SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ છે.” તે સાંભળી રાજા ચંદ્રછાયે તેની માગણીને માટે દૂત મોકલ્યો. ત્રીજા મિત્ર પૂરણનો જીવ શ્રાવસ્તીનગરીમાં રૂકુમી નામે રાજા થયો હતો. એક સમયે તેણે પોતાની પુત્રીને સુવર્ણમંડપમાં સ્નાન કરાવવાનો મોટો મહોત્સવ કર્યો. તે સમયે કોઈ પુરુષ ઘણા દેશમાં મુસાફરી કરીને ત્યાં આવ્યો હતો, તેને રાજાએ પૂછ્યું કે, “તે કોઈ ઠેકાણે આવો શ્રેષ્ઠ મહોત્સવ જોયો છે?” તેણે કહ્યું “હે દેવ! વિદેહ રાજાની પુત્રી મલ્લિકુમારીના જન્મોત્સવ આગળ લાખમે અંશે પણ આ રમણીય નથી.' તે સાંભળી રાજાએ તત્કાળ તેને માટે દૂત મોકલ્યો. ચોથા મિત્ર વસુનો જીવ વારાણસીનગરીમાં શંખ નામે રાજા થયો હતો. અહીં અહંન્નકે આપેલા મલ્લિકુમારીના દેવાર્પિત કુંડલ ભાંગી ગયા, તેને સમા કરવા માટે સુવર્ણકારોને બોલાવીને તે કુંડલ આપ્યા, પણ સોની લોકો તે સુધારી શક્યા નહીં, તેથી રાજાએ તેઓને નગરની બહાર કાઢી મૂક્યા. તેઓ શંખરાજાની સભામાં આવ્યા. શંખરાજાએ તેમને ક્યાંથી આવ્યાનું પૂછ્યું, એટલે તેઓએ પોતાને મિથિલા નગરી છોડવી પડ્યાનું વૃત્તાંત સવિસ્તર કહી સંભળાવ્યું. તેથી આશ્ચર્ય પામી રાજાએ તેમને પૂછ્યું કે, “તે મલ્લિકુમારી કેવી છે?” એટલે તેઓએ તેનું અલૌકિક સ્વરૂપ વર્ણવી બતાવ્યું. તે સાંભળી શંખરાજાએ તેને માટે દૂત મોકલ્યો. પાંચમા મિત્ર વૈશ્રવણનો જીવ હસ્તિનાપુરમાં અદીનશત્રુ નામે રાજા થયો હતો. અહીં મલ્લિકુમારીને મલ્લદિન નામે એક અનુજ બંધુ હતો. તે ચિત્રકારોની પાસે પોતાનો ખાનગી સભામંડપ ચીતરાવતો હતો. ત્યાં કોઈ ચતુર ચિત્રકાર કે જેને દેવતાનું વરદાન હતું, તેણે પડદામાંથી મલ્લિકુમારીનો અંગૂઠો જોઈને તેમનું બધું રૂપ યથાર્થ ચિત્રમાં આળખી લીધું. તેવામાં મલ્લદિનકુમાર પોતાની સ્ત્રીની સાથે તે ચિત્રશાળામાં આવ્યો. ત્યાં પોતાની મોટી બહેન મલ્લિકુમારીને પ્રત્યક્ષ જોઈ લજાથી પાછો વળ્યો. ત્યારે તેની ઘાત્રીએ કહ્યું કે, “તે તો ચિત્ર છે.” એટલે તત્કાળ પેલા ચિત્ર કરનારને પકડીને તેનો વઘ કરવાની આજ્ઞા કરી. પછી બીજા ચિત્રકારોએ તેનું કારણ સમજાવીને તેને માંડ માંડ છોડાવ્યો; તથાપિ કુમારે તે ચિત્રકારની આંગળી છેદીને દેશ બહાર કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળીને હસ્તિનાપુરમાં રહેલા અદીનશત્રુ રાજાને મળ્યો. રાજાએ તેને મિથિલામાંથી નીકળવાનું કારણ પૂછ્યું. ત્યારે તેણે પોતાનો વૃત્તાંત કહેતાં મલ્લિકુમારીના અદ્ભુત રૂપનું પણ વર્ણન કરી બતાવ્યું; તેથી મોહ પામી રાજાએ તેને માટે દૂત મોકલ્યો. છઠ્ઠા મિત્ર અભિચંદ્રનો જીવ કાંડિલ્ય નગરમાં અજિતશત્રુ નામે રાજા થયો હતો. અહીં એકદા મલ્લિકુમારીએ કોઈ તાપસીને વાદમાં હરાવી, તેથી તે કોપ કરીને કાંપિલ્ય નગરમાં અજિતશત્રુ રાજા પાસે આવી અને મલ્લિકુમારીના અનુપમ રૂપનું તેની પાસે વર્ણન કર્યું. જે સાંભળી રાજાએ તેને માટે દૂત મોકલ્યો. આ પ્રમાણે તે છયે રાજાના દૂતોએ એક સાથે આવીને કુંભ રાજા પાસે મલ્લિકુમારીની માગણી કરી. રાજાએ તે નહીં સ્વીકારતાં છયે દૂતોને અપઢારથી (પાછળે દરવાજેથી) કાઢી મૂક્યા. દૂતોના મોઢેથી અપમાનયુક્ત વચન સાંભળી તે છયે રાજાઓને કોપ ઉત્પન્ન થયો; તેથી સર્વેએ મિથિલા ઉપર ચડાઈ કરી. કુંભરાજાને તેમને જીતવાનો ઉપાય સૂઝયો નહીં. તેથી ચિત્તમાં આકુળવ્યાકુળ થવા લાગ્યા. પિતાને તેવી સ્થિતિમાં જોઈ મલ્લિકુમારીએ આશ્વાસન આપીને કહ્યું કે, “હે પિતા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy