SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૨] મૈથુનના દોષો ૧૨૧ તમે દૂત મોકલીને તે છયે રાજાઓને કહેવરાવો કે તમને હું કન્યા આપીશ; એટલે વિશ્વાસ પામીને તેઓ જુદા જુદા અહીં આવશે; પછી હું તેમને સમજાવીશ.” કુંભરાજાએ તે પ્રમાણે કહેવરાવવા સાથે એવી ગોઠવણ કરી કે જેથી તેમને પ્રથમ મલ્લિકુમારીએ પેલા ગર્ભગૃહમાં જુદા જુદા દ્વારથી પ્રવેશ કરાવ્યો. તેમાં પૂર્વે યુક્તિથી બનાવેલી મલ્લિકુમારીની પ્રતિમાને જોઈ તેઓ આ મલ્લિકુમારી જ છે' એમ માનતા તેના રૂપને વિષે મોહ પામી અનિમેષપણે તે પ્રતિમાને જોઈ રહ્યા. એટલામાં મલ્લિકુમારીએ આવીને તે પ્રતિમાના તાલુસ્થાને રાખેલા ઢાંકણાને દૂર કર્યું, એટલે તેમાંથી મૃત્યુ પામેલા સર્પાદિકના તથા મનુષ્યના ગંઘથી પણ મહા ઉત્કટ દુર્ગધ ઊછળ્યો; તેથી તે છયે રાજાઓ પોતપોતાની નાસિકા ઢાંકવા લાગ્યા. ત્યારે મલ્લિકુમારીએ કહ્યું કે, “અરે રાજાઓ! તમે આમ પરમુખ કેમ થયા?’ તેઓ બોલ્યા કે, “અમે આ દુર્ગઘથી પરાભવ પામ્યા છીએ.” મલ્લિકુમારી બોલ્યા, “અરે દેવાનુપ્રિયો! હંમેશા ઉત્તમ આહારનો એકેક કોળીઓ લેપન કરવાથી આ સુવર્ણની પૂતળીમાં પણ તેનું પુગળ પરિણામ આવી દુર્ગઘરૂપ થયું, તો આ ઔદારિક દેહ કે જે માંસ રુધિરાદિ સાત ઘાતુઓથી બનેલા છે તેમાં દરરોજ નખાતાં અન્નના ૩૨ કવળથી કેવું પુદ્ગળ પરિણામ થાય તે વિચારો. હે રાજાઓ! તમે મારા પર મોહ પામો છો પણ વિચારો કે આ સ્ત્રીદેહમાં સારભૂત શું છે? વળી હે રાજાઓ! તમે પૂર્વે મોટું દેવસંબંથી આયુષ્ય ભોગવ્યું છે તેના સુખના પ્રમાણમાં આ મનુષ્ય ભવનું સુખ શી ગણતરીમાં છે? આ પ્રમાણે કહીને તેમનો પૂર્વભવ કહી સંભળાવ્યો. તે સાંભળી તેઓને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી મલ્લિકુમારી બોલ્યા કે “અરે ભાઈઓ! હવે મારે દીક્ષા લેવી છે. તમે શું કરશો?” તેઓ બોલ્યા કે “અમે પણ દીક્ષા લઈશું. આ પ્રમાણે કહી સંસારથી નિર્વેદ પામી તેઓ પોતપોતાના રાજ્યમાં ગયા અને પોતપોતાના પુત્રોનો રાજ્યાભિષેક કર્યો. શ્રી મલ્લિપ્રભુએ સાંવત્સરિક મહાદાન આપ્યા પછી પોષ શુક્લ એકાદશીને દિવસે અષ્ટમભક્ત કરી અશ્વિની નક્ષત્રનો ચંદ્ર થતાં જન્મથી સો વર્ષની વયે ત્રણસો રાજાઓ અને ત્રણસો સ્ત્રીઓ સાથે સિદ્ધ ભગવંતની સાક્ષીએ મહાવ્રતને અંગીકાર કર્યું. તે જ દિવસે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પેલા છ રાજાઓએ પણ તેમની પાસે આવીને દીક્ષા ગ્રહણ કરી. તેમના શાસનમાં ભિષગુ વગેરે અઠ્ઠાવીશ ગણઘર, ચાળીશ હજાર સાધુઓ, પંચાવન હજાર સાધ્વીઓ, ત્રણ લાખ સિત્તેર હજાર શ્રાવિકા અને એક લાખ એંશી હજાર શ્રાવકો થયા. પોતાના પરિવાર સાથે મલ્લિપ્રભુ વિહાર કરી પંચાવન હજાર વર્ષનું આયુષ્ય ભોગવી પાંચસો સાધુ અને પાંચસો સાધ્વીઓની સાથે ફેશ્ન શુક્લ દ્વાદશીએ ભરણી નક્ષત્રમાં શ્રી સમેતશિખરગિરિ ઉપર મોક્ષને પ્રાપ્ત થયા. આ પ્રમાણે અવશ્ય મોક્ષને પામનારા શ્રી મલ્લિનાથ પ્રભુએમણ જેમ શીલનું પાલન કર્યું તેમ ભવ્ય પ્રાણીઓએ અવશ્ય શીલનું પાલન કરવું.” વ્યાખ્યાન ૧૦૨ મૈથુનના દોષો હવે મૈથુન સેવવાથી ઘણા ગુણની હાનિ થાય છે તે કહે છે– वाक्यमंत्ररसादीनां, सिद्धिः कीर्त्यादयो गुणाः । नश्यन्ति तत्क्षणादेव, . अब्रह्मसेवनानृणाम् ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy