________________
જૈનધમ ના પ્રાણ
૨૨૪
અનેક ધર્માં એક વસ્તુમાં છે એમ કહી જ ન શકાય. તેથી વિરેાધપરિહાર તરફ જ સપ્તભંગીની દૃષ્ટિ પહેલવહેલી જાય છે. તે નક્કી કરે છે કે આત્મા નિત્ય છે, પણ સવ દૃષ્ટિએ નહિ; માત્ર મૂળ તત્ત્વની દૃષ્ટિએ તે નિત્ય છે, કારણ કે કત્યારે પણ તે તત્ત્વ ન હતું અને પછી ઉત્પન્ન થયું એમ નથી, તેમ જ કયારેક એ તત્ત્વ મૂળમાંથી જ નાશ પામશે એમ પણ નથી. તેથી તત્ત્વરૂપે એ અનાદિનિધન છે અને તે જ તેનું નિયત્વ છે. આમ છતાં તે અનિત્ય પણ છે, પરંતુ એનું અનિત્યત્વ તત્ત્વદષ્ટિએ ન હતાં માત્ર અવસ્થાની દૃષ્ટિએ છે. અવસ્થાઓ તે પ્રતિસમયે નિમિત્તાનુસાર બદલાતી જ રહે છે. જેમાં કાંઈ ને કાંઈ રૂપાંતર થતું ન હોય, જેમાં આંતરિક કે બાહ્ય નિમિત્ત પ્રમાણે સૂક્ષ્મ કે સ્થૂળ અવસ્થાભેદ સતત ચાલુ ન હેાય એવા તત્ત્વની કલ્પના જ નથી થઈ શકતી. તેથી અવસ્થાભેદ માનવા પડે છે; અને એ જ અનિત્યત્વ છે. આ રીતે આત્મા તત્ત્વરૂપે (સામાન્ય રૂપે) નિત્ય છતાં, અવસ્થારૂપે (વિશેષ રૂપે ) અનિત્ય પણ છે, નિત્યત્વ અને અનિત્યત્વ બન્ને એક જ સ્વરૂપે એક વસ્તુમાં માનતાં વિરાધ આવે; જેમ કે, તત્ત્વરૂપે જ આત્મા નિત્ય છે એમ માનનાર તે જ રૂપે અનિત્ય પણ માને તેા. એ જ પ્રમાણે આત્મા નિત્ય, અનિત્ય આદિ શબ્દ દ્વારા તે તે રૂપે પ્રતિપાદ્ય છતાં સમગ્ર રૂપે કાઈ પણ એક શબ્દથી કહી શકાય નહિ માટે તે અસમગ્ર રૂપે શબ્દના વિષય થાય છે; છતાં સમગ્ર રૂપે એવા કાઈ શબ્દનો વિષય નથી થઈ શકતા, માટે અવક્તવ્ય પણ છે. આ રીતે એક નિયત્વધને અવલંબી આત્માના વિષયમાં નિત્ય, અનિત્ય અને અવતવ્ય એવા ત્રણ પક્ષા-ભંગા વાજબી ઠરે છે.
એ જ પ્રમાણે એકત્વ, સત્ત્વ, ભિન્નત્વ, અભિલાષ્યત્વ આદિ સÖસાધારણ ધર્માં લઈ કાઈ પણ વસ્તુ વિશે એવા ત્રણ ભંગા બને, અને તે ઉપરથી સાત ખતે. ચેતનત્વ, ઘટત્વ આદિ અસાધારણ ધર્મને લઈને પણ સપ્તભંગી ધટાવી શકાય. એક વસ્તુમાં વ્યાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org