________________
જૈનધર્મને પ્રાણ
૪૧
જીવોમાં દેખાતા ભેદનું મૂળ અધિકાન [અર્થાત ઉપાદાન કારણ એક, શુદ્ધ, અખંડ બ્રહ્મ છે; જ્યારે જૈન જેવી દૈતવાદી પરંપરાઓ પ્રમાણે પ્રત્યેક જીવાત્મા તત્વરૂપે સ્વતંત્ર અને શુદ્ધ બ્રહ્મ છે. એક પરંપરા પ્રમાણે અખંડ એક બ્રહ્મમાંથી જુદા જુદા જીવોની સૃષ્ટિ પેદા થઈ છે;
જ્યારે બીજી પરંપરા પ્રમાણે જુદા જુદા સ્વતંત્ર અને સમાન અનેક શુદ્ધ બ્રહ્મ જ અનેક જીવ છે. દંતમૂલક સમાનતાના સિદ્ધાંતમાંથી જ અદ્વૈતમૂલક એક્યનો સિદ્ધાંત ક્રમે ક્રમે વિકસિત થયો હોય એમ લાગે છે, પરંતુ અહિંસા આચાર અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિવાદ અદૈતવાદમાં પણ દૈતવાદના વિચારની જેમ જ ઘટાવવામાં આવ્યો છે. વાદ ગમે તે હોય, પણ અહિંસાની દૃષ્ટિએ મહત્ત્વની વાત એક જ છે કે બીજા જીવોની સાથે સમાનતા કે અભેદનું વાસ્તવિક સંવેદન થવું એ જ અહિંસાની ભાવનાને ઉદ્ગમ છે. કમવિદ્યા અને બંધ-મેલ
- જ્યારે તાત્વિક રીતે બધા જીવાત્મા સમાન છે, તો પછી એમનામાં પરસ્પર વૈવમ્ય શા માટે તથા એક જ જીવાત્મામાં પણ કાળભેદે વૈષમ્ય શા માટે ? આ સવાલના જવાબમાંથી જ કર્મવિદ્યાનો જન્મ થયો છે. જેવું કામ એવી અવસ્થા, એ માન્યતા વૈષમ્યનો ખુલાસો કરી દે છે, પણ સાથે જ સાથે એ એમ પણ કહે છે કે ખરાબ કે સારું કર્મ કરવામાં તેમ જ ન કરવામાં જીવ સ્વતંત્ર જ છે; એ જેવો ચાહે તે સારો કે ખરાબ પુરુષાર્થ કરી શકે છે, અને એ જ પોતાના વર્તમાન અને ભાવીને નિર્માતા છે. કર્મવાદ કહે છે કે વર્તમાનનું નિર્માણ ભૂતને આધારે અને ભવિષ્યનું નિર્માણ વર્તમાનને આધારે થાય છે. ત્રણે કાળની પરસ્પર સંગતિ કર્મવાદ ઉપર જ અવલંબિત છે. આ જ પુનર્જન્મના વિચારને આધાર છે.)
ખરી રીતે અજ્ઞાન અને રાગ-દ્વેષ જ કર્મ છે. પિતાનાની અને પારકાની વાસ્તવિક પ્રતીતિ ન થવી એ અજ્ઞાન અથવા, જૈન પરંપરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org