________________
જૈનધર્મના પ્રાણ
૪૯
પ્રાચીન બૌદ્ધ ક્ષણિકવાદ સંગ્રહીત થયા છે, ત્યાં જ, તે પછીના મહાયાની વિકાસની પછી, ઋણુસૂત્રનયરૂપે વૈભાષિક, સૌત્રાન્તિક, વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ, એ ચારે પ્રસિદ્ધ બૌદ્ધશાખાઓના સંગ્રહ થયેા છે.
અનેકાંતદૃષ્ટિનુ કાર્ય ક્ષેત્ર એટલુ બધુ વ્યાપક છે કે એમાં માનવજીવનને હિતકારી એવી બધી લૌકિક-લેાકેાત્તર વિદ્યાએ પેાતપેાતાનુ યેાગ્ય સ્થાન પ્રાપ્ત કરી લે છે. તેથી જ જૈન શ્રુતવિદ્યામાં લેાકેાત્તર વિદ્યાઓ ઉપરાંત લૌકિક વિદ્યાએએ પણ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
પ્રમાણવિદ્યામાં પ્રત્યક્ષ, અનુમિતિ વગેરે જ્ઞાનના બધાય પ્રકારાનુ, એમનાં સાધનાનું તથા એના બળાબળનુ સવિસ્તર વિવરણ આવે છે. એમાં પણ અનેકાંતષ્ટિના એવા ઉપયાગ કરવામાં આવ્યા છે કે જેથી કાઈ પણ તત્ત્વચિંતકના યથા વિચારની અવગણના કે ઉપેક્ષા નથી થતી; ઊલટુ જ્ઞાન અને એનાં સાધના સાથે સબંધ ધરાવતા બધાય જ્ઞાન-વિચારાને યથાવત્ વિનિયેાગ કરવામાં આવ્યે છે.
અહી સુધીનું વન જૈન પર પરાના પ્રાણુરૂપ અહિંસા અને અનેકાંતની સાથે સંબંધ ધરાવે છે. જેવી રીતે શરીર વગર પ્રાણનુ રહેવું અસંભવ છે, એવી જ રીતે ધર્મશરીર વગર ધ`પ્રાણુ ટકી રહેવું પણ અસભવ છે. જૈન પરંપરાનું ધર્માંશરીર પણ સંધરચના, સાહિત્ય, તી, મદિર વગેરે ધર્માંસ્થાના, શિલ્પસ્થાપત્ય, ઉપાસનાવિધિ, ગ્રંથના સંગ્રહ ધરાવતા ભડારા વગેરે અનેક રૂપે વિદ્યમાન છે. [દઔચિ॰ ખં૰ ૨, પૃ૦ ૧૧૬-૧૩૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org