SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ જો કે વર્ષાઋતુમાં સર્વ દિશાઓમાં ગમન કરવાનો નિષેઘ છે; છતાં કદી સર્વ દિશાનો નિયમ ન કરી શકાય તો જે દિશામાં ગયા વગર નિર્વાહ થાય તેમ ન હોય તે સિવાય બીજી દિશાઓમાં ન જવાનો નિયમ લેવો. એ જ પ્રમાણે જો સર્વ સચિત્ત વસ્તુઓનો ત્યાગ થઈ શકે નહીં તો જેના વિના નિર્વાહ ન ચાલે તે સિવાય બીજી વસ્તુઓનો ત્યાગ કરવો. જેમ નિર્ધનને હાથી, ઘોડા અને મરુદેશમાં નાગરવેલ તેમજ પોતપોતાના સમય વગર આમ્રફળ વગેરે અપ્રાપ્ય છે તેનો તે સ્થિતિમાં, તે દેશમાં, તે કાળે પણ ત્યાગ થાય તો તેથી વિરતિરૂપ મહાફળ પ્રાપ્ત થાય છે. અન્યથા તે તે વસ્તુનું ગ્રહણ કરવાપણું પ્રાપ્ત નહીં થતાં છતાં પણ પશુની જેમ અવિરતિપણાનું પાપ લાગ્યા કરે છે અને તે તે નિયમના ફલથી વંચિત થવાય છે. જેમ એક જ વાર ભોજન કર્યા છતાં પણ પચખાણ કર્યા વગર એકાસણાનું ફળ મળે નહીં તેમ નિયમ કર્યા વગર વિરતિનું ફળ મળતું નથી. અછતી વસ્તુનો પણ નિયમ લીઘો હોય તો કદી કોઈ વાર તેનો યોગ મળી જાય તો પણ નિયમ ગ્રહણ કરેલો હોવાથી તે વસ્તુનું ગ્રહણ થતું નથી, તેથી તેને નિયમનું ફળ સ્પષ્ટ રીતે થાય છે. જેમ વંકચૂલ નામના ચોરના સ્વામીએ ગુરુ પાસે અજાણ્યા ફળ ન ખાવા એવો નિયમ લીઘો હતો; તે એક વાર અરણ્યમાં બીજા ચોરો સાથે ગયો. ત્યાં સઘળા સુથાર્ત થયા, ત્યારે ચોર લોકો કિંપાક જાતિના વિષફળ લઈ આવ્યા. તે ખાવાની બીજાઓએ ઘણી પ્રેરણા કરી, તથાપિ અજાણ્યા ફળના નિયમને લીધે વંકચૂલે તે ખાધાં નહીં. અને બીજા સાથેના ચોરોએ બાઘાં તેથી તેઓ મૃત્યુ પામ્યા અને વંકચૂલ બચ્યો. માટે એક પક્ષનો, એક માસનો, બે માસનો, ત્રણ માસનો, વા એક, બે કે ત્રણ વર્ષ સુધીનો યથાશક્તિ નિયમ લેવો. જે માણસ જેટલા વખત સુધી નિયમો પાળી શકે તેટલા વખત માટે નિયમો ગ્રહણ કરવા. પરંતુ ક્ષણવાર પણ નિયમ વગર રહેવું નહીં. કારણ કે વિરતિનું મોટું ફળ છે અને અવિરતિથી ઘણા કમૌનો બંઘ થવા વગેરે અનેક દોષ છે. વર્ષા ચાતુર્માસમાં વિશેષપણે નિયમ ગ્રહણ કરવા તે આ પ્રમાણે-દરરોજ બે વાર ત્રણ વાર દર્શન કરવા, અષ્ટપ્રકારી પૂજા કરવી, સંપૂર્ણ દેવવંદન કરવું, (ત્રણ કાળ દેવ વાંદવા), સર્વ જિનબિંબનું અર્ચન અને વંદન કરવું, સ્નાત્ર મહોત્સવો કરવા, ગુરુને દ્વાદશાવર્ત વંદના કરવી, અપૂર્વ જ્ઞાનનો અભ્યાસ કરવો, વૈયાવચ્ચ કરવી, બ્રહ્મચર્ય પાળવું, પ્રાસુક જળ પીવું, સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો; વળી વાદળામાંથી જળવૃષ્ટિ થાય ત્યારે રાયણ, આંબા વગેરેના ફળમાં એળો પડે છે તેથી તેનો ત્યાગ કરવો. આદ્ર નક્ષત્ર બેસતાં પક્વ આમ્રફળમાં તેમજ તેના રસમાં કીડા જેવા તેના જેવા જ વર્ણવાળા જીવો ઉત્પન્ન થાય છે, તેથી તેનો તેમજ વાસી કઠોળથી બનેલા પુડલા, વડાં વગેરેનો ત્યાગ કરવો. પાપડ, વડી, સૂકાં શાકભાજી, સર્વ જાતના તાંદલજા વગેરે પત્રશાક, ખારેક, ટોપરા, સૂકી રાયણ, ખજૂર, દ્રાક્ષ, નહીં ઘોયેલી ખાંડ અને સૂંઠ વગેરેમાં લીલફુલ અને કુંથવા તથા ઇયળ વગેરે ઉત્પન્ન થવાનો સંભવ હોવાથી તે તે પદાર્થો ત્યજી દેવા. કદી ઔષધિ વગેરેમાં તેમાંની કોઈ ચીજની જરૂર પડે તો તેને યતનાથી શોધીને ગ્રહણ કરવી. બની શકે તો ચોમાસામાં ખાટલા ઉપર સૂવું, દાતણ અને જોડા વગેરેનો ત્યાગ કરવો; વર્ષા ચાતુર્માસમાં પૃથ્વી ખોદવાનો, નવીન વસ્ત્ર રંગાવવાનો અને ગ્રામાંતર ગમન કરવા વગેરેનો નિષેધ કરવો. વસ્ત્ર ઘોવરાવવાનું પણ પરિમાણ બાંધવું. વર્ષાઋતુમાં પૃથ્વી ઉપર લીંપવાનો અને છાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy