________________
પૂર્વભૂમિકા
[૩] ધનું જ
ધનું ખીજ શું છે, અને એનું પ્રાર ંભિક સ્વરૂપ શું છે? આપણે સૌ અનુભવ કરીએ છીએ કે આપણામાં જિજીવિષા છે. જિજીવિષા કેવળ મનુષ્ય કે પશુ-પક્ષી સુધી જ મર્યાદિત નથી; એ તો ઝીણામાં ઝીણા કીટ, પતંગ અને બેક્ટેરિયા જેવા જંતુઓમાં પણ છે. જિજીવિષાના ગર્ભમાં જ સુખતી જ્ઞાત-અજ્ઞાત અભિલાષા અનિવાય રીતે રહેલી છે. જ્યાં સુખની અભિલાષા છે ત્યાં પ્રતિકૂળ વેદના કે દુ:ખથી બચવાની વૃત્તિ જરૂર હાય છે. આ જિજીવિષા, સુખની અભિલાષા અને દુઃખના પ્રતિકારની ઇચ્છામાં જ ધર્મનું ખીજ રહેલું છે.
કાઈ નાનું કે મોટું પ્રાણી એકલુ પેાતામાં જ જીવવા ઇચ્છે તે જીવી ન શકે, અને એવું જીવન વિતાવી પણ ન શકે. એને પોતાના નાનામેટા સાતીય જૂથને આંશ્રય લીધા વિના ચેન નથી પડતું. જેવી રીતે એ પેાતાના જૂથમાં રહીને એના આશ્રયે સુખને અનુભવ કરે છે, એવી જ રીતે, વખત આવ્યું, પેાતાના જૂથની બીજી વ્યક્તિને પાતાથી બનતી મદદ આપીને પણ એ સુખનેા અનુભવ કરે છે. કીડી, ભમરા અને ઊધઈ જેવા ક્ષુદ્ર જંતુઓનુ વૈજ્ઞાનિક નિરીક્ષણ કરનારાએએ આવી વસ્તુસ્થિતિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આટલી ઝીંણુવટમાં નહીં ઊતરનાર સામાન્ય નિરીક્ષકે પણ પક્ષીઓ અને વાંદરા જેવાં પ્રાણીઓ ઉપરથી જોઈ શકે છે કે પાપટ, મેના, કાગડા વગેરે પક્ષીઓ કેવળ પેાતાનાં સંતાને માટે જ નહીં, બલ્કે પોતાની જાતિના જૂથ ઉપરના સંકટને સમયે પણ એનું નિવારણ કરવા માટે કેવા જીવસટાસટના પ્રયત્ન કરે છે, અને પોતાના જૂથને આશ્રય લેવાનુ કેવી રીતે પસંદ કરે છે! કાઈ વાંદરાના બચ્ચાને પકડી લઈ એ, અને પછી જોઈએ કે કેવળ એની મા જ નહી' પણ એ જૂથનાં નાનાં-મોટાં બધાં વાંદરાં એને બચાવવાના કેવા પ્રયત્ન કરે છે!એ જરીતે પકડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org