેત્રમાં લક્ષ્મી વાપરવા માંડી. આઠ દિવસમાં સર્વ લક્ષ્મી વાપરી નાખી. આઠમાં દિવસની રાત્રીએ તેણે વિચાર્યું કે, “હવે લક્ષ્મી વિના પ્રાતઃકાળે યાચકોને મુખ શી રીતે બતાવી શકાશે? તેથી વિદેશમાં ચાલ્યા જવું તે જ ઉત્તમ છે.” આવી ચિંતા કરતો તે સૂઈ ગયો. નિદ્રામાં પોતાનું ઘર લક્ષ્મીથી પરિપૂર્ણ તેના જોવામાં આવ્યું. જાગૃત થયો એટલે પ્રત્યક્ષ લક્ષ્મીને જોઈને તેણે સંઘ કાઢી ચતુર્વિધ સંઘને શત્રુંજયની યાત્રા કરાવવામાં ઘનવ્યય કરવાનો સંકલ્પ કર્યો. હવે જ્યારે નવમો દિવસ પૂરો થયો ત્યારે તેણે વિચાર્યું કે, “આવતી કાલે દશમો દિવસ છે, તેથી કદી લક્ષ્મી જવાની હોય તો ભલે સુખેથી જાઓ.” આવું વિચારી તે સૂઈ ગયો. લક્ષ્મીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, “હું તારા પુણ્યથી વિશેષ વઘીને તારા ઘરમાં સ્થિર થઈ છું, કારણ કે त्रिभिर्वस्त्रिभिर्मासैस्त्रिभिः पक्षस्त्रिभिर्दिनैः । अत्युग्रपुण्यपापानामिहैव फलमश्रुते ॥१॥ ભાવાર્થ-“અતિ ઉગ્ન કરેલા પુણ્ય અને પાપનું ફળ ત્રણ વર્ષે, ત્રણ માસે, ત્રણ પખવાડીએ અથવા ત્રણ દિવસે અહીં જ પ્રાપ્ત થાય છે,’ એમ શાસ્ત્રમાં કહેલું છે. વળી તે વિષે શ્રી હર્ષ કવિ લખે છે કે, “સંપત્તિ અને વિપત્તિ પૂર્વ પુણ્ય સંબંથી વૈભવના બંઘથી અને નાશથી પ્રાપ્ત થાય છે; અર્થાત્ પુણ્યવૈભવના બંઘથી સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પુણ્યવૈભવને નાશથી વિપત્તિ પ્રાપ્ત થાય છે; તેથી એ સંપત્તિને સુપાત્રના કરકમલમાં અર્પણ કરવી. કારણ કે તે વિધિએ બતાવેલું તેનું શાંતિક પૌષ્ટિક કર્મ છે; અર્થાત્ સંપત્તિને જો સુપાત્રમાં અપાય તો તે વિપત્તિને અટકાવવામાં શાંતિક પૌષ્ટિક કર્મરૂપ થાય છે. માટે તે શ્રેષ્ઠી! હું હવે તારા ઘરમાંથી નીકળી શકું તેમ નથી. તેથી યથેચ્છ રીતે મને ભોગવજે.” વિદ્યાપતિએ જાગૃત થઈ પોતાની પ્રિયાને કહ્યું, ‘પ્રિયે! લક્ષ્મી આપણા ઘરમાં સ્થિર થઈ છે, પરંતુ જો તેથી આપણા પાંચમા વ્રતનો ભંગ થાય તેમ હોય તો આપણે તેને છોડીને અહીંથી ચાલ્યાં જઈએ.” સ્ત્રીએ તેમ કરવાની સંમતિ આપી, એટલે તે દંપતી પ્રાતઃકાળે ઘર છોડીને ચાલી નીકળ્યા. નગરની બહાર નીકળતાં જ પંચદિવ્યથી રાજ્ય મળ્યું. મંત્રી વગેરે પ્રાર્થના કરીને વિદ્યાપતિને રાજભવનમાં લઈ ગયા. તેણે વ્રતભંગના ભયથી રાજ્યાભિષેક કરવાની ના પાડી, તેવામાં આકાશવાણી થઈ કે, “અરે શ્રેષ્ઠી! અદ્યાપિ તારે ભોગ્યકર્મ છે, તેથી લક્ષ્મીનું ફળ ગ્રહણ કર.” આ પ્રમાણે સાંભળ્યું એટલે તેણે રાજ્યસિંહાસન ઉપર શ્રી વીતરાગની પ્રતિમા બેસાડી, મંત્રીઓને રાજ્યકાર્ય સોંપી દીધું અને ન્યાયપૂર્વક જે દ્રવ્ય આવે તે બધું જિનનામથી અંકિત કરવા માંડ્યું. પોતે ગ્રહણ કરેલો નિયમ છોડ્યો નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy