________________
૨૧૦
જૈનધર્મને પ્રાણ એ ધ્યેય તરફ ધ્યાન રાખીને કેવળ સત્યની જિજ્ઞાસા રાખવી. . (૩) ગમે તેવા વિધી દેખાતા પક્ષથી ગભરાવું નહીં અને પિતાના પક્ષની જેમ એ પક્ષની પણ આદરપૂર્વક વિચારણા કરવી અને પિતાના પક્ષ તરફ પણ વિરોધી પક્ષની જેમ આકરી સમાચક દષ્ટિ રાખવી.
(૪) પિતાના તેમ જ બીજાઓના અનુભવોમાંથી જે જે અંશે સાચા લાગે–ભલે પછી તે વિરોધી જ કેમ ન લાગતા હોય–એ બધાને વિવેકબુદ્ધિથી સમન્વય કરવાની ઉદારતાને અભ્યાસ કરે અને અનુભવ વધતાં પહેલાંના સમન્વયમાં જ્યાં ભૂલ દેખાય ત્યાં મિથ્યાભિમાનને ત્યાગ કરીને, સુધારો કરવો અને એ જ ક્રમે આગળ વધવું. અનેકાંતદષ્ટિનું ખંડન અને તેની વ્યાપક અસર
જ્યારે બીજા વિદ્વાનોએ અનેકાંતદષ્ટિને તસ્વરૂપે સ્વીકાર કરવાને બદલે સાંપ્રદાયિક વાદ રૂપે સ્વીકાર કર્યો ત્યારે એના ઉપર ચોતરફથી આક્ષેપની ઝડીઓ વરસવા લાગી. બાદરાયણ જેવા સૂત્રકારોએ એના ખંડન માટે સૂત્ર રચી દીધાં; અને એ સૂત્રોના ભાષ્યકારોએ એ જ વિષયને અનુલક્ષીને પિતાનાં ભાષ્યની રચના કરી. વસુબંધુ, દિદ્ભાગ, ધમકીતિ અને શાંતરક્ષિત જેવા મોટા મોટા પ્રભાવશાળી બૌદ્ધ વિદ્વાનેએ પણ અનેકાંતવાદની પૂરેપૂરી ખબર લઈ નાખી ! આ બાજુ જૈન વિચારક વિદ્વાનોએ પણ એમને સામનો કર્યો. આ પ્રચંડ સંઘર્ષનું
અનિવાર્યું પરિણામ એ આવ્યું કે એક બાજુ અનેકાંતદષ્ટિનો તર્કબદ્ધ રીતે વિકાસ થયો અને બીજી બાજુ એનો પ્રભાવ બીજા વિધી સંપ્રદાયના વિદ્વાન ઉપર પણ પડ્યો. દક્ષિણ ભારતમાં પ્રચંડ દિગંબરાચાર્યો અને પ્રચંડ મીમાંસક અને વેદાંતી વિદ્વાનોની વચ્ચે શાસ્ત્રાર્થનું ઠંધ થયું; એથી છેવટે તો અનેકાંતદષ્ટિને પ્રભાવ જ વધુ ફેલાયે; તે એટલે સુધી કે રામાનુજ જેવા જૈન તત્વના સાવ વિરોધી પ્રખર આચાર્યો શંકરાચાર્યના ભાયાવાદના વિરોધમાં પિતાના મતનું સ્થાપન કરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org