SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૪] ચાતુર્માસના વ્રતોનું વર્ણન “આ પ્રમાણે તે રાણી પ્રાંતે શીલવ્રતને પામ્યા છતાં નુપૂરપંડિતાની અસતીપણાની અપકીર્ત્તિનો નાદ અદ્યાપિ વિરામ પામતો નથી.’ ાખ્યાન ૧૦૪ ચાતુર્માસના વ્રતોનું વર્ણન ચોથા વ્રતને ધારણ કરનાર શ્રાવક આષાઢ ચાતુર્માસના સત્કૃત્યો અવશ્ય કરે છે, તેથી હવે ચાતુર્માસના કૃત્યોનું વર્ણન કરે છે— आषाढाख्यचतुर्मास्यां, विशेषाद्विधिपूर्वकम् । अभिग्रहाः सदा ग्राह्याः सम्यगर्हा विवेकिभिः ॥ १॥ ૧૨૭ ભાવાર્થ—‘‘વિવેકી પુરુષોએ આષાઢ ચાતુર્માસને વિષે હંમેશા પોતાને યોગ્ય એવા અભિગ્રહો વિધિપૂર્વક વિશેષે ઘારણ કરવા.’ "" આનો ભાવાર્થ એવો છે કે, પ્રથમ દ્વાદશ વ્રતનું ઉચ્ચારણ કરતી વખતે જેણે પાંચમું વ્રત આદર્યું હોય તેણે અવશ્ય કરીને તે નિયમોમાં દરેક ચાતુર્માસે સંક્ષેપ કરવો એટલે મોકળું રાખેલું હોય તેમાંથી ઓછું કરી તે નિયમો પાળવા. અને જેણે પાંચમું વ્રત અંગીકાર કર્યું ન હોય તેણે પણ પ્રત્યેક ચાતુર્માસે યોગ્ય અભિગ્રહો સ્વીકારવા. તેમાં પણ આષાઢાદિ ચાતુર્માસમાં તો તે વિશેષપણે વિધિપૂર્વક ગ્રહણ કરવા. વર્ષાઋતુમાં ગાડાં હાંકવા, રથ જોડવા, હળથી ખેડ કરવી, ઘોડેસવાર થઈ ફરવું વગેરે નિષેધ કરવા યોગ્ય છે, કારણ કે ભૂમિ સાથે મેઘના જળનો સ્પર્શ થવાથી લીલા ઘાસના અંકુરો, સૂક્ષ્મ સંમૂર્છિમ દેડકીઓ, પાંચે વર્ણની લીલફૂલ, અળસિયાં, શંખજાતિના જીવો, મમોલા, કાત્રા, ચુડેલના ગુચ્છો અને ભૂમિછત્ર (બિલાડીના ટોપ) વગેરે અનેક જીવોની ઉત્પત્તિ થવાનો સંભવ છે. તથા ચાતુર્માસમાં એવા જીવોની રક્ષા માટે પૂર્વોક્ત શકટખેટનાદિનો અભિગ્રહ ધારણ કરવો યોગ્ય છે. કદી જો કૃષિકર્મ વગેરેથી જ આજીવિકા હોય તો એક બે વગેરે ક્ષેત્ર ખેડવાની છૂટ રાખી તેથી વિશેષ ક્ષેત્ર ખેડવાનો ત્યાગ કરવો. મુખ્ય રીતે તો વર્ષાકાળમાં સર્વ દિશાઓમાં ગમનાગમન કરવાનો નિષેધ કરવો ઉચિત છે, જેવો નિયમ કૃષ્ણ વાસુદેવ અને કુમારપાળે લીધો હતો. કહ્યું છે કે, “વાર્થ સર્વભૂતાનાં વર્ષાવેત્ર સંવક્ષેત્–સર્વ જીવોની દયા માટે વર્ષાઋતુમાં એક જ સ્થાને વસવું.’ પૂર્વે શ્રી નેમિપ્રભુના ઉપદેશથી શ્રીકૃષ્ણ વાસુદેવે ચાતુર્માસ સુધી દ્વારિકાની બહાર ન જવાનો નિયમ લીધો હતો અને કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિના વચનથી નિયમ લીધો હતો કે, ‘‘સર્વ ચૈત્યોનું દર્શન અને ગુરુનું વંદન મૂકીને પ્રાયઃ નગરને વિષે પણ ભમીશ નહીં.’’ Jain Education International એકવચનીપણામાં યુધિષ્ઠિર જેવા કુમારપાળ રાજાએ અંગીકાર કરેલા પૂર્વોક્ત નિયમને મોટું કાર્ય પડ્યે છતે પણ છોડી દીધો નહોતો. શકદેશનો મ્લેચ્છ રાજા કુમારપાળના એ નિયમની વાત જાણીને તેના દેશનો ભંગ કરવા માટે આવ્યો, છતાં અભિગ્રહધારી કુમારપાળરાજા વર્ષાઋતુમાં તેની સામે યુદ્ધ કરવા ગયો નહીં. રાજાને ઘર્મમાં સ્થિર કરવા માટે હેમચંદ્રસૂરિએ દેશભક્તિથી તે મ્લેચ્છરાજાને બાંધી અણાવ્યો અને પોતાના રાજ્યમાં છ માસ પર્યંત જીવ ન હણવાની કબૂલાત કરાવ્યા પછી તેને છૂટો કર્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy