SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ (dબ ૮) વ્યાખ્યાન ૧૦૬ પાંચમું અણુવ્રત-પરિગ્રહપરિમાણ હવે પરિગ્રહ પરિમાણ નામે પાંચમું વ્રત કહે છે परिग्रहाधिकं प्राणी, प्रायेणारंभकारकः । स च दुःखखनिनूनं, ततः कल्प्या तदल्पता ॥१॥ ભાવાર્થ-“પ્રાણી પ્રાયે અધિક પરિગ્રહને માટે આરંભ કરે છે અને તે પ્રાણીને નિશ્ચય કરીને દુઃખની ખાણરૂપ થાય છે. તેથી પરિગ્રહની અલ્પતા કરવી જોઈએ.” સમસ્ત પ્રકારના ઘનાદિનું જે ગ્રહણ કરવું તે પરિગ્રહ કહેવાય છે. તેવા પરિગ્રહ વડે જે અધિક હોય તે પરિગ્રહાદિક પ્રાણી કહેવાય છે. તેવા પ્રાણી પ્રાયે અધિક આરંભ કરે છે. કોઈ પ્રાણી સંપ્રતિરાજાની જેમ તેવા પરિગ્રહ (ઘન)ને શુભ ક્ષેત્રમાં પણ વાવે છે; તેથી મૂળ શ્લોકમાં પ્રા–“પ્રાયે કરીને એ પદનું ગ્રહણ કરેલું છે. તે પરિગ્રહ નિશ્ચયે દુઃખની ખાણરૂપ છે, માટે તેની અલ્પતા (ઓછાપણું) કરવી; એટલે આટલું જ ઘન રાખવું એવો નિયમ કરવો. અહીં એવી ભાવના છે કે, પરિગ્રહ બે પ્રકારનો છે–બાહ્ય અને અત્યંતર, ઘન ઘાન્યાદિ તે બાહ્ય પરિગ્રહ અને રાગદ્વેષાદિ તે અત્યંતર પરિગ્રહ, અથવા સચિત્ત અને અચિત્ત એવા પણ પરિગ્રહના બે પ્રકાર છે. સચિત્ત પશુ, દાસી (દ્વિપદ, ચતુષ્પદ) વગેરે અને અચિત્ત વસ્ત્ર આભૂષણ વગેરે. તેમાં ગૃહસ્થ (શ્રાવકે) સચિત્તાચિત્તાદિ પરિગ્રહના અપરિમાણપણાથી વિરામ પામવું; એટલે કે તે સંબંધી ઇચ્છાનું પરિમાણ કરવું એ પરિગ્રસ્પરિમાણ નામનું પાંચમું અણુવ્રત કહેવાય છે. હવે તેનું ફળ બતાવી પરિગ્રહનો નિયમ કરવાની આવશ્યકતા બતાવે છે. परिग्रहमहत्वाद्धि, मज्जत्येव भवांबुधौ । મહાપત વ પ્રાળ, ચનેસ્માત્મરિગ્રહમ્ ારા ભાવાર્થ-“જેમ ઘણા ભારથી વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ પ્રાણી ઘણા પરિગ્રહથી સંસારસમુદ્રમાં ડૂબી જાય છે, તેથી પ્રાણીએ પરિગ્રહને તજી દેવો.” અર્થાત્ પરિમાણ વગરના પરિગ્રહને ઘારણ કરનાર પ્રાણી તેવા વહાણની જેમ આ સંસારમાં એટલે કે નરકાદિ દુર્ગતિમાં ડૂબી જાય છે, તેથી ગૃહસ્થ ઘનાદિક પરિગ્રહ સંબંઘી ઇચ્છાપરિમાણ કરવું. તે વિષે વિદ્યાપતિનો પ્રબંઘ છે તે આ પ્રમાણે વિધાપતિની કથા પોતનપુર નગરમાં સૂર નામે રાજા હતો. તે નગરમાં વિદ્યાપતિ નામે ઘનાક્ય અને જૈન શ્રેષ્ઠી રહેતો હતો. તે શ્રેષ્ઠીને શૃંગારમંજરી નામે સ્ત્રી હતી. એકદા વિદ્યાપતિને સ્વપ્નમાં લક્ષ્મીદેવીએ આવીને કહ્યું કે, “હું તારા ઘરમાંથી આજથી દશમે દિવસે ચાલી જઈશ.” વિદ્યાપતિ તરત જ જાગી ગયો અને હું નિર્ધન થઈ જઈશ” એવી ચિંતા કરવા લાગ્યો. કહ્યું છે કે-“આ લોકમાં જે પ્રાણી પ્રકૃતિથી (મૂળથી) નિર્ણન હોય તેને તેવી પીડા થતી નથી કે જેવી પીડા દ્રવ્ય મેળવ્યા પછી નિર્ધન થયેલાને થાય છે.” શૃંગારમંજરીએ પતિને ઉદ્વેગનું કારણ પૂછ્યું ત્યારે તેણે સ્વપ્નનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy