SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ સ્તિંભ ૭ ભાવાર્થ-“અબ્રહ્મ (મૈથુન) સેવન કરવાથી મનુષ્યોના વચનસિદ્ધિ, મંત્રસિદ્ધિ, રસાદિકની સિદ્ધિ અને કીર્તિ વગેરે ગુણો તત્કાળ નાશ પામી જાય છે.” તે વિષે સત્યકી વિદ્યાઘરનો સંબંઘ છે, તે આ પ્રમાણે : સત્યકી વિધાધરની કથા ચેટક મહારાજાની પુત્રી સુજ્યેષ્ઠા સાધ્વી થયા હતા. તેઓ એકદા આતાપના કરતા હતા, તે વખતે તેનું સૌંદર્ય જોઈને પેઢાળ નામે વિદ્યાધર તેના પર મોહ પામ્યો, તેથી તત્કાળ ઘુમાડો વિકુર્તી દિમૂઢ કરી તેણે ભ્રમરરૂપે તેને સેવી. તેનાથી સત્યકી નામે એક પુત્ર થયો. તે અનુક્રમે વિદ્યાગ્રહણને યોગ્ય થયો, ત્યારે સોનાના પાત્રમાં વાઘણનું દૂઘ રાખવાની જેમ વિદ્યાઓ આપવા સારુ પેઢાળ વિદ્યાઘરે સાધ્વી પાસેથી અપહરીને તેને વિદ્યામંત્ર વગેરે આપ્યાં. રોહિણી વિદ્યાએ સત્યકીના જીવને તેનું આરાઘન કરતાં પાંચ જન્મ સુધી મૃત્યુ પમાડ્યો હતો, છછું જન્મે છ માસ આયુષ્ય બાકી રહ્યું તે વખતે તે પ્રસન્ન થઈ હતી પણ તેણે આદરી નહોતી; તે આ સાતમે ભવે પૂર્વ જન્મમાં સાધેલી હોવાથી વગર આરાધ્ધ સંતુષ્ટ થઈ અને લલાટમાં છિદ્ર કરી તે દ્વારા હૃદયમાં જઈને રહી. દિવ્ય અનુભાવથી તે લલાટનું છિદ્ર દિવ્ય નેત્રરૂપ થઈ ગયું. પછી પોતાના પિતા પેઢાળને સાધ્વીના શીલનો લોપ કરનાર જાણી સત્યકીએ મારી નાખ્યો; અને માતાના તથા જિનેશ્વરના વચનથી તેણે દૃઢ સમતિ અંગીકાર કર્યું. પછી ત્રિકાળ જિનપૂજા કરવાથી તેણે તીર્થકર નામકર્મ સંપાદન કર્યું. શ્રી લોકપ્રકાશમાં કહ્યું છે કે સત્યથી મહાદેવ એવા નામથી વિખ્યાત અગિયારમો રુદ્ર થયો. તે સત્યકી વિદ્યાઘરનો જીવ આવતી ચોવીશીમાં સુવ્રત નામે અગિયારમા તીર્થંકર થશે.” સત્યકી અવિરતિપણાને લીધે સ્ત્રીઓમાં આસક્ત થઈ અનેક રાજાદિકની સ્ત્રીઓને બળાત્કારે સેવન કરતો હતો. તેથી એકદા ઉજ્જયિની નગરીના ચંડપ્રદ્યોત રાજાએ એવો પડદ વગડાવ્યો કે, સત્યકીને વશ કરી શકે તેવી કોઈ સ્ત્રી છે?' તે વખતે ઉમા નામની વેશ્યાએ કહ્યું કે, “હું તે નિશાચરને વશ કરીશ.” પછી રાજાએ તેને તેની ઇચ્છા પ્રમાણે કરવાની આજ્ઞા આપી. એક વખતે ઉમાએ ચંદ્રશાળા (અગાશી) ઉપર રહી તેને પોતાનું સૌંદર્ય બતાવ્યું. તે જોતાં જ સત્યકી સત્વર ત્યાં આવી તેને સેવવા લાગ્યો. એક વખતે વેશ્યાએ તેને એકાંતમાં પૂછ્યું કે, “તમારી પાસે કઈ કઈ વિદ્યાઓ છે?” તેણે કહ્યું કે, “મારી પાસે રોહિણી વગેરે વિદ્યાઓ છે અને તે સર્વદા મારા અંગમાં જ રહે છે, પણ જ્યારે હું મૈથુન કરું છું ત્યારે તે વિદ્યાઓને અને ખગ્નને દૂર મૂકું છું. તે વખતે મારામાં જરા પણ બળ રહેતું નથી.” આ વાત વેશ્યાએ રાજાની આગળ નિવેદન કરી; અને કહ્યું કે “જો કોઈ શબ્દવેથી પુરુષ જ્યારે તે મારી સાથે મૈથુનાસક્ત હોય ત્યારે તેને મારે તો તે મરી જાય, અન્યથા મરશે નહીં. પણ તે પુરુષ એવો ચતુર હોવો જોઈએ કે, જે મારો બચાવ કરીને તેને એકલાને જ હણી શકે. તેવો પુરુષ કોઈ છે?” પછી તેવા પુરુષની શોઘ કરતાં રાજાની પાસે રહેનારા કેટલાક શસ્ત્રકુશલ પુરુષોએ પોતાના ચાતુર્યની પરીક્ષા આપી. તે એવી રીતે કે, કમલના પત્રો ઉપરાઉપર રાખીને રાજાએ કહ્યું કે, “ઉપરના આટલા પત્ર વિઘવા અને નીચેના આટલા બચાવવા.” એટલે તેઓએ ઉપરના તેટલા જ વીંધ્યા અને નીચેના બચાવ્યા. પછી રાજાએ તે કળા વેશ્યાને બતાવીને કહ્યું કે, “આ યુક્તિથી તારું રક્ષણ કરીશું.” વેશ્યા તે વાતનો સ્વીકાર કરીને પોતાને ઘેર ગઈ. પછી તે સુભટોએ સંકેત પ્રમાણે ગુપ્ત રહી ઉમા વેશ્યા સાથે મૈથુન કરતા એવા સત્યકીને જોઈ તે યુક્તિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy