SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૬] વિષયસુખની અત્યંત અલ્પતા ૧૦૫ કારણ કે મારી માતા કુબેરસેના તેનો પતિ કુબેરદત્ત તેનો આ બાળક અનુજ બંધુ છે તેથી કાકો અને તેનો પિતા કુબેરદત્ત તેથી તે વૃદ્ધ પિતા થાય, તથા જે આ બાળકનો પિતા તે મારો સ્વામી થાય, કારણ કે તેની સાથે મારો વિવાહ થયેલો છે. વળી એ મારી શોક્યનો પુત્ર છે તેથી મારો પુત્ર પણ થાય, તથા જે આ બાળકનો પિતા તે મારો સસરો પણ થાય, કારણ કે તે મારા દિયરનો પિતા છે. વળી મારે આ બાળકની માતા સાથે છ સંબંધ છે તે આ પ્રમાણે—જે આ બાળકની માતા તે મારી પણ માતા થાય, કારણ કે તેનાથી મારો જન્મ થયેલો છે. તથા જે આ બાળકની માતા તે મારી પિતામહી થાય, કારણ કે તે મારા કાકાની માતા છે. તથા જે આ બાળકની માતા તે મારી ભોજાઈ થાય, કારણ કે તે મારા ભાઈની સ્ત્રી થાય છે. તથા જે આ બાળકની માતા તે મારી પુત્રવધૂ પણ થાય, કારણ કે મારી શોક્યનો પુત્ર કુબેરદત્ત તેની તે સ્ત્રી થાય છે. તથા જે આ બાળકની માતા તે મારી સાસુ પણ થાય, કારણ કે તે મારા પતિની માતા થાય છે. તથા એની માતા મારી શોક્ય પણ થાય, કારણ કે મારા પતિની જ તે બીજી સ્ત્રી થાય છે.’’ આ પ્રમાણે સાંભળી કુબેરદત્તે તેનો સર્વ વૃત્તાંત પૂછ્યો. સાધ્વીએ તે કહી બતાવ્યો. તે સાંભળી વૈરાગ્ય પામીને તેણે દીક્ષા લીધી, અને કુબેરસેનાએ પણ શ્રાવિકાપણું સ્વીકાર્યું. આ પ્રમાણે જે વિવેકી પુરુષ વિષયના દોષને ચિત્તમાં ઘારી રાગાંઘપણાને મૂકી દે અને શુભ શીલનું આચરણ કરે તે કુબેરદત્તાની જેમ જગતમાં ઉત્તમ સંપત્તિને પામે છે. વ્યાખ્યાન ૯૬ વિષયસુખની અત્યંત અલ્પતા હવે વિષયમાં સુખ અલ્પ છે અને વિડંબના ઘણી છે તે બતાવે છે. सुखं विषयसेवाया - मत्यल्पं सर्षपादपि । દુઃખું નાલ્પતાં ક્ષોત્ર-નિંદ્રાસ્વામર્ત્યવત્ ॥શા ભાવાર્થ—વિષયસેવનમાં સરસવના દાણાથી પણ ઘણું થોડું સુખ છે અને દુઃખ ઘણું છે. જેમ મધુના ટીપાના આસ્વાદન કરનાર માણસને થયું હતું તેમ.’’ વિષય સેવવામાં ઘણું જ અલ્પ સુખ છે. તે વિષે આગમમાં પણ કહ્યું છે કે, “જેમાં સુખ ક્ષણવાર છે અને દુઃખ બહુકાળ પર્યંત છે, દુઃખ અત્યંત મળે છે અને સુખ દૂર રહે છે, એવું અનર્થની ખાણરૂપ કામભોગજન્ય સંસારસુખ મોક્ષનું પ્રતિપક્ષી છે.' વળી કહ્યું છે કે, “કંપ, ખેદ, ભ્રમ, મૂર્છા, ફેર, ગ્લાનિ, બળનો ક્ષય અને રાજ્યયક્ષ્મા (ક્ષય) વગેરે રોગ મૈથુન સેવવાથી ઉત્પન્ન થાય છે.’’ વળી ઉપદેશમાલામાં કહ્યું છે કે, જેમ પામા (ખસ) રોગવાળા મનુષ્યને મીઠી ખુજળી આવે તે વખતે ખંજવાળવાથી પરિણામે દુ:ખ થાય છે છતાં તે વખતે સુખ માને છે તેમ મોહાતુર પુરુષ વિષયસુખનું પરિણામ દુઃખરૂપ છતાં સુખરૂપ માને છે.’’ ખુજલીના રોગીને મીઠી ચળ આવે ત્યારે ખંજવાળવાથી જેમ તે વખતે તે સુખ માને છે પણ તે દુઃખરૂપ છે, તેમ પુરુષને વિષય સેવવાનું સુખ પણ દુઃખરૂપ જાણવું. વળી કહ્યું છે કે “હે ગૌતમ! દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રીની સેવાથી પ્રાણી સાત વાર સાતમી નરકે જાય છે.’’ વળી કહ્યું છે કે ‘‘કોઈ પણ પુરુષ પરસ્ત્રીની સાથે જેટલા આંખોના મીચકારા કરે તેટલા હજાર કલ્પ સુધી તે નરકાગ્નિ વડે પચાય છે.'' આ પ્રમાણે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy