SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ર [સ્તંભ ૭ ભાવાર્થ-‘તે સૂચવતી હતી કે, “પતિના વિયોગથી આતુર એવી આ ચક્રવાકી રાત્રિને વિષે આવે છે, જાય છે, ફરી વાર આવે છે, કમળના અંકુરને તાણે છે, પાંખો ફફડાવે છે, ઉન્માદ કરે છે, ભમે છે અને મંદ મંદ બોલે છે. ૯૬ આ પ્રમાણે સાંભળી તેણે પોતાના મિત્ર ઋષભદત્તને તેનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો કે, ‘મિત્ર! દૈવયોગે આ પક્ષીઓને રાત્રે વિયોગ જ થાય છે. આ પક્ષિણી આમ પોકાર કરતી કરતી મૃતપ્રાય થઈ જશે અને પ્રાતઃકાળ થશે એટલે તેનો પતિ જ્યારે તેને મળશે ત્યારે પાછી તે નવીન દેહવાળી થશે.’ આ વખતે અંજનાનું પૂર્વે બાંધેલું ભોગાંતરાય કર્મ ક્ષીણ થઈ ગયું, તેથી પવનંજયના મનમાં તત્કાળ એવો વિચાર આવ્યો કે, ‘અરે! મારી પત્ની અંજનાને છોડ્યાને મને બાર વર્ષ વીતી ગયા છે, તો તે બિચારીના તે વર્ષો શી રીતે વ્યતીત થયા હશે? માટે ચાલ, અહીંથી એક વાર પાછો ઘેર જઈ તેને મળી આવું.' આમ વિચારી કુમાર રાત્રે ગુપ્ત રીતે પાછો ઘેર આવ્યો; અને તે દિવસે જ ઋતુસ્નાતા થયેલી અંજનાને પ્રેમપૂર્વક ભોગવી. પછી પોતાના નામથી અંકિત મુદ્રિકા તેને નિશાની માટે આપી તે પાછો પોતાના કટકમાં આવ્યો. તેના ગયા પછી અનુક્રમે અંજનાને ઉદરવૃદ્ધિ થતાં તેની સાસુએ તેના પર કલંક આપ્યું. તેણે પોતાના પતિના નામથી અંકિત મુદ્રિકા બતાવી, તથાપિ તે કલંક ઊતર્યું નહીં; અને તેને એક દાસીની સાથે ગૃહની બહાર કાઢી મૂકી. ત્યાંથી નીકળીને તે પોતાના પિતાને ઘેર આવી, પરંતુ ત્યાં પણ કલંકની વાર્તા જાણીને તેમણે પણ તેને રાખી નહીં; એટલે તે માત્ર એક દાસી સાથે વનમાં ગઈ. પૂર્ણ માસ થતાં તેણે એક દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો, અને મૃગબાલની જેમ તે તેનું પાલન કરવા લાગી. એક વખતે દાસી જળ લેવા ગઈ હતી. ત્યાં તેણે માર્ગમાં એક મુનિને કાયોત્સર્ગે રહેલા જોયા. તેણે અંજનાને તે વાત કરી; એટલે અંજના તેમની પાસે જઈ નમસ્કાર કરીને બેઠી. મુનિએ કાયોત્સર્ગ પા૨ી ધર્મદેશના આપી. તે સાંભળી અંજનાએ પોતાને પડેલા દુઃખનું કારણ પૂછ્યું. મુનિએ અવધિજ્ઞાનથી તેનો પૂર્વભવ જણાવ્યો કે, “હે અંજના! કોઈ ગામમાં એક ધનવાન શ્રેષ્ઠીની તું મિથ્યાત્વી સ્ત્રી હતી. તારે એક બીજી સપત્ની હતી. તે પરમ શ્રાવિકા હતી. તે પ્રતિદિન જિનપ્રતિમાની પૂજા કરીને પછી ભોજન લેતી હતી. તું તેની ઉપર દ્વેષ ધારણ કરતી સતી હંમેશા તેના અપવાદ બોલતી અને તેના મર્મનું ઉદ્ઘાટન કરતી હતી. એક વખતે તેં તેની જિનપ્રતિમાને કચરામાં સંતાડી દીધી; તેથી જિનપૂજા કર્યા વગર તેણે મુખમાં જળ પણ નાખ્યું નહીં, અને તે ઘણી આકુળવ્યાકુળ થઈ ગઈ. એટલે તેણે જેને તેને પ્રતિમા વિષે પૂછવા માંડ્યું. તેવામાં કોઈએ કચરામાં રહેલી પ્રતિમા બતાવવા માંડી, પણ તેં બતાવવા ન દેતાં તેની ઉપર ધૂળ નાખી. એવી રીતે બાર મુહૂર્ત સુધી રાખતાં જ્યારે તે ઘણી દુઃખી થઈ, ત્યારે તેં દયા લાવી તેને પ્રતિમા લાવી આપી. તે પાપથી તારે તારા પતિ સાથે બાર વર્ષનો વિયોગ થયો હતો. હવે તે કર્મ ક્ષીણ થવાથી તારો મામો અહીં આવી તને પોતાને ઘેર લઈ જશે. ત્યાં તારો સ્વામી પણ તને મળશે.’’ આ પ્રમાણે મુનિ કહેતા હતા તેવામાં એક વિદ્યાધર ઉપર થઈને જતો હતો તેનું વિમાન ત્યાં સ્ખલિત થયું. વિદ્યાઘરે તેનું કારણ જાણવા નીચે જોયું, ત્યાં પોતાની ભાણેજ અંજનાને જોઈ તેણે ઓળખી; For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy