SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૯] પ્રાણાંતે પણ શીલ છોડવું નહીં ૧૧૫ દૈવયોગે વિપાકને અર્થે થયું. દૈવ દુષ્કૃતિ પ્રાણીઓને દુઃખને માટે જીવિત આપે છે, જેમ કીરમજનો રંગ બનાવવા માટે પકડેલા મનુષ્યોનું પોષણ તે દુઃખ ઉપજાવવા માટે જ હોય છે. હવે મારે જીવીને શું કરવું?” વળી તેણે ફરી વિચાર્યું કે, “મૃત્યુ પામતાં પણ જીવને કર્મ છોડતાં નથી. કહ્યું છે કે, મૃત્યુ પામતાં પણ પોતાનું કરેલું પાપ તો અવશ્ય ભવાંતરે પણ ભોગવવું જ પડે છે, ત્યારે તે અહીં જ ભોગવવું સારું છે.” આવું વિચારી તે મૃત્યુ ન પામતાં આનંદપુર નામના નગરે આવ્યો. આનંદપુરમાં કોઈના ઘરે જઈ ચંદને વિશ્રામ કર્યો, ત્યાં કોઈ એક સ્ત્રી તેને જોઈને મોહ પામી. તે તેની સેવા ચાકરી કરીને બોલી કે तुम परदेशी लोक हो, दुओ न कीसी साथ । जमो रहो तव जन्म लगे, हम तुम एक ज साथ ॥१॥ આવાં વચન સાંભળી પોતાના શીલવ્રતનો ભંગ થશે એવી બીકથી તેણે ટૂંકમાં જ તેને ઉત્તર આપ્યો કે, “હે સુંદરી! જેનું ચિત્ત સ્થિર નથી એવા દુઃખી નરની સાથે પ્રીતિ કરવાથી તને શો લાભ થવાનો છે?” આવો ઉત્તર આપી તે ત્યાંથી અન્યત્ર જવા ચાલ્યો. માર્ગમાં શ્રીપુર નગરની નજીક આવેલા કોઈ વૃક્ષ નીચે જઈને તે બેઠો. ક્ષણવાર બેસીને તે નિદ્રાવશ થઈ ગયો. તે નગરનો રાજા અપુત્ર મૃત્યુ પામવાથી મંત્રીઓએ પંચદિવ્ય કર્યા હતા. તે પાંચ દિવ્ય આ રાજાની ઉપર થયા, તેથી તેને રાજ્ય મળ્યું. ચંદન રાજા ન્યાયથી રાજ્ય કરવા લાગ્યો. એક વખતે પ્રઘાનોએ તેના ચરણમાં પડી સ્ત્રી પરણવા કહ્યું, તથાપિ તેણે કોઈની સાથે પાણિગ્રહણ કર્યું નહીં. અહીં સાયર અને નીર કે જેઓ નદી બે કાંઠે બે વૃક્ષ પાસે રહી ગયા હતા, તેમને કોઈ સાર્થવાહે જોયા. તેથી પોતાના પુત્રની જેમ તેમની સાર સંભાળ કરતો તે તેમને પોતાને નગરે લઈ ગયો. અનુક્રમે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા, ત્યારે સાર્થવાહની આજ્ઞા લઈ શ્રીપુર નગરમાં કે જ્યાં તેના પિતા ચંદન રાજ્ય કરતા હતા ત્યાં જઈને કોટવાળના તાબામાં નોકર તરીકે રહ્યા. તેવામાં પેલો સાર્થવાહ કે જે મલયાગિરિ ઉપર મોહ પામીને તેને ઉપાડી ગયો હતો તે ફરતો ફરતો મલયાગિરિને લઈને તે જ નગરમાં આવ્યો. તે કેટલીક ભેટો લઈ ચંદન રાજાને મળવા ગયો. ભેટ રાજાની આગળ ઘરી એટલે રાજા ખુશી થઈને બોલ્યો, “સાર્થવાહ! તમારે જે જોઈએ તે માગી લો.” સાર્થવાહે રાત્રે પોતાના સાર્થની અને સામાનની રક્ષા કરવા માટે પહેરેગીરની માગણી કરી. રાજાએ કોટવાળને આજ્ઞા કરી, એટલે તેણે પેલા બે ભાઈ સાયર અને નીરને ત્યાં રક્ષા કરવા મોકલ્યા. જ્યારે રાત્રિ પડી અને સર્વ પહેરેગીરો ભેગા થઈ પોતપોતાનો વૃત્તાંત કહેવા લાગ્યા, તે વખતે સાયર અને નીરે પણ પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે વૃત્તાંત તંબુમાં બેઠેલી મલયાગિરિના સાંભળવામાં આવ્યું, તેથી તત્કાળ તેમને પોતાના પુત્ર જાણી તે બહાર આવી અને હર્ષથી ભેટી પડી. પુત્રોએ પણ પોતાની માતાને નમી તેનું વૃત્તાંત સાંભળ્યું, અને કહ્યું કે “માતા! પ્રભાતમાં સર્વ સારું થશે, ચિંતા કરશો નહીં.' પ્રાતઃકાળ થયો એટલે તે માતા અને પુત્રો રાજાની પાસે ગયા અને પોતાની સર્વ હકીકત કહી બતાવી. રાજા ચંદને તેમને પોતાના પરિવારપણે ઓળખ્યા, એટલે પેલા અન્યાય કરનારા સાર્થવાહને શિક્ષા કરીને નગર બહાર કાઢી મૂક્યો. પછી બાર વર્ષનો વિયોગ દૂર કરી બન્ને રાજ્યના સુખને ભોગવતો ચંદનરાજા આનંદથી રહેવા લાગ્યો.છેવટે તે દંપતી શીલનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy