SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૩] કુશીલનું ફળ ૯૯ રાજા રાણી વિચાર કરવા લાગ્યા, “અરે! આપણે અહીં ક્યાંથી? આપણી મહા કોમળ શય્યા જ્યાં ગઈ? આપણા રાજવૈભવનું શું થયું?” આમ વિચારતાં બન્ને ત્યાંથી આગળ ચાલ્યા. થોડે દૂર જતાં સુકુમાલિકાને તૃષા લાગી. તેના કંઠ અને તાલુ સુકાઈ ગયા. તેણે રાજાને કહ્યું, “સ્વામી! મારા જીવિતને બચાવવા જળ લાવી આપો.” રાજા જળ લાવવા ગયો, પણ કોઈ ઠેકાણે જળ જોવામાં આવ્યું નહી. પછી ખાખરાના પત્રનો પડીઓ કરી તેમાં પોતાના બાહુની નસમાંથી રુધિર કાઢી તે પડીઓ પૂર્ણ ભર્યો. તે લાવી રાણીને આપતા કહ્યું કે, “પ્રિયે! આ ખાબોચિયાનું જળ અતિ મલિન છે, તેથી નેત્ર મીંચીને પી જા.” રાણીએ તેમ કરીને પાન કર્યું. પછી ક્ષણવારે તે બોલી–“સ્વામી! મને સુઘા બહુ લાગી છે. તેથી રાજાએ દૂર જઈ છરી વડે પોતાની સાથળનું માંસ છેદી તેને અગ્નિમાં પકાવી રાણીની પાસે મૂક્યું અને પક્ષીનું માંસ કહી તેને ખવરાવ્યું. અનુક્રમે ત્યાંથી કોઈ દેશમાં આવી પોતાના આભૂષણો વેચી કાંઈક વ્યાપાર કરીને રાજા તેનું પોષણ કરવા લાગ્યો. એક વખતે રાણીએ કહ્યું, “સ્વામી! જ્યારે તમે વ્યાપાર કરવા બહાર જાઓ છો ત્યારે હું એકલી ઘરમાં રહી શકતી નથી.” આવાં વચન સાંભળી રાજાએ એક પાંગળા માણસને ચોકીદાર તરીકે ઘર પાસે રાખ્યો. તે પાંગળા માણસનો કંઠ ઘણો મઘુર હતો, તેથી રાણી મોહ પામી, અને તેને સ્વામી તરીકે સ્વીકાર્યો. ત્યારથી સુકુમાલિકા પોતાના પતિને મારવા માટે છિદ્રો જોવા લાગી. એક વખતે રાજા રાણીને લઈને વસંતત્રતુમાં જળક્રીડા કરવા માટે ગંગાતટે ગયો. રાજાએ મધુપાન કર્યું. જ્યારે રાજા બેભાન થયો, ત્યારે રાણીએ તેને ગંગાના પ્રવાહમાં વહેતો મૂકી દીઘો. પછી રાણી સુકુમાલિકા પેલા પાંગળાને લઈને સ્વેચ્છાથી ગાયન કરાવતી કાંધ ઉપર બેસાડી ભીખ માગતી ભમવા લાગી. તે જોઈ લોકો તેને પૂછવા લાગ્યા કે, “આ કોણ છે?” ત્યારે તે કહેતી કે, “મારા માતાપિતાએ આવો પતિ જોયો છે, તેથી તેને અંઘ ઉપર વહન કરું છું.” અહીં જિતશત્રુ રાજાને ગંગામાં તણાતાં એક કાષ્ઠ પ્રાપ્ત થયું. તેના યોગે તે તરીને બહાર નીકળ્યો અને નદી કિનારે કોઈ એક વૃક્ષની તળે સૂઈ ગયો. તે સમયે સમીપે આવેલા કોઈ નગરનો રાજા ગુજરી ગયો હતો, તેથી તેના મંત્રીઓએ પંચદિવ્ય કર્યા હતા, તે ત્યાં આવીને ઊભા રહ્યા. એટલે રાજાને જાગૃત કરી મંત્રીઓએ તેને રાજ્ય ઉપર બેસાર્યો. દૈવયોગે પેલી સુકુમાલિકા પંગુ સાથે ભટકતી અને ભીખ માગતી તે જ નગરમાં આવી ચડી. તે બન્ને સતીપણાથી અને ગીતમાઘુર્યથી તે નગરમાં વિખ્યાત થયા. તેની વિખ્યાતિ સાંભળી રાજાએ તેમને પોતાની પાસે બોલાવ્યા. તેમને જોતાં જ રાજાએ ઓળખી લીધા. તેથી તે બોલ્યો કે, “હે બાઈ! આવા બિભત્સ પાંગળાને ઉપાડીને તું કેમ ફરે છે?” તે બોલી, “માતાપિતાએ જેવો પતિ આપ્યો હોય તેને સતીઓએ ઇંદ્રના જેવો માનવો.” તે સાંભળી રાજા બોલ્યો-“હે પતિવ્રતા! તને ઘન્ય છે. પતિના બાહુનું રુધિર પીધું અને સાથળનું માંસ ખાધું, તો પણ છેવટે તેને ગંગાના પ્રવાહમાં નાખી દીધો. અહો!કેવું તારું સતીપણું!' આ પ્રમાણે કહી તે ન્યાયી રાજાએ સ્ત્રીને અવધ્ય જાણી પોતાના દેશની હદપાર કરી, અને આવું પ્રત્યક્ષ સ્ત્રીચરિત્ર જોઈ તેણે સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરવારૂપ મહાવ્રત લીધું. “સુકુમાલિકાનું ચરિત્ર જોઈ જિતશત્રુ રાજા વિષયસુખથી વિરક્ત થયો અને કામક્રોધાદિ શત્રુઓનો જય કરી તેણે પોતાનું જિતશત્રુ નામ સાર્થક કર્યું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy