SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ વ્યાખ્યાન ૯૩ કુશીલનું ફળ હવે સ્ત્રીઓના અંગ જોઈને જે મોહ પામે છે તેમને શિક્ષા આપે છે– वामांगीनां मुखादीनि, किं वीक्ष्य वीक्ष्य हृष्यसि । क्षणं हर्षमिषाद्दत्ते, श्वभ्रादिषु રુખં પરમ્ ||શા ભાવાર્થ—“અરે મૂર્ખ! સુંદર સ્ત્રીઓના મુખ વગેરે જોઈને તું શું હર્ષ પામે છે? તે ક્ષણવાર હર્ષ આપવાના મિષથી નરકાદિકમાં મહા મોટી પીડાને આપે છે.’ ૯૮ આ વિષે એવી ભાવના કરવી કે કવિ સ્ત્રીના મુખને ચંદ્રની ઉપમા આપે છે, પણ તે શ્લેષ્મ અને થૂંક વગેરે નિંદ્ય વસ્તુઓથી ભરપૂર છે. અને તે મુખ રત્નપ્રભાદિ નારકીના પ્રયાણનું મુખ છે. સ્ત્રીના કાળા કેશની વેણી મોક્ષમાર્ગે જતાં આડી સર્પિણીરૂપ છે. તેનો સુંદર સીમંત (સેંથો) સીમંત નામના નરકાવાસને આપનાર છે. તેની નાસિકા સ્વર્ગની નાશિકા (નાશ કરનારી) છે. સ્ત્રીના બિંબાઘરનું પાન કરનાર પોતાને સર્વસ્વ મળેલું માને છે, પણ તે મિષે યમરાજ તેનું આયુષ્ય પીએ છે તે જાણતો નથી. મૂઢ કામી તેના કુચકુંભને આલિંગન કરી સૂએ છે, પણ તે તેનાથી થનારી કુંભીપાકની વેદનાને ભૂલી જાય છે. અન્ન માણસ સ્ત્રીને ભુજાનું આલિંગન દઈને સૂએ છે અને તેમાં બહુ સુખ માને છે, પણ ગર્ભની વેદના અને યોનિમાંથી નીકળતાં થયેલાં દુઃખનું તેને વિસ્મરણ થઈ જાય છે. આ સર્વનો વિચાર કરીને જે વામાંગીનો ત્યાગ કરે છે તેને ખરેખરો વિવેકી સમજવો. કહ્યું છે કે— [સ્તંભ ૭ दर्शनात् स्पर्शनात् श्लेषात्, या हंति समजीवितं । हेयोग्रविषनागीव, वनिता सा विवेकीभिः ॥ १ ॥ ભાવાર્થ—“જે સ્ત્રી, દર્શનથી, સ્પર્શથી અને આલિંગનથી સમતારૂપ જીવિતને હણે છે, તે સ્ત્રીને ઉગ્ર વિષવાળી નાગણની જેમ વિવેકી પુરુષોએ તજી દેવા યોગ્ય છે.’’ સ્ત્રીઓના સંસર્ગથી થતું દુઃખ તો સિંહાદિકના સંબંધથી થતા દુઃખથી પણ અધિક છે.કહ્યું છે કે– निरंकुशा नरे नारी, तत्करोत्यसमञ्जसा । यत्क्रुद्धा सिंहशार्दूलाः, व्याला अपि न कुर्वते ॥ ભાવાર્થ-“નિરંકુશ થયેલી સ્ત્રી પોતાના પુરુષ ઉપર જે અઘટિત આચરે છે તેવું ક્રોધી થયેલા સિંહ, શાર્દૂલ કે સર્પો પણ આચરતા નથી.'' આ વિષે સુકુમાલિકાનો પ્રબંધ છે તે આ પ્રમાણે— સુકુમાલિકાની કથા Jain Education International ચંપાપુરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને યથાર્થ નામવાળી સુકુમાલિકા નામે રાણી હતી. રાજા જિતશત્રુ તેના પર એટલો બધો આસક્ત હતો કે, તે રાજ્યાદિકની પણ ચિંતા કરતો નહીં. આવી રાજાની વર્તણૂકથી પ્રઘાનવર્ગે રાજાને સ્ત્રી સહિત મદિરાપાન કરાવી અરણ્યમાં તજી દીધો અને તેના પુત્રને રાજ્ય ઉપર બેસાડ્યો. જ્યારે મદ્યનો નશો ઊતરી ગયો ત્યારે તે બન્ને ૧ રુવં મહત્ વૃત્તિ પાઠઃ- તેનો અર્થ—મહા રુદન કરાવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy