SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ મનુષ્ય પૂર્વપુણ્યના યોગથી જ સમાન ઘર્મવાળું દાંપત્ય પામે છે. તેઓ દુઃખમાં પણ જો પોતાનું શીલ ચૂકતા નથી તો તેમનો યશ આખા વિશ્વમાં ફેલાય છે.” વ્યાખ્યાન ૧૦૦ સ્ત્રી જાતિનો ત્યાગ કર્તવ્ય એક રૂપવંત સ્ત્રીને ઘણા પુરુષો ઇચ્છે છે' એમ માની જે પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે છે તે જ જ્ઞાની છે. તે વિષે કહે છે मिथो हिंसां समीहंते, एकत्रीस्पृहया नराः । ततस्तां परिमुंचंति, त एव विबुधेश्वराः॥१॥ ભાવાર્થ-“પુરુષો એક સ્ત્રીને માટે પરસ્પરને મારી નાખવાની ચાહના કરે છે, આવું ઘારીને જેઓ તેવી સ્ત્રી જાતિનો જ ત્યાગ કરે છે તે જ શ્રેષ્ઠ જ્ઞાની કહેવાય છે.” પોતાની સ્ત્રીને કોઈ બીજો અનુરાગથી જુએ કે હસીને બોલાવે તો તે પણ પુરુષને માટે બળતરાનું કારણ છે. પોતાની સ્ત્રી બીજાને જુએ કે હસીને બોલે તો તે પણ માણસ સહન કરી શકતો નથી, તો તે નારી કેટલા દુઃખનું કારણ કહેવાય? જે એકને જોઈએ તે બીજાને પણ જોઈએ છે. જેનું જોર ચાલે તે લઈ જાય એવું પણ બને અને માણસના મનનું પણ ક્યાં ઠેકાણું છે? આજે જે ગમતું હોય તે કાલે ન પણ ગમે. માટે આવી સ્ત્રીનો જે ત્યાગ કરે તે જ સાચો પંડિત છે. તે વિષે ઇલાયચી કુમારનો પ્રબંધ છે તે આ પ્રમાણે ઇલાયચી કુમારની કથા વસંતપુર નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને પ્રીતિમતી નામે એક સ્ત્રી હતી. એ દંપતીએ ઘર્મવાણી સાંભળીને યોગ્ય અવસરે જિનોક્ત વ્રત(ચારિત્ર) અંગીકાર કર્યું. તેઓ વિવિઘ જાતિના થયેલા મુનિઓને જાણી શૌચાચારમાં તત્પર રહી અંતઃકરણમાં જાતિમદ કરવા લાગ્યા. પ્રાંતે એ દુષ્કતની આલોચના કર્યા વગર અનશન વડે મૃત્યુ પામીને તેઓ વૈમાનિક દેવતા થયા. અહીં એલાવર્ધન નગરમાં ઇભ્ય નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘારિણી નામે સ્ત્રી હતી. તેના ઉદરમાં અગ્નિશર્માનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. ઘારિણીએ શુભ મુહુર્ત પુત્રને જન્મ આપ્યો. ઇલાદેવીના વરદાનથી તે પુત્ર થયો હતો, તેથી તે ઇલાપુત્રના નામથી પ્રખ્યાત થયો. અનુક્રમે તેને માતાપિતાએ ભણાવ્યો અને તે યૌવન વયને પ્રાપ્ત થયો. તેના પૂર્વ ભવની સ્ત્રી સ્વર્ગથી ચવીને જાતિમદ કરેલ હોવાથી નટકુળમાં ઉત્પન્ન થઈ. તે વિલાસ હાસ્યયુક્ત સારી નર્તકી થઈ. એક વખતે નૃત્ય કરતી તે મૃગાક્ષી ઇલાપુત્રના જોવામાં આવી. તેના સુંદર નેત્ર, મુખ, સ્તન અને હાથ, પગ વગેરે જોઈ હાથિણીના દર્શનથી હાથીની જેમ તે દુર્મદાવસ્થાને પ્રાપ્ત થયો. “કામી પુરુષ કાંઈ પણ કૃત્યાકૃત્યને જાણતો નથી.” તે વિષે કહ્યું છે કે, “જ્યાં સુધી મૃગાક્ષીના લોચનના કટાક્ષ તેના પર પડ્યા નથી ત્યાં સુધી જ વિદ્વાનની બુદ્ધિ અને તેનો નિર્મળ વિવેકરૂપી દીપક હુરે છે.” કામરૂપ સર્પ ડસેલા ઇલાપુત્રે જાંગુલિ વિદ્યાની જેમ તે નટીનું જ સ્મરણ કરતા સતા એવી પ્રતિજ્ઞા કરી કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy