________________
કર્મતત્વ
રાખી શકતી નથી. આથી ઊલટું, જે કષાયને વેગ અંદર વિદ્યમાન હોય તે ઉપર ઉપરથી હજાર પ્રયત્ન કરવા છતાં પણ કોઈ વ્યક્તિ પિતાની જાતને બંધનથી બચાવી નથી શકતી. કષાયમુક્ત વીતરાગ બધી જગ્યાએ, જળમાં કમળની જેમ, નિલેપ રહે છે; પણ કષાયવાન આત્મા વેગનો દેખાવ કરીને પણ પોતાની તલ જેટલી પણ શુદ્ધિ નથી કરી શકતો. એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે આસક્તિને ત્યાગ કરીને જે કામ કરવામાં આવે છે, તે બંધક નથી થતું. મતલબ કે સાચી નિર્લેપતા માનસિક ક્ષોભના ત્યાગમાં છે. આ જ ઉપદેશ કર્મશાસ્ત્રમાં મળે છે, અને બીજે પણ એ જ વાત કહેવામાં આવી છે કે
मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ।
ન્યાય વિરચાડડë મોક્ષે નિર્વિવચં અમૃતમ મૈયુપનિષદ કમનું અનાદિપણું
વિચારશીલ માણસના મનમાં પ્રશ્ન ઊઠે છે કે કર્મ સાદિ છે કે અનાદિ ? આના જવાબમાં જૈન દર્શને કહ્યું છે કે કર્મ વ્યક્તિની (એક એક કર્મની) અપેક્ષાએ સાદિ છે અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. પણ કમને પ્રવાહ ક્યારે શરૂ થયો, એ કઈ કહી શકતું નથી. ભવિષ્યની સામે ભૂતકાળનું ઊંડાણ અનંત છે. અને અનંતનું વર્ણન અનાદિ કે અનંત શબ્દ સિવાય બીજી કઈ રીતે થઈ શકતું નથી. એટલા માટે કર્મના પ્રવાહને અનાદિ કહેવા સિવાય બીજો કોઈ આરો નથી. કર્મપ્રવાહના અનાદિપણાને અને મુક્ત જીવોના સંસારમાં પાછા નહીં ફરવાપણને બધાં પ્રતિષ્ઠિત દર્શને માને છે. કમબંધનું કારણ
જૈન દર્શનમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચારને કર્મબંધનાં કારણો કહેલ છે. આને સંક્ષેપ પાછળનાં બે (કષાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org