SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૭ - ભાવાર્થ-શીલનો ભંગ થવાની સામગ્રીનો સંભવ છતાં પણ જેની બુદ્ધિ નિશ્ચળ રહે અને જે પોતાના પતિમાં જ રક્ત હોય તે સ્ત્રી સતી કહેવાય, બાકી બીજી (અસતી) સ્ત્રીઓ તો ઘેર ઘેર છે. આ ઉપર શીલવતીની કથા છે તે આ પ્રમાણે શીલવતીની કથા જંબૂદીપને વિષે નંદન નામના નગરમાં રત્નાકર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને પુત્ર નહોતો, તેથી તેણે અજિતનાથ ભગવંતની શાસનદેવી અજિતબલાની આરાધના કરી, એથી અજિતસેન નામે પુત્ર થયો. તે મોટો થઈ શીલવતી નામે સ્ત્રીની સાથે પરણ્યો. શીલવતી શકનશાસ્ત્રાદિ ભણેલી હતી, તેથી શકુનશાસ્ત્રને અનુસારે અનેક વખત દ્રવ્ય બતાવી આપવાથી તે ઘરની અધિષ્ઠાત્રી થઈ પડી હતી. તેનો સ્વામી અજિતસેન બુદ્ધિના બળથી રાજાનો મંત્રી થયો હતો. એક વખતે રાજાએ કોઈ સીમાડાના રાજા ઉપર ચડાઈ કરવા જતાં પોતાની સાથે આવવા મંત્રીને પણ આજ્ઞા કરી. મંત્રીએ શીલવતીને પૂછ્યું કે, “પ્રિયા! મારે રાજાની સાથે જવું પડશે, પાછળ તું એકાકી ઘેર શી રીતે રહીશ? કારણ કે સ્ત્રીઓનું શીલ તો પુરુષ સમીપે હોવાથી જ રહે છે. જે સ્ત્રી પ્રોષિતભર્તૃકા (જેનો પતિ પરદેશ ગયો હોય તેવી) હોય તે ઉન્મત્ત ગજેન્દ્રની જેમ ઘણી વાર સ્વેચ્છાથી ક્રીડા કરે છે.” પતિનાં આવાં વચનો સાંભળી નેત્રમાં અશ્રુ લાવીને શીલવતીએ શીલની પરીક્ષા બતાવનારી એક પુષ્પની માલા સ્વહસ્ત વડે ગૂંથી પતિના કંઠમાં આરોપણ કરી અને બોલી કે, “હે સ્વામી! જ્યાં સુધી આ માળા કરમાય નહીં ત્યાં સુધી મારું શીલ અખંડ છે એમ સમજવું.” પછી મંત્રી નિશ્ચિત થઈને રાજાની સાથે બહારગામ ગયો. એક વખતે રાજા અજિતસેન મંત્રીના કંઠમાં વગર કરમાયેલી માળા જોઈ વિસ્મય પામ્યો, અને તે વિષે પાસેના માણસોને પૂછ્યું, ત્યારે તેઓએ તેની સ્ત્રીનું સતીપણું વર્ણવી બતાવ્યું. પછી કૌતુકી રાજાએ સભા વચ્ચે આવી પરસ્પર હાસ્યવાર્તા કરનારા મંત્રીઓને કહ્યું કે, “આપણા અજિતસેન મંત્રીની સ્ત્રીનું સતીપણું ખરેખરું છે.” તે સાંભળી એક બીજો મંત્રી બોલી ઊઠ્યો“મહારાજ! તેમને તેમની સ્ત્રીએ ભમાવ્યા છે. સ્ત્રીઓમાં સતીપણું છે જ નહીં. શાસ્ત્રમાં કહ્યું છે કે, જ્યાં સુધી એકાંત કે વખત મળે નહીં ત્યાં સુઘી જ સ્ત્રીનું સતીપણું છે. માટે જો તમારે પરીક્ષા કરવી હોય તો મને ત્યાં મોકલો.” પછી અશોક નામના તે હાસ્ય કરનારા મંત્રીને અર્ધ લાખ દ્રવ્ય આપીને રાજાએ શીલવતી પાસે મોકલ્યો. અશોક ઉજ્વલ વેશ ઘારણ કરી નગરમાં ગયો. ત્યાં કોઈ માળીની સ્ત્રીને મળીને કહ્યું કે, “તું શીલવતીની પાસે જઈ કહે કે, કોઈ સૌભાગ્યવાન પુરુષ તને મળવા ઇચ્છે છે.” માળણે કહ્યું, “તેને મળવા માટે દ્રવ્ય ઘણું જોઈશે, કારણ કે ઘન એ જ મનુષ્યોનું ઉત્તમ વશીકરણ છે.” અશોકે કહ્યું કે, જો તે કાર્ય સિદ્ધ થશે તો તને અર્થ લક્ષ દ્રવ્ય આપીશ.” આથી માળણ સંતુષ્ટ થઈ શીલવતીની પાસે ગઈ અને શીલવતીને બધો વૃત્તાંત જણાવ્યો. શીલવતીએ મનમાં વિચાર્યું કે, “પરસ્ત્રીના શીલનું ખંડન કરવા ઇચ્છનાર આ પુરુષ તેના પાપનું ફળ ભોગવો.” એમ વિચારી તેણે તે વાત કબૂલ કરી, અને માળણની પાસે અર્ધ લક્ષ દ્રવ્ય માંગ્યું. માળણે તે આપવાનું કબૂલ કર્યું, એટલે મળવાનો દિવસ નક્કી કર્યો. પછી શીલવતીએ પોતાની બુદ્ધિથી વિચાર કરી ઘરના એક ઓરડામાં કૂવા જેવો ઊંડો ખાડો કરાવ્યો અને તેની ઉપર પાટી વગરને માંચો મૂકી તેની ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy