________________
છીએ. પણ અમારા પિતાશ્રી તે અમારી નાની વયે જ સ્વર્ગવાસી થયા હતા એટલે અમને સાચવવાની અને સંસ્કારી બનાવવાની બધી જવાબદારી અમારાં પૂજ્ય માતુશ્રીએ અને અમારા પૂજ્ય કાકાશ્રીએ સ્વીકારી લીધી હતી. અમે બધાંય ભાઈભાંડ આ બન્ને પૂજ્યના જીવનભર ઋણું છીએ.
ભાઈ જગમોહનદાસનો જન્મ સૌરાષ્ટ્રમાં જામનગરમાં તા. ૨૪-૧૨-૧૯૨૧ ના રોજ થયો હતે. એમણે મેટ્રિક સુધીનો અભ્યાસ ખેડામાં કર્યો હતો. ત્યાર પછી તેઓએ વિલ્સન કોલેજમાં અભ્યાસ કરીને મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની અને તે પછી સ્કૂલ ઑફ ઇકોનોમિસમાં જોડાઈને એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. અને, પિતાની ઉજજવળ અને વિશેષ જવાબદારીભરી ભાવી કારકિર્દી માટે જાણે આટલો અભ્યાસ ઓછો હોય એમ, પોદાર કૉલેજ ઑફ કૉમર્સમાં જોડાઈને એમણે બી. કોમ.ની પરીક્ષા પણ પસાર કરી હતી.
આ રીતે ઉચ્ચ અભ્યાસ દ્વારા એક નિપુણ અર્થશાસ્ત્રી અને કાબેલ સંચાલક તરીકેની યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ ભાઈ જગમોહનદાસે શરૂઆતમાં મુંબઈની બે વ્યાપારી પેઢીઓમાં સફળતાપૂર્વક કામ કરી બતાવ્યું. આથી એક બાજુ પિતાની સંચાલનશક્તિમાં એમને પૂર્ણ આત્મવિશ્વાસ આવી ગયા અને બીજી બાજુ જેમને જેમને એમની સાથે કામ પડ્યું, કે એમને થડે પણ પરિચય કરવાનો અવસર મળે એમને એમની વિશિષ્ટ સંચાલનશક્તિની તેમ જ એમની એયનિષ્ઠા અને કોઈ પણ કામને પહોંચી વળવાની કાબેલિયતની પ્રતીતિ થઈ
એમની શક્તિ, નિષ્ઠા અને કાબેલિયત એમને વધારે માન અને જવાબદારીભર્યા સ્થાન તરફ ખેંચી ગઈ. ૩૨ વર્ષ જેટલી યુવાન ઉંમરે તેઓ રાજસ્થાનમાંની એસોસીએટેડ સ્ટોન (કોટ). ઇન્ડસ્ટ્રીઝ લિ. કંપનીના મેનેજર અને સેક્રેટરી તરીકેના બેવડી જવાબદારીવાળા પદે નિમાયા. આ કંપની ખાણમાંથી પથ્થર કઢાવવાનો ઉદ્યોગ મેટા પાયા પર ચલાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org