________________
:
સ્મૃતિશેષ બંધુ જગમોહનદાસ
કુલ આજે ખીલે છે, અને કાલે પોતાની માયા સંકેલી લે છે; અને છતાં સૌના અંતરમાં એ વસી જાય છે!
ધન્ય જીવનને કાળની લાંબી-ટૂંકી અવધના ઓછાયા-પડછાયા નડતા નથી. એ તે જે જીવન જીવી જાણે એ કૃતાર્થ બની જાય – પછી એ ઝાઝું છે કે ઓછું ! તેથી જ તો “એક દિવસનું કમળ એ કહેવત બની ગઈ છે!
ભાઈ જગહન પણ કમળની જેમ જીવ્યા અને પિતાની કીતિની સુવાસ મૂકીને અકાળે ચાલતા થયા !
અમે ચાર ભાઈ અને ચાર બહેને. ચારે ભાઈઓમાં ભાઈશ્રી જગમેહનદાસ સૌથી નાના; પણ અભ્યાસમાં, તેજસ્વિતામાં, ઉત્સાહમાં, કર્તવ્યપરાયણતામાં અને કપ્રિયતામાં અમારા સૌથી ચડિયાતા !
અમારું મૂળ વતન ખેડા, પણ વર્ષોથી અમારું કુટુંબ બહારગામ રહે છે. અમારા પૂજ્ય પિતાશ્રી એન્જિનિયર હતા; અને એમનું કાર્ય ક્ષેત્ર મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ગોંડળ અને જામનગર હતું. અને અમારા પૂજ્ય કાકા શ્રી છોટુભાઈ કારા તે એક નિષ્ઠાવાન રાષ્ટ્રસેવક હતા. એમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે મુંબઈ એટલે મુંબઈમાં તે એમના નામની ખૂબ સુવાસ ફેલાયેલી છે. એમના મરણ નિમિત્તે મુંબઈમાં બોરીવલીમાં ચાલતું “કાર કેન્દ્ર” બહુ જાણીતું છે. - પિતાશ્રી અને કાકાશ્રીના ઉચ્ચ અભ્યાસ અને સંસ્કારના વારસાના બળે અમે બધાંય ભાઈબહેને કોલેજની કેળવણી સુધી પહોંચી શક્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org