________________
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા મુખ્ય શ્રમણ સંપ્રદાય અને તેની ઓળખ
બ્રાહ્મણ કે વૈદિક ધર્મનુયાયી સંપ્રદાયને વિધી સંપ્રદાય, શ્રમણ સંપ્રદાય કહેવાય છે, જે ભારતમાં ઘણે ભાગે વૈદિક સંપ્રદાયના પ્રવેશની પહેલાંથી જ, કેઈ ને કોઈ રૂપમાં અને કોઈને કોઈ પ્રદેશમાં અવશ્ય અસ્તિત્વ ધરાવતો હતો. શ્રમણ સંપ્રદાયની શાખાઓ અને પ્રશાખાઓ અનેક હતી, જેમાં સાંખ્ય, જૈન, બૌદ્ધ, આજીવક વગેરેનાં નામ જાણીતાં છે. શ્રમણ સંપ્રદાયની પ્રાચીન અનેક શાખાઓ અને પ્રશાખાઓ એવી હતી કે જે પહેલાં તે વૈદિક સંપ્રદાયની સાવ વિરોધી હતી, પણ ધીમે ધીમે એ, એક યા બીજે કારણે, વૈદિક સંપ્રદાયમાં હળીમળી ગઈ હતી. દાખલા તરીકે આપણે વૈષ્ણવ અને શિવ સંપ્રદાયનાં નામ દઈ શકીએ. પ્રાચીન વૈષ્ણવ અને શૈવ આગ વૈદિક સંપ્રદાયથી કેવળ ભિન્ન હતા એટલું જ નહીં, પણ એનો વિરોધ સુધ્ધાં કરતા હતા. અને એટલા માટે વૈદિક સંપ્રદાયના સમર્થક આચાર્યો પણ પ્રાચીન વૈષ્ણવ અને શૈવ આગમોને વેદવિરોધી માનીને એમને વેદબાહ્ય માનતા હતા; પણ અત્યારે, આપણે જોઈ શકીએ છીએ કે, એ જ વૈષ્ણવ અને શિવ સંપ્રદાયે તથા એમની અનેક શાખાઓ બિલકુલ વૈદિક સંપ્રદાયમાં મળી ગઈ છે. આ જ સ્થિતિ સાંખ્ય સંપ્રદાયની છે, જે પહેલાં અવેદિક મનાતું હતું, પણ અત્યારે વૈદિક મનાય છે. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org