SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જૈનધર્મને પ્રાણ અનેક પંથેની સમાલોચના કરતા રહે છે, અને કહે છે કે અમુક પંથને અમુક નાયક અમુક માને છે, બીજે અમુક માને છે, પણ હું એની સાથે સંમત નથી, હું તે આ પ્રમાણે માનું છું ઇત્યાદિ. બુદ્ધ સમસ્ત પિટકમાં એવું ક્યાંય નથી કહ્યું કે હું જે કહું છું તે તે ફક્ત પ્રાચીન છે, અને હું તે માત્ર એને પ્રચારક જ છું. બુદ્ધના સર્વ કથનની પાછળ એક જ ભાવ છે, અને તે એ કે, મારો માર્ગ મારી પિતાની શોધનું ફળ છે, જ્યારે મહાવીર એમ નથી કહેતા. કારણ કે એકવાર પાશ્વપત્યિકેએ મહાવીરને કેટલાક પ્રશ્નો પૂળ્યા તે એમણે પાર્શ્વનાથનાં જ વચનોની સાક્ષી આપીને પાર્શ્વપત્યિકેને પિતાના પક્ષના બનાવી દીધા. એ કારણે જ બુદ્દે પિતાના મતની સાથે બીજા કોઈ સમકાલીન કે પૂર્વકાલીન મતને સમન્વય નથી કર્યો; એમણે કેવળ પિતાના મતની વિશેષતાઓ બતાવી છે, જ્યારે મહાવીરે એવું નથી કર્યું. તેઓએ પાર્શ્વનાથના તે સમયના સંપ્રદાયના અનુયાયીઓ સાથે પોતાના સુધારા કે ફેરફારોને સમન્વય કર્યો છે. તેથી મહાવીરને માર્ગ પાર્શ્વનાથના સંપ્રદાય સાથેની એમની સમન્વયવૃત્તિનો સૂચક છે. બુદ્ધ અને મહાવીરની વચ્ચે ધ્યાન આપવા એગ્ય બીજું અંતર જીવનકાલનું છે. બુદ્ધ ૮૦ વર્ષે નિર્વાણ પામ્યા, જ્યારે મહાવીર ૭૨ વર્ષની ઉંમરે. હવે તે એ નિશ્ચિત જેવું થઈ ચૂક્યું છે કે બુદ્ધનું નિર્વાણ પહેલાં અને મહાવીરનું પછી થયું હતું. આ રીતે મહાવીર કરતાં બુદ્ધ જરૂર કંઈક વૃદ્ધ હતા; એટલું જ નહીં પણ મહાવીરે સ્વતંત્રરૂપે ધર્મોપદેશ આપવો શરૂ કર્યો એની પહેલાં જ બુધે પિતાના માર્ગની ૧. મજિઝમનકાય સુર ૫૬. અંગુત્તરનિકાય વોટ ૧. પૃ. ૨૦૬; વ. ૩, પૃ૦ ૩૮૩. ૨. ભગવતી ૫-૯-૨૨૫. ૩. ઉત્તરાધ્યયન અ૦ ૨૩. ૪. વીરનિર્વાણસંવત ઔર જૈન કાલગણના. ભારતીય વિદ્યા ભા. ૩ ૫ ૧૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy