SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જૈનધર્મને પ્રાણ [૧૫] સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ - દષ્ટિ એટલે દર્શન. દર્શનને સામાન્ય અર્થ “દેખવું” એ છે. આંખથી જે જે બોધ થાય તેને “દેખવું” કે “દર્શન” એમ કહેવાય. છે. પરંતુ આ સ્થળે દૃષ્ટિ કે દર્શનને અર્થ “નેત્રજન્ય બેધ” એટલે જ માત્ર નથી; અહીં તેનો અર્થ ઘણો વિશાળ છે. કઈ પણ. ઈન્દ્રિયથી થતું જ્ઞાન, એ બધું અહીં દષ્ટિ કે દર્શનરૂપે અભિપ્રેત છે, એટલું જ નહિ, પણ મનની મદદ વિના જે આત્માને જ્ઞાન શક્ય હોય છે તેવું જ્ઞાન પણ અહીં દૃષ્ટિ કે દર્શનરૂપે અભિપ્રેત છે. સારાંશ એ છે સમ્યગ્દષ્ટિ એટલે કઈ પણ જાતનો સમ્યગૂ બોધ અને મિથ્યા દષ્ટિ એટલે દરેક જાતને મિથ્યા બેધ. દેહ ધારણ કરે, શ્વાસોચ્છવાસ લે, જ્ઞાનેન્દ્રિયોથી જાણવું, કર્મેન્દ્રિયેથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી, પણ મનની અને ચેતનની જુદી જુદી ભૂમિકાઓમાં જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અનેક પ્રકારનાં સંવેદને અનુભવવા તે પણ જીવન છે. આવા વ્યાપક જીવનનાં પાસાં પણ અનેક છે. એ બધાં પાસાંને દેરવણ આપનાર અને જીવનને ચલાવનાર “દૃષ્ટિ' છે. જે દૃષ્ટિ સાચી છે તેનાથી દેરવાતું જીવન ખોડ વિનાનું અને જે દૃષ્ટિ ખોટી કે ભૂલભરેલી, તે તેનાથી દેરવાતું જીવન ખેડખાંપણવાળું જ હેવાનું. તેથી એ વિચારવું પ્રાપ્ત થાય છે કે સાચી દૃષ્ટિ એટલે શું અને ખાટી દૃષ્ટિ. એટલે શું ? કેટલાક શબ્દો ઈન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ પડે છે, તે કેટલાક મનગમ્ય વરતુને જ લાગુ પડે છે. જ્યાં શબ્દનો અર્થ ઈન્દ્રિયગમ્ય હોય ત્યાં તેના અર્થની પકડમાં સુધારો વધારો કરવાનું કામ સહેલું છે, પણ જ્યાં શબ્દનો અર્થ અતીન્દ્રિય કે મનગમ્ય માત્ર હોય ત્યાં અર્થના સુધારાવધારાનું કામ કરવું બહુ અઘરું છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એ શબ્દ ચકલા અને ઘોડા આદિ શબ્દોની પેઠે ઈન્દ્રિય-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy