SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૭ ઉપર ચડાવીને ઝંપાપાત કરાવો.' પછી મહાવત તે રાણીને હાથી ઉપર બેસાડી હાથીને પર્વતના શિખર ઉપર લઈ ગયો. ત્યાં હાથીનો પહેલાં એક પગ ઊંચો કરાવ્યો, પછી બે પગ ઊંચા કરાવ્યા અને છેવટે ત્રણ પગ ઊંચા કરાવી એક પગે ઊભો રાખ્યો. હાથીની આ કળાથી રંજિત થયેલા લોકોએ રાજાને વિનંતિ કરી કે, ‘સ્વામી! આવા ગજેંદ્રરત્નને મારવો યોગ્ય નથી.' રાજાએ તેને અભયદાન આપ્યું, અને મહાવતને કહ્યું કે, ‘તે હાથીને ગિરિથી નીચે ઉતારી દે.’ મહાવતે કહ્યું કે, ‘જો અમને અભયદાન આપો તો હું તેને કુશળતાથી નીચે ઉતારું.’ રાજાએ તેને પણ અભયદાન આપ્યું. એટલે તેણે હાથીને હળવે હળવે ક્ષેમકુશળ નીચે ઉતાર્યો. પછી રાણીને અને મહાવતને રાજાએ દેશપાર કર્યો. રાણી અને મહાવત ત્યાંથી નીકળીને આગળ જતાં માર્ગમાં એક દેવાલય આવ્યું, ત્યાં રાત્રિ પડવાથી તે બન્ને સૂઈ ગયા. તેવામાં કોઈ ચોર ગામમાંથી ચોરી કરીને ત્યાં આવ્યો. કોટવાલને તેની ખબર પડતાં તેણે આવીને દેવાલયને ઘેરી લીધું. અંદર મહાવત તો નિદ્રાવશ થઈ ગયો હતો, પણ પેલા ચોરના કરસ્પર્શથી રાણી જાગ્રત થઈ અને તેને જોઈને બોલી કે, ‘તું મને સ્ત્રી તરીકે અંગીકાર કર.’ ચોરે કહ્યું કે, ‘જો તું પ્રાતઃકાલે કોટવાલ પાસે મને તારો સ્વામી કહી મારા જીવની રક્ષા કરે તો હું તારો સ્વામી થઈ તને સ્વીકારું.' તેણે તે વાત કબૂલ કરી. પ્રાતઃકાળે કોટવાલે સુભટો સાથે અંદર પ્રવેશ કરીને પૂછ્યું કે, ‘તમારામાં કોણ ચોર છે?' રાણીએ આંખથી ઇશારો કરીને મહાવતને બતાવ્યો, એટલે તેઓએ તેને પકડી ગુનો સાબિત ગણીને શૂળીએ ચડાવી દીધો. શૂળી ઉપર રહ્યા સતા તેને તૃષા લાગી, તેથી માર્ગે ચાલ્યા જતા કોઈ શ્રાવકને દેખીને તેણે તેની પાસે જળ માગ્યું. શ્રાવક તેને નવકારમંત્રનું પદ આપી જળ લેવા ગયો. તેના આવ્યા અગાઉ શૂળી ઉપર નવકાર મંત્રનું સ્મરણ કરતો મહાવત મૃત્યુ પામીને વ્યંતરનિકાયમાં દેવ થયો. અહીં પેલી દુષ્ટ રાણી ચોરની સાથે ચાલી નીકળી. માર્ગમાં એક નદી આવી. નદીમાં પૂર જોઈ ચોરે કહ્યું કે, ‘પ્રથમ તારા વસ્ત્રાદિ મને આપ, તેને પેલે તીર મૂકી આવીને પછી હું તને સુખેથી લઈ જઈશ. હું આવું નહીં ત્યાં સુધી તું અહીં રહેજે.’ તેણે તેમ કર્યું. ચોરે નદીને સામે તીરે જઈને વિચાર્યું કે, ‘આ સ્ત્રી પોતાના પતિની જેમ મને પણ દુઃખમાં પાડશે તેથી એનો સંગ કરવો યોગ્ય નથી.’ આવું વિચારી તે ચોર પોતાનો સ્વાર્થ સાથી તેને છોડીને પરભાર્યો ચાલ્યો ગયો. અહીં રાણી નગ્નપણે હતાશ થઈ સતી વનમાં ભમતી પોકાર કરવા લાગી. એવામાં વ્યંતર થયેલો તેનો પતિ શિયાળનું રૂપ લઈને તેને પ્રતિબોધ કરવા આવ્યો. તેણે મુખમાં માંસ રાખ્યું હતું, તે માંસની પેશી નદીના તીર ઉપર મૂકી નદી કાંઠે આવેલા મત્સ્યને પકડવા દોડ્યો. એટલે મત્સ્ય તો નદીના જળમાં પેસી ગયો, અને પેલું માંસ હતું તે સમડી ઉપાડી ગઈ. તે વખતે શિયાળ વીલખો થઈ આમતેમ જોવા લાગ્યો. તે જોઈ રાણી બોલી કે−‘અરે મૂર્ખ!તું ઉભયભ્રષ્ટ થયો, હવે શું જુએ છે!' શિયાળ બોલ્યો−‘અરે સ્ત્રી! તું તો ત્રણથી ભ્રષ્ટ થઈ છે, હવે બીજાના દોષ શા માટે જુએ છે?’ એ પ્રમાણે કહીને તેણે પોતાનું દિવ્યરૂપ પ્રગટ કરી કહ્યું કે, ‘અરે પાપિણી! તેં જેને મારી નખાવ્યો હતો તે જ હું મહાવત છું. જૈન ધર્મના પ્રભાવથી મને આ ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ છે, માટે તું પણ તે ધર્મને અંગીકાર કર.' રાણીએ તે વાત સ્વીકારી. એટલે તેણે તેને કોઈ સાધ્વી પાસે મૂકી. ત્યાં તે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે સદ્ગતિને પામી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy