________________
६७
જૈન સંસ્કૃતિનું હૃદય ધાર્મિક અનુષ્ઠાનેને એકદમ હેય કહેતા હતા. ઉદ્દેશ અને દૃષ્ટિમાં પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર હોવાથી પ્રવર્તક ધર્મના અનુયાયીઓ માટે જે ઉપાદેય ગણતું તે જ નિવર્તક ધર્મના અનુયાયીઓ માટે હેય બની ગયું. જોકે મેક્ષને માટે પ્રવર્તક ધર્મને બાધક ગણવામાં આવ્યો, પણ એની સાથે જ મોક્ષવાદીઓને માટે પોતાના સાધ્યમેક્ષપુરુષાર્થના ઉપાયરૂપે કેઈક સુનિશ્ચિત માર્ગની શોધ કરવી, એ પણ જરૂરી થઈ પડયું. આ શોધની સૂઝમાંથી એમને એક એવો માર્ગ, એક એ ઉપાય મળી આવ્યો કે જે બાહ્ય સાધનો ઉપર આધાર રાખતે ન હતે; એ કેવળ સાધકની પિતાની વિચારશુદ્ધિ અને વતનશુદ્ધિ ઉપર જ નિર્ભર હતે. વિચાર અને વર્તનની આત્યંતિક–સંપૂર્ણ શુદ્ધિને આ ભાગ જ નિવર્તક ધર્મને નામે કે મેક્ષ માર્ગને નામે પ્રસિદ્ધ થયો.
ભારતીય સંસ્કૃતિના આ વિચિત્ર અને વિવિધ તાણુવાણુની તપાસ કરતાં આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે કે ભારતીય આત્મવાદી દર્શનમાં કર્મકાંડી મીમાંસકને બાદ કરતાં બધાય નિવકધર્મવાદી છે. અવૈદિક ગણાતા બૌદ્ધ અને જૈન દર્શનની સંસ્કૃતિ તે મૂળમાં નિવકધર્મસ્વરૂપ છે જ, પણ વૈદિક ગણાતા ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ તથા ઔપનિષદ દર્શનને આત્મા પણ નિવક ધમ ઉપર જ પ્રતિષ્ઠિત છે. વૈદિક હોય કે અવૈદિક, આ બધાય નિવર્તક ધર્મો અંતે પ્રવર્તક ધર્મને કે યજ્ઞયાગાદિ અનુષ્ઠાનોને હેય જ માને છે. અને એ બધાય સમ્યજ્ઞાન કે આત્મજ્ઞાનને તથા આત્મજ્ઞાનમૂલક અનાસક્ત જીવનવ્યવહારને ઉપાદેય માને છે, તેમ જ એના દ્વારા જ પુનર્જન્મના ચક્રાવાથી છુટકારો મળી શકે એમ કહે છે. સમાજગામી પ્રવર્તક ધર્મ
ઉપર જણાવવામાં આવ્યું છે કે પ્રવર્તક ધર્મ સમાજગામી હતો. એનો અર્થ એ કે દરેક વ્યકિત સમાજમાં રહીને જ, જે સામાજિક ફરજો અહિક જીવન સાથે સંબંધ ધરાવતી હોય અને જે ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org