________________
સપ્તભંગી
૨૨૫ કે અવ્યાપક જેટજેટલા ધર્મો હોય તે દરેકને લઈ તેની બીજી બાજુ વિચારી સપ્તભંગ ઘટાવી શકાય.
પ્રાચીન કાળમાં આત્મા, શબ્દ આદિ પદાર્થોમાં નિયત્વ-અનિત્યત્વ, સત્વ-અસત્વ, એ બહુત્વ, વ્યાપકત્વ-અવ્યાપક આદિની બાબતમાં પરસ્પર તદન વિરોધી વાદો ચાલતા. એ વાદોનો સમન્વય કરવાની વૃત્તિમાંથી ભંગકલ્પના આવી. એ ભંગકલ્પનાએ પણ પાછું સાંપ્રદાયિક વાદનું રૂપ ધારણ કર્યું અને સપ્તભંગીમાં પરિણમન થયું.
સાતથી વધારે અંગે સંભવતા નથી, માટે જ સાતની સંખ્યા કહી છે. મૂળ ત્રણની વિવિધ સંયોજના કરો અને સાતમાં અંતર્ભાવ ન પામે એ ભંગ ઉપજાવી શકે તે જૈન દર્શન સપ્તભંગિતનો આગ્રહ કરી જ ન શકે.
આને ટૂંકમાં સાર નીચે પ્રમાણે –
૧. તત્કાલીન ચાલતા વિરોધી વાદનું સમીકરણ કરવું, એ ભાવના સપ્તભંગીની પ્રેરક છે.
૨. તેમ કરી વસ્તુના સ્વરૂપની એકસાઈ કરવી અને યથાર્થ જ્ઞાન મેળવવું, એ એનું સાધ્ય છે.
૩. બુદ્ધિમાં ભાસતા કોઈ પણ ધર્મ પરત્વે મૂળમાં ત્રણ જ વિકલ્પ સંભવે છે અને ગમે તેટલા શાબ્દિક પરિવર્તનથી સંખ્યા વધારીએ તેયે સાત જ થઈ શકે.
જ. જેટલા ધર્મે તેટલી જ સપ્તભંગી છે. આ વાદ અનેકાંતદૃષ્ટિનો વિચારવિષયક એક પુરાવો છે. આના દાખલાઓ, જે શબ્દ આત્મા વગેરે આપ્યા છે, તેનું કારણ એ છે કે પ્રાચીન આય વિચારકો આત્માનો વિચાર કરતા અને બહુ તે આગમપ્રામાણ્યની ચર્ચામાં શબ્દને લેતા.
૫. વૈદિક આદિ દર્શનેમાં, ખાસ કરી વલ્લભદર્શનમાં, “સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org