________________
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા
૫૩
(૩) નિગ્રંથ સંપ્રદાયની અનેક બાબતોનું બુદ્ધ તથા એમના સમકાલીન શિષ્યોએ નજરે જોયા જેવું વર્ણન કર્યું છે–ભલે પછી એ વર્ણન પ્રાસંગિક હોય કે ખંડનની દૃષ્ટિથી કરવામાં આવ્યું હોય.
એટલા માટે બૌદ્ધ પિટકમાં મળતા નિગ્રંથ સંપ્રદાયના આચારવિચારને લગતા નિર્દેશ એતિહાસિક દષ્ટિએ ખૂબ મહત્વ છે. પછી
જ્યારે આપણે બૌદ્ધ ફિરકામાં આવતા નિગ્રંથ સંપ્રદાય સંબંધી નિર્દેશોની, ખુદ નિગ્રંથ પ્રવચનરૂપે ઉપલબ્ધ આગમિક સાહિત્યમાંના નિર્દેશોની સાથે, શબ્દ અને ભાવની દષ્ટિએ, સરખામણું કરીએ છીએ ત્યારે એમાં સંદેહ નથી રહેતો કે બન્ને નિર્દેશ પ્રમાણભૂત છે–ભલે પછી બન્ને બાજુએ વાદી-પ્રતિવાદીને ભાવ રહ્યો હોય. જેવી બૌદ્ધ પિટકાની રચના અને સંકલનાની સ્થિતિ છે, લગભગ એવી જ સ્થિતિ પ્રાચીન નિગ્રંથ આગમોની છે. બુદ્ધ અને મહાવીર
બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. બન્ને શ્રમણ સંપ્રદાયના સમર્થક હતા, છતાં બન્ને વચ્ચેનું અંતર જાણ્યા વિના આપણે કઈ નિર્ણય ઉપર નથી પહોંચી શકતા. પહેલું અંતર તો એ છે કે બુદ્ધ મહાભિનિષ્ક્રમણથી લઈને તે પિતાના નવા માર્ગ–ધર્મચક્રનું પ્રવર્તન કર્યું, એ છ વર્ષ દરમ્યાન તેઓ એ સમયે પ્રચલિત ભિન્ન ભિન્ન તપસ્વી અને યોગી સંપ્રદાયનો એક પછી એકનો સ્વીકાર અને ત્યાગ કરતા રહ્યા, જ્યારે મહાવીરને કુળપરંપરાથી જે ધર્મમાર્ગ પ્રાપ્ત થયો હતા એને સ્વીકાર કરીને તેઓ આગળ વધ્યા અને એ કુળ પરંપરાગત ધર્મમાં પિતાની સૂઝ અને શક્તિ પ્રમાણે એમણે સુધારો કે શુદ્ધિ કર્યા. એકને માર્ગ જૂના પંથોનો ત્યાગ કર્યા બાદ નવા ધર્મસ્થાપનને હતા, તે બીજાને માર્ગ કુળધર્મનું સંશોધન માત્ર હતો. તેથી આપણે જોઈએ છીએ કે બુદ્ધ ઠેર ઠેર પહેલાં સ્વીકારેલ અને નહીં સ્વીકારેલ
૧. મઝિમનિકાય સુર ૧૪, ૫૬. દીઘનિકાય સુ૨૯, ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org