________________
સપ્તભંગી
૨૨૩
સાત ભંગે અને એનું મૂળ
(૧) ભંગ એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અર્થાત વાક્યરચના.
(૨) એ સાત કહેવાય છે, છતાં મૂળ તે ત્રણ (૧) સ્વાદ અસ્તિ, (૨) સ્યાદ્ નાસ્તિ અને (૩) સ્યાદ્ અવક્તવ્ય]જ છે. બાકીના ચાર [ (૧) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ, (૨) સ્યાદ્ અસ્તિ-અવક્તવ્ય, (૩) સ્યાદ્ નાસ્તિ-અવક્તવ્ય અને (૪) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય] એ ત્રણ મૂળ ભંગના પારસ્પરિક વિવિધ સંયોજનથી થાય છે.
(૩) કોઈ પણ એક વસ્તુ વિશે કે એક જ ધર્મ પરત્વે ભિન્ન ભિન્ન વિચારકેની માન્યતામાં ભેદ દેખાય છે. એ ભેદ વિરોધરૂપ છે કે નહિ અને જો ન હોય તે દેખાતા વિરોધમાં અવિરોધ કેવી રીતે ઘટાવો ? અથવા એમ કહે કે અમુક વિવક્ષિત વસ્તુ પરત્વે જ્યારે ધર્મવિષયક દૃષ્ટિભેદે દેખાતા હોય ત્યારે એવા ભેદનો પ્રમાણપૂર્વક સમન્વય કરો, અને તેમ કરી બધી સાચી દષ્ટિઓને તેના ગ્ય સ્થાનમાં ગઠવી ન્યાય આપવો એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ છે. સપ્તભંગીનું કાર્ય : વિરોધને પરિહાર
દાખલા તરીકે એક આમદ્રવ્યની બાબતમાં તેના નિયત્વ વિશે દૃષ્ટિભેદ છે. કોઈ આત્માને નિત્ય માને છે તે કોઈ નિત્ય માનવા ના પાડે છે. કોઈ વળી એમ કહે છે કે એ તવ જ વચન-અગોચર છે. આ રીતે આત્મતત્વની બાબતમાં ત્રણ પક્ષ પ્રસિદ્ધ છે. તેથી વિચારવું એ પ્રાપ્ત થાય છે કે શું તે નિત્ય જ છે અને અનિયત્વ તેમાં પ્રમાણબાધિત છે? અથવા શું તે અનિત્ય જ છે અને નિત્યત્વ એમાં પ્રમાણબાધિત છે? અથવા તેને નિત્ય કે અનિત્ય રૂપે ન કહેતાં અવક્તવ્ય જ કહેવું એ ગ્ય છે? આ ત્રણ વિકલ્પની પરીક્ષા કરતાં ત્રણે સાચા હોય તે એમને વિરોધ દૂર કરે જ જોઈએ. જ્યાં સુધી વિરોધ ઊભો રહે ત્યાં સુધી પરસ્પર વિરુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org