SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૧] અત્યંત કામાસક્તિનું પરિણામ ૯૩ અતિથિ થઈ ગઈ. તે દેખાવ જોઈને સર્વ સ્ત્રીઓને એક સાથે ભય ઉત્પન્ન થયો, તેથી તત્કાળ તેમણે ચિંતવ્યું કે, “આ પાપી આપણને પણ આ સ્ત્રીની જેમ મારી નાખશે, માટે આપણે એકત્ર થઈને તેને જ મારીએ.” આવો વિચાર કરીને તે સર્વ સ્ત્રીઓએ પોતાના હાથમાં રહેલા દર્પણ દૂરથી તેના પર ફેંક્યા. સમકાળે ચારસો ને નવાણું દર્પણોના પ્રહારથી તે સોની મૃત્યુ પામ્યો. પછી સર્વ સ્ત્રીઓ પણ રાજ્યભયાદિથી તથા પતિ હત્યાના પશ્ચાત્તાપે ઘર બાળી તે સોનીની સાથે જ બળી મૂઈ. તે ચારસો ને નવાણું સ્ત્રીઓ પશ્ચાત્તાપ અને અકામનિર્જરાથી મૃત્યુ પામી કોઈ અરણ્યમાં ચોરકુળમાં પુત્રપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે તે સર્વ લોકોને લૂંટનારા મહાતસ્કર થયા. જે સ્ત્રી પહેલાં મરણ પામી હતી, તે કોઈ ગામમાં દરિદ્રી બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે તે પુત્ર પાંચ વર્ષનો થયો. પાંચ વર્ષ સુધી પેલા સોનીનો જીવ તિર્યંચ યોનિમાં ભમી તે જ દરિદ્રી બ્રાહ્મણને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થયો. માતાપિતાએ પેલા પુત્રને આ બાલિકાનો પાલક કર્યો. તે બાલિકા હંમેશાં બહુ રોતી હતી, થોડી વાર પણ રુદન કરવાથી વિરામ પામતી નહીં. એક વખતે તેને રોતી બંઘ કરવા માટે તેના બંધુએ તેના ઉદર ઉપર હાથ ફેરવવા માંડ્યો. એમ કરતાં તેના ગુહ્યભાગ પર સ્પર્શ થઈ જવાથી તત્કાળ તે રોતી બંઘ પડી અને હસવા લાગી. આથી તેના બંધુને તેના રુદનને શાંત કરવાનો ઉપાય મળી ગયો. ત્યારથી જ્યારે તે બાળા રુએ કે તે તેની યોનિ ઉપર હાથ અડાડતો, એટલે તરત જ તે શાંત થતી. એક વખતે આવો ઉપાય કરતાં તે પુત્રને તેના માતાપિતાએ જોયો. તેથી તરત જ તેને મારીને ઘર બહાર કાઢી મૂક્યો. ત્યાંથી વનમાં જતાં તે પુત્ર પેલા ચારસો ને નવાણું ચોરને મળ્યો, ત્યારથી તેઓ પૂરા પાંચસો થયા. પેલી બાળા બાલ્યવયથી જ કુલટા થઈ. એક વખતે તે બાળા કોઈ ગામે ગઈ હતી. તે દિવસે પેલા ચોરોએ તે ગામ લુંટ્યું અને તે બાળાને પકડીને લઈ ગયા. પછી સર્વેએ મળીને તેને પોતાની સ્ત્રી કરી. તે એકલી સર્વની સાથે ભોગ ભોગવવા લાગી. અન્યદા કેટલાક ચોરોએ તેના પર દયા આવવાથી વિચાર્યું કે, “આ બાળા એકલી જ સર્વેની સાથે નિરંતર ભોગ ભોગવશે તો જરૂર તે મૃત્યુ પામી જશે; તેથી તેની પ્રીતિને માટે કોઈ બીજી સ્ત્રી હરી લાવીએ તો ઠીક.” આવો વિચાર કરી તે ચોરો એક બીજી સ્ત્રીને હરી લાવ્યા. પછી સર્વ ચોરો તે બન્ને સ્ત્રીઓની સાથે ભોગસુખ અનુભવતા કાળ નિર્ગમન કરવા લાગ્યા. કેટલાક દિવસો ગયા પછી પ્રથમની સ્ત્રી કે જે ઘણી કામી હતી તેણે પાપબુદ્ધિથી વિચાર્યું કે, આ બીજી સ્ત્રી મારા કામવિલાસમાં વિધ્ર કરનારી સપત્ની (શોક્ય) થઈ છે, તો કોઈ ઉપાય વડે હું તેને મારી નાખું તો સારું.” આવો વિચાર કરીને તે તેના છિદ્ર જોવા લાગી. એક દિવસે એવું બન્યું કે, બઘા ચોરો ઘાડ પાડવા ગયા હતા, તેથી ઘર નિર્જન હતું, એટલે તે ઈર્ષાળુ અને ક્રોધિષ્ઠ પાપી સ્ત્રીએ પેલી સરળ સ્ત્રીને છેતરીને કોઈ ઊંડા કૂવામાં નાખી દીઘી. થોડી વારે પેલા ચોરો ચોરી કરીને આવ્યા અને પૂછ્યું કે, “તારી સપત્ની બહેન ક્યાં ગઈ છે?” તે બોલી–“ક્યાં ગઈ તે હું જાણતી નથી. ચોરોએ ચિંતવ્યું કે, “જરૂર તે બિચારી મુગ્ધાને આ પાપિણીએ મારી નાખી હશે. તે સમયે પેલા વિપ્રચોરે વિચાર્યું કે, “આ દુર્મતિ સ્ત્રી મારી બહેન તો નહીં હોય? પણ તે શી રીતે જણાય? જો કોઈ જ્ઞાની આવે તો પૂછી જોઉં.” આ પ્રમાણે ચિંતવતો હતો તેવામાં (શ્રી વીરપ્રભુ કહે છે કે, તેણે અમારું આગમન લોકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy