SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૭ વ્યાખ્યાન ૧૦૩ સ્ત્રીચરિત્ર અગમ્ય સ્ત્રીચરિત્ર જાણવાને કોઈ પણ કુશળ નથી તે વિષે કહે છે. सुश्लिष्टामपि च स्त्रीणा-महो कपटनाटकम् । न स्याद्वेघापि मेधावी, तस्य तत्त्वावबोधने ॥१॥ ભાવાર્થ-“સ્ત્રીઓનું કપટરૂપ નાટક એવું યોજાયેલું હોય છે કે જેનું તત્ત્વ સમજવાને બુદ્ધિવાન (બ્રહ્મા)નું ડહાપણ પણ કામ લાગતું નથી.” તે વિષે નુપૂરપંડિતાનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે નુપૂરપંડિતાની કથા રાજગૃહી નગરીમાં દેવદત્ત નામે એક સોની રહેતો હતો. તેને દેવદિન્ન નામે એક પુત્ર હતો. તેને દુર્ગિલા નામે સ્ત્રી હતી. એક વખતે તે ઝીણા અને આર્તવસ્ત્ર પહેરી નદીમાં સ્નાન કરતી હતી. તેવી જ સ્થિતિમાં કોઈ નાગરિક પુરુષના જોવામાં આવી. તેને જોઈ મોહ પામીને તે પુરુષ આ પ્રમાણે બોલ્યો-“સુંદરી! આ નદી અને વૃક્ષો, “તે સારી રીતે સ્નાન કર્યું?” એમ પૂછે છે અને હું તો તારા ચરણકમલમાં પડીને પૂછું છું.” દુર્ગિલાએ તેને ઉત્તર આપ્યો કે-“મને સ્નાન વિષે પૂછનારા નદી તથા વૃક્ષોનું કલ્યાણ થાઓ; અને મને તે વિષે પૂછનાર પુરુષનું મનઇચ્છિત હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે સાંભળી તે નાગરિક તેને મળવાને ઉત્સુક થયો. પછી તે કોઈ તાપસીને મળ્યો અને તેને પોતાની ઇચ્છા સમજાવી દુર્ગિલાને ઘેર મોકલી. તેણે દુર્ગિલાને પેલા નાગરિકના પ્રેમની વાત કરી એટલે દુર્ગિલા બોલી–“અરે પાખંડિની! તું આવું અશ્રાવ્ય કેમ બોલે છે? મારા ઘરમાંથી ચાલી જા.” આમ કહીને ઘરમાંથી નીકળતી તે તાપસીના પૃષ્ઠ ઉપર તેણે કલનો થાપો માર્યો. તાપસીએ નાગરિક પાસે આવી પોતાના અપમાનનું વૃત્તાંત જણાવ્યું; અને પૃષ્ઠ ભાગ બતાવ્યો. તે જોઈ નાગરિક સમજી ગયો કે, તે ચતુરાએ મને કૃષ્ણપક્ષની પંચમીની રાત્રે મળવાનો સંકેત આપ્યો છે. પણ કયા સ્થળે મળવું? તે જણાવ્યું નથી. તેથી તેણે તાપસીને પુનઃ ભિક્ષા માગવાને મિષે તેને ઘેર મોકલી. તાપસી ત્યાં જઈને બોલી કે “હે સુંદરી! તે નાગરિકને મળવાનું સ્થળ કહે.” એટલે દુર્ગિલાએ રોષ કરી તેને હાથે પકડી પછવાડેના વાડામાં આવેલા અશોક વૃક્ષ તળે થઈને પાછલે દ્વારે કાઢી મૂકી. તાપસીએ તે વાત પેલા પુરુષ આગળ જણાવી. એટલે તેણે જાણ્યું કે, “કૃષ્ણપંચમીએ વાડામાં અશોક વૃક્ષ તળે તેનું મળવું થશે.” જ્યારે સંકેતનો દિવસ આવ્યો ત્યારે તે ત્યાં ગયો. બન્ને ત્યાં મળ્યા અને વિનોદ કરતાં તેમના નેત્ર મુદ્રિત થઈ ગયાં. તે વખતે તેનો સસરો દેવદત્ત મૂત્રોત્સર્ગ કરવા ત્યાં આવ્યો. ત્યાં પુત્રવધૂ સાથે બીજા પુરુષને જોઈ તેના ડાબા પગમાંથી એક નુપૂર કાઢી લીધું. તત્કાળ દુર્ગિલાના જાણવામાં તે વાત આવી, એટલે તેણે પેલા જારને જગાડી શિખડાવીને તેને ઘેર મોકલી દીઘો. પછી પોતાના ઘરમાં જઈ પોતાના પતિને મધુર વાણીથી કહ્યું કે, “પ્રાણેશ! ચાલો, આજ તો આપણે અશોક વૃક્ષ નીચે જઈને નિદ્રા લઈએ.” પતિએ કબૂલ કર્યું, એટલે બન્ને જણ ત્યાં જઈને સૂતા. થોડી વાર પછી નિદ્રા પામેલા પતિને જગાડીને સ્ત્રીએ કહ્યું કે, “તમારા કુળમાં આ કેવી રીતે કહેવાય કે સસરો જાતે આવી પુત્રવધૂના પગમાંથી નુપૂર કાઢી લે?” તે સાંભળી તેના પતિને ક્રોઘ ચડ્યો. તેથી પ્રાતઃકાળે તેણે પોતાના પિતાને કહ્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy