SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ ૨૧૧ વખતે જોકે આધાર તે સામાન્ય ઉપનિષદોને લીધે, પણ એમાંથી વિશિષ્ટાદૈતનું નિરૂપણ કરતી વખતે અનેકાંતદષ્ટિને ઉપયોગ કર્યો, અથવા એમ કહે કે, રામાનુજે પોતાની બે અનેકાંતદષ્ટિને વિશિષ્ટાદ્વૈતની રચનામાં પરિણુત કરી અને એને ઔપનિષદ તત્વને જામે પહેરાવીને અનેકાંતદૃષ્ટિમાંથી વિશિષ્ટાદ્વૈતવાદ ઊભું કરીને અનેકાંતદષ્ટિ તરફ આકર્ષાયેલી જનતાને વેદાંતના માર્ગમાં સ્થિર કરી. પુષ્ટિમાર્ગના પુરસ્કર્તા વલ્લભાચાર્ય, જેઓ દક્ષિણ ભારતમાં થઈ ગયા, એમના શુદ્ધાદ્વૈતવિષયક બધાં તત્ત્વ જેકે છે તે ઉપનિષદના આધારવાળાં, પણ એમની સમગ્ર વિચારસરણી અનેકાંતદષ્ટિને આપવામાં આવેલું નવીન વેદાંત સ્વરૂપ છે. આ બાજુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બીજા વિદ્વાનો સાથે તાંબર સંપ્રદાયના મહાન વિદ્વાનોનું ખંડનમંડનવિષયક જે દૂધ થયું એના પરિણામે અનેકાંતવાદને પ્રભાવ જનતામાં ફેલાયો અને સાંપ્રદાયિક ઢબે અનેકાંતવાદને વિરોધ કરવાવાળા પણ જાણતા-અજાણતાં અનેકાંતદૃષ્ટિને અપનાવવા લાગ્યા. આ રીતે જોકે એક વાદરૂપે અનેકાંતદષ્ટિ અત્યાર સુધી જૈનેની જ લેખાય છે, તો પણ એનો પ્રભાવ કોઈ ને કોઈ રૂપે, અહિંસાની જેમ વિકૃત કે અર્ધવિકૃત રૂપે, ભારતના દરેક ભાગમાં ફેલાયેલું છે. આની સાબિતી બધા ભાગોના સાહિત્યમાંથી મળી શકે છે. [દઔચિં૦ નં. ૨, ૫૦ ૧૫૧-૧૫૨, ૧૩૫-૧૫૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy