SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૭] વિષયીને શીલનો પાઠ શીખવવો ૧૦૯ ઓછાડ પોચો પોચો બાંધી રાખ્યો. મળવાનો સમય થતાં અશોક મંત્રી પોતાના આત્માને કૃતાર્થ માનતો અર્ધ લક્ષ દ્રવ્ય સાથે લઈ ત્યાં આવ્યો. અગાઉથી શીખવી રાખેલી દાસીએ કહ્યું કે, “લાવેલું દ્રવ્ય મન આપો અને અંદર માંચા ઉપર જઈને બેસો.” અશોક અર્થ લાખ દ્રવ્ય તેને આપી ઉતાવળો તે અંઘકારવાળા ઓરડામાં જઈ માંચા ઉપર બેઠો કે તરત જ સંસારમાં બહકર્મી પ્રાણી પડે તેમ તે ખાડામાં પડ્યો. “રાવણની જેમ વ્યસનીને આપત્તિઓ સુલભ છે.” ખાડામાં પડેલો અશોક જ્યારે ક્ષઘાતુર થતો ત્યારે ઉપરથી શીલવતી ખપ્પરપાત્રમાં અન્ન આપતી હતી. એવી રીતે બહુ દિવસ તેમાં રહેવાથી “અ” ઊડી જવાને લીધે અશોક મંત્રી શોકરૂપ થઈ રહ્યો. એક માસ વિત્યા છતાં અશોક મંત્રી પાછો ન આવવાથી કામાતુર નામે બીજો મંત્રી તેવી જ પ્રતિજ્ઞા લઈને આવ્યો. શીલવતીએ તેની પાસેથી પણ અર્થ લક્ષ લઈને તે જ ખાડામાં તેને નાખ્યો. પછી એક માસે લલિતાંગ નામે ત્રીજો મંત્રી આવ્યો, તેને પણ અર્ધ લાખ દ્રવ્ય લઈ તે જ ખાડામાં નાખી દીધો. ચોથે માસે રતિકેલિ નામે મંત્રી આવ્યો, તેને પણ અર્ધ લક્ષ દ્રવ્ય લઈ તે જ ખાડામાં નાખ્યો. આ પ્રમાણે તે ચારે મંત્રીઓ ચતુર્ગતિરૂપ સંસારમાં દુઃખનો અનુભવ કરવા લાગ્યા. અનુક્રમે સિંહરાજા શત્રુનો જય કરી પાછો આવ્યો, અને મોટા ઉત્સવથી તેણે નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે પેલા મંત્રીઓએ શીલવતીને કહ્યું, “હે સ્વામિની! અમે તમારું માહાસ્ય જોયું, તેમ અમારા કૃત્યનું ફળ પણ ભોગવ્યું, માટે હવે અમને બહાર કાઢો.” શીલવતીએ કહ્યું કે, “જ્યારે હું મવા (થાઓ) એમ કહ્યું ત્યારે તમારે બધાએ સાથે “મવા એમ કહેવું.” મંત્રીઓએ તે કબૂલ કર્યું. પછી શીલવતીએ પોતાના પતિને કહીને રાજાને ભોજનનું આમંત્રણ કર્યું. આગલે દિવસે સર્વ રસવતી તૈયાર કરી તે ખાડાવાળા ઓરડામાં ગુપ્ત રીતે રાખી મૂકી. ભોજન કરવા આવવાને દિવસે રસોડામાં અગ્નિ પણ સળગાવ્યો નહીં અને જળને સ્થાને જળ પણ રાખ્યું નહીં, તેમ કાંઈ પણ ભોજનની સામગ્રી રસોડામાં રાખી નહીં. રાજા ભોજન કરવા આવ્યો, પણ તેણે ભોજનની સામગ્રી કાંઈ જોઈ નહીં, તેથી ચમત્કાર પામી ભોજન કરવા બેઠો. પછી શીલવતી સ્નાન કરી પેલા ઓરડામાં જઈ પુષ્પમાળા હાથમાં રાખી ધૂપ દીપ કરી બેઠી અને બોલી કે–“રાજા ભોજન કરવા માટે આવ્યા છે માટે નાના પ્રકારના પક્વાન્ન “મવતુ' (થઈ જાઓ.)” એટલે ખાડાની અંદરથી તે ચારે મંત્રીઓએ ઊંચે સ્વરે કહ્યું કે, “મવત' પછી મોદક વગેરે સામગ્રી તે ઓરડામાંથી બહાર લાવવામાં આવી. પછી વૃત વગેરેને માટે ઉપર પ્રમાણે કહ્યું, વળી વિલેપન તથા શાક વગેરેને માટે પણ તેમજ કહ્યું, તે બઘી વખતે તેઓએ “મવત' એ શબ્દ કહ્યો. એવી રીતે રાજાનું ભોજન સંપૂર્ણ થયું. પછી તાંબૂલ વગેરે આપીને મંત્રી અજિતસેન રાજાના ચરણમાં પડ્યો, એટલે રાજાએ પૂછ્યું કે, “મંત્રી! આ પ્રમાણે રસોઈ વગેરે શાથી તૈયાર થઈ?” મંત્રીએ કહ્યું કે “તે ઓરડામાં મને પ્રસન્ન થયેલા ચાર યક્ષો છે તે જે માગીએ તે આપે છે.” રાજાએ કહ્યું કે “તે અમને આપો, કારણ કે જ્યારે નગરની બહાર જવું પડે છે, ત્યારે ત્યાં જે ભોજન માગીએ તે વચન માત્રમાં જ થઈ જાય, તો બધી ભોજનની ખટપટ ન કરવી પડે.” રાજાના આગ્રહથી મંત્રીએ તેમને આપવાનું કબૂલ કર્યું. પછી ગુપ્ત રીતે તે ચારેને ખાડામાંથી કાઢી સારા મોટા કંડીઆમાં તેમને નાખ્યા, અને સારા વસ્ત્રથી તેને ઢાંકી “આ યક્ષોનું સ્વરૂપ કોઈને બતાવવું નહીં,' એમ કહી રાજાને અર્પણ કર્યા. રાજા તે કંડીને રથમાં મૂકી પોતે આગળ પેદલ ચાલી રસ્તે પવિત્ર જળ છંટાવતો દરબારમાં લાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy