SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૨] શીલવ્રતનો મહિમા ૯૭ એટલે તત્કાળ નીચે ઊતરી દાસી અને પુત્ર સહિત તેને પોતાના વિમાનમાં બેસાડી આકાશમાર્ગે ચાલ્યો. અંજનાનો બાળક ઘણો ચપળ અને ઉગ્ર પરાક્રમી હતો. તેથી ચાલતા વિમાનની ઘૂઘરીઓનો નાદ સાંભળી તે બાળકને ઘૂઘરી લેવાનું કૌતુક થયું, તેથી તેણે ઘૂઘરી લેવા ચપળતાથી આગળ આગળ હાથ લંબાવવા માંડ્યો. એમ કરતાં અકસ્માત્ વિમાનમાંથી તે નીચે પડી ગયો. આ જોઈ અંજનાને મહાદુઃખ ઉત્પન્ન થયું. તેણે આક્રંદ સ્વરે રુદન કરવા માંડ્યું કે,‘‘અરે પ્રભુ! આ શો ગજબ! અરે હૃદય! શું તું વજથી ઘડાયેલું છે અથવા વજના જેવું છે કે પતિના વિયોગે પણ તું ખંડ ખંડ થઈ ગયું નહીં; અને અત્યારે પુત્રવિયોગે પણ ખંડિત થતું નથી? આટલે'ઊંચેથી પડેલો પુત્ર શું બચવાનો છે?’’ આ સાંભળી તેની પછવાડે તેનો મામો ભૂમિ પર ઊતર્યો. તેણે શિલાના ચૂર્ણ (રેતી) ઉપર પડેલા બાળકને જેવો ને તેવો ઉપાડી લઈ તેની માતાને આપ્યો. પછી તે વિદ્યાધર પોતાને ઘેર પહોંચી અંજનાને બાળક સહિત ઘેર મૂકી પોતાનું કોઈ કાર્ય કરવા અન્ય સ્થાનકે ગયો. અહીં પવનંજય વરુણ વિદ્યાધરને સાધી ઘેર આવ્યો. માતા પિતાને પ્રણામ કરી પોતાની પત્નીના વાસગૃહમાં ગયો. તો ત્યાં સ્ત્રીને જોઈ નહીં. તત્કાળ માતા પિતાને પૂછ્યું, ત્યારે તેમણે કલંક લાગવાથી કાઢી મૂક્યા સંબંઘી વાર્તા કહી. તે સાંભળી પવનંજય વિરહવ્યાકુળ થઈ મરણને માટે ચંદનની ચિતા રચી બળી મરવા તૈયાર થયો. તે સમયે તેના મિત્ર ઋષભદત્તે કહ્યું, ‘સખે! જો ત્રણ દિવસમાં અંજનાને ન લાવું તો પછી તારે અવશ્ય ચિતામાં બળવું.' આ પ્રમાણે કહી તેનું નિવારણ કરી ઋષભદત્ત વિમાનમાં બેસી આકાશમાર્ગે પરિભ્રમણ કરતાં ત્રીજે દિવસ સૂર્યપુરે આવી પહોંચ્યો. ત્યાં ઉપવનમાં સ્ત્રીઓની તથા બાળકોની ગોષ્ઠી થતી તેણે સાંભળી. તે વખતે કોઈ બાળકે કહ્યું, ‘મિત્રો! અહીં અંજના નામે કોઈ સુંદરી પુત્ર સહિત આવેલી છે, તે આપણા રાજા સૂર્યકેતુની સભામાં દરરોજ આવે છે.' આવા શબ્દો અકસ્માત્ સાંભળી ઋષભદત્ત હર્ષ પામ્યો અને તત્કાળ તેને આવીને મળ્યો. અંજના તેને જોઈ લજ્જાથી નમ્ર મુખ કરીને પોતાના મામાની પાછળ ઊભી રહી. ઋષભદત્ત પાસેથી પતિના દિગ્વિજયની તેમજ તેના વિરહવ્યાકુળપણાની વાર્તા સાંભળી ત્યાં જવા ઉત્સુક થઈ. પછી તેણે મામાની આજ્ઞા લીધી. તેણે પણ તેને દાસી અને પુત્ર સહિત ઋષભદત્તને સોંપી, એટલે ઋષભદત્ત તેને લઈ વેગથી પવનંજયના નગરમાં આવ્યો. તેના આવ્યાના ખબર સાંભળી પવનંજય ઘણો હર્ષ પામ્યો, અને મોટા ઉત્સવથી તેણે પોતાના સ્ત્રીપુત્રને નગરપ્રવેશ કરાવ્યો. સર્વ લોકો પણ પરમ આનંદ પામ્યા. પવનંજય અને અંજના બન્ને દંપતીને પ્રતિદિન પ્રીતિમાં વૃદ્ધિ થવા લાગી. તે પુત્રનું નામ હનુમાન પાડ્યું. તે અતુલ બળવાન થયો. એક વખતે વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનના કોઈ મુનિ ત્યાં પધાર્યા. તેમની દેશના સાંભળી પવનંજય અને અંજનાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી મહાવીર હનુમાન રાજા થયો. તે અતિ હઠીલો અને વાચાળ હતો, તેથી તે શ્રી રામચંદ્રની સેનાનો અધ્યક્ષ થયો, તથા મહાબળવાન થયો. પવનંજય મુનિ અને સતી અંજના સાધ્વી નિરતિચાર વ્રતને પાળી સ્વર્ગે ગયા. “આ પ્રમાણે સતી અંજનાનું સુંદર ચરિત્ર સાંભળી તેને હૃદયમાં ધારણ કરીને ભવ્ય પ્રાણીઓએ શીલની સુગંધથી હૃદયને સુગંધિત કરવું.’’ Jain Educat ભાગ ૨-૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy