________________
પૂર્વભૂમિકા નથી. જે આપણે જરીક ઊંડા ઊતરીને તપાસીશું તે સ્પષ્ટ દેખાશે કે નીતિ એ સમાજના ધારણ અને પિષણ માટે આવશ્યક છતાં પણ તેનાથી સમાજનું સંશોધન થતું નથી. સંશોધન એટલે શુદ્ધિ; અને શુદ્ધિ એટલે જ ખરે વિકાસ, એ સમજ જે વાસ્તવિક હોય તે એમ કહેવું જોઈએ કે એ વિકાસ ધર્મને જ આભારી છે. જે સમાજમાં ઉપર કહેલ ધર્મ જેટલે અંશે વધારે અનુસરતા હોય તે સમાજ તેટલે અંશે ચડિયાત.
[દઅચિં- ભા. ૧, પૃ. ૪૪] [૧૩] ધર્મ અને પંથ | પહેલામાં એટલે ધર્મમાં અંતર્દશન હેય છે, એટલે તે આત્માની અંદરથી ઊગે છે અને તેમાં જ ડેકિયું કરાવે છે કે તે તરફ જ માણસને વાળે છે, જ્યારે બીજામાં એટલે પંથમાં બહિર્દર્શન હોય છે, એટલે તે બહારના વાતાવરણમાંથી જ અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે, તેથી બહાર જ નજર કરાવે છે અને માણસને બહારની બાજુ જોવામાં જ રોકી રાખે છે.'
ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હેવાથી તે આત્માના ગુણ ઉપર જ રહેલું હોય છે, જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હોવાથી તેને બધે આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે.'
પહેલામાં એકતા અને અભેદના ભાવો ઊઠે છે અને સમાનતાની ઉમિઓ ઊછળે છે, જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તરાડે પડતી અને વધતી જાય છે. એટલે પહેલામાં માણસ બીજા સાથે પિતાને ભેદ ભૂલી અભેદ તરફ જ ખૂકે છે, અને બીજાના દુઃખમાં પિતાનું સુખ વીસરી જાય છે. ધર્મમાં બ્રહ્મ એટલે સાચા જીવનની ઝાંખી થવાથી તેની વ્યાપકતા સામે માણસને પિતાની જાત અલ્પ જેવી જ ભાસે છે, જ્યારે પંથમાં એથી ઊલટું છે. એમાં ગુણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org