SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ ભાવાર્થ-“શીલવ્રત પાળવામાં તત્પર એવા દંપતીને પણ કોઈ ઠેકાણે યોગ થાય છે, તેવા દંપતીને પૂર્વ કર્મના ઉદયથી કદી દુઃખ પ્રાપ્ત થાય તો પણ પાછી સર્વ સુખની પ્રાપ્તિ થાય છે.” તે ઉપર ચંદનમલયાગિરિનો પ્રબંઘ છે. તે આ પ્રમાણે ચંદન મલયાગિરિની કથા કુસુમપુર નામના નગરમાં ચંદન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મલયાગિરિ નામે શીલવતી પત્ની હતી. તેમને સાયર અને નીર નામે બે પુત્રો થયા હતા. એક વખતે રાજા વાસગૃહમાં સૂતો હતો તેવામાં કુળદેવીએ આવીને કહ્યું કે, “હે રાજા! તારી માઠી દશા થશે; માટે સત્વર રાજ્ય છોડીને બીજે ચાલ્યો જા. કારણ કે, મનુષ્યને સુખ કે દુઃખ જે પ્રાપ્ત થવાનું હોય છે તે અવશ્ય પ્રાપ્ત થાય છે. દૈવ પણ તેનું ઉલ્લંઘન કરવાને સમર્થ નથી.' આ પ્રમાણે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “મિત્રને કે શત્રુને આપત્તિ તો અવશ્ય આવવાની, તેથી જ તેની સામે ચાલે તે સુભટ અને નાસી જાય તે હીનસત્ત્વ કહેવાય.” આવું વિચારી બે પુત્ર અને સ્ત્રીને લઈ રાજા રાત્રે ચાલી નીકળ્યો. ફરતો ફરતો અનુક્રમે કુશસ્થળ નગરે આવ્યો. અહીં રાજા ચંદન દેવનો પૂજારી થયો અને રાણી મલયાગિરિ વનમાંથી કાષ્ઠ લાવી નગરમાં વેચવા લાગી. એક વખતે કાષ્ઠ વેચવા ગયેલી મલયાગિરિ કોઈ સાર્થવાહની દ્રષ્ટિએ પડી. સાર્થવાહ તેના રૂપ અને સ્વરથી મોહ પામી ગયો, તેથી તે તેના ઈઘણા લઈને તેનું અધિક મૂલ્ય આપવા લાગ્યો. એવી રીતે તેણે તેના મનમાં વિશ્વાસ બેસાડી દીધો. એક વખતે પ્રયાણ કરવું હતું ત્યારે તેને મૂલ્ય આપવાના મિષથી આગળ કરી પ્રપંચથી લોભાવીને દૂર લઈ ગયો. પછી બળાત્કારે રથમાં બેસાડી દઈ માર્ગે ચાલ્યો. મલયાગિરિ પતિ વિયોગથી નિઃશ્વાસ નાખવા લાગી. ત્યારે સાર્થવાહે કહ્યું કે, “હે સુભુ! મારી સાથે સુખ ભોગવો, અને મારા કામસંતાપને શાંત કરો.” મલયાગિરિ બોલી “अग्रि मध्य बळवो भलो, भलो ज विषको पान । शील खंडवो नहि भलो, नहि कुछ शील समान ॥१॥ માટે હે વીર! તું મને છોડી દે, શા માટે તું મારો અંત લે છે? કદી કૃત્તાંત કોપે તો પણ હું આ ભવમાં શીલ ખંડન કરીશ નહીં.” અહીં રાજા ચંદને વખતસર ન આવવાથી મલયાગિરિને ચારે તરફ શોઘી, પણ તે મળી નહીં. તેથી તે બે પુત્રની સાથે વિલાપ કરવા લાગ્યો-“જ્યારે દેવ પ્રતિકૂળ થાય છે ત્યારે અમૃત પણ ઝેર થાય છે, રઘુ સર્પ થાય છે અને ઉંદરનું દર પાતાળરૂપ થાય છે.” પછી રાજા તેની શોઘને માટે તે નગર છોડી પુત્ર સહિત ગામેગામ ફરવા લાગ્યો. માર્ગમાં એક નદી આવી. તેને ઊતરવા માટે એક પુત્રને આ કાંઠે વૃક્ષ સાથે બાંધી રાખી એક પુત્રને સ્કંઘ ઉપર ચડાવી નદી ઊતરી ગયો. પછી બીજા પુત્રને લેવા આવવા માટે નદીમાં પેઠો. અંતરાળે આવતાં નદીમાં પ્રબળ પૂર આવ્યું. એટલે તે તણાયો. તે સમયે સ્ત્રી અને પુત્ર વિરહથી પીડિત થઈને તે બોલ્યો કે– किहां चंदन मलयागिरि, किहां सायर किहां नीर । जो जो पडे विपत्तडी, सो सो सहे शरीर ॥१॥ આમ બોલતો આમતેમ ફાંફાં મારવા લાગ્યો. તેવામાં એક કાષ્ઠનો ટુકડો તેના હાથમાં આવ્યો. તેને આઘારે તરી કાંઠે આવી તે વિચારવા લાગ્યો કે, “અહો!મેં રાજ્ય ભોગવ્યું તે પણ મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy